[9:37PM, 14/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૧૨૦-
અધ્યાય-૧૫-
પુરુષોત્તમ યોગ-૨
આ વૃક્ષ ને -અહીં સંસારરૂપી-અશ્વત્થ-નામ આપેલું છે. સંસ્કૃત શબ્દ- અશ્વત્થ-નો અર્થ થાય છે-“જે એક ક્ષણ માત્ર પણ એક સમાન નથી” જે પ્રમાણે વ્યાકુળ મનુષ્ય નું મન સ્થિર રહેતું નથી હોતું અને ક્ષણે ક્ષણે નવા વિચારો કરે છે- તેવી જ આ સંસારરૂપી વૃક્ષ ની સ્થિતિ છે. પ્રત્યેક ક્ષણે –તે સંસાર-રૂપી વૃક્ષ નો નાશ થતો હોવાથી,તેને- અશ્વત્થ- કહેવામાં આવે છે.બાકી વ્યવહારમાં –પીપળા-ને અશ્વત્થ-કહે છે,પણ અહીં તેવો અભિપ્રાય નથી.
વળી આ સંસાર રૂપી વૃક્ષ ની ઉત્પત્તિ અને લય –અતિ ઝડપથી થાય છે-એટલે તે નાશ પામતું કે-
ફરીથી પેદા થતું –નરી આંખે જોઈ શકાતું નથી,એટલે તેને “અવ્યય” (અવિનાશી) પણ કહે છે. જેવી રીતે રથનું ચક્ર (પૈડું) અતિ વેગ થી ફરતું હોય તો તેની ગતિ –ના- દેખાવાથી – તે ચક્ર સ્થિર હોય તેવું લાગે છે-તેવી રીતે-
આ સંસારરૂપી વૃક્ષ નિત્ય નાશ પામે છે-અને ઉત્પન્ન થાય છે-તે જે જાણે છે- તે જ સર્વજ્ઞ અને જ્ઞાતા (વેદવેતા-જ્ઞાની) છે. ....(૧)
ઉપર બતાવ્યું તેમ આ વૃક્ષ નું મૂળ સહુથી ઉપર “બ્રહ્મ” છે.
તે મૂળ માંથી નીચેની બાજુએ-“બ્રહ્મદેવ”-વગેરે-ની મૂળભૂત શાખા (થડ) થઇ ને તેની મનુષ્યો-જીવો ની પ્રશાખાઓ (ઉપશાખાઓ) થઇ ને જે ડાળીઓ નીચે આવે છે,તેને પણ મૂળિયાં ફૂટી,નીચેની બાજુ એ વેલ વધી પાંદડાં આવે છે.
એટલે એમ પણ કહી શકાય કે-આ વૃક્ષ ની શાખાઓ ગુણો (સત્વ,રજસ,તમસ) થી વધેલી, અને- વિષયો (શબ્દ,શ્વાસ-વગેરે) ના પાંદડાથી યુક્ત હોવાથી, તે ઉપર થી નીચે સુધી પ્રસરેલી છે.
અને નીચેની બાજુ એ મનુષ્યલોક માં ડાળીઓને “કર્મો” રૂપી મૂળો –ફૂટે છે, અને તે મૂળો એકબીજામાં
ગૂંથાઈ જાય છે, અને આ કર્મોમાંથી,પછી નવી નવી ડાળીઓ નું નિર્માણ થાય છે....(૨)
હવે કોઈ ના મનમાં એવી શંકા આવે કે-આ આટલા મોટા પ્રચંડ –સંસારવૃક્ષ ને ઉખેડી શકે તેવું શું (કોઈ સાધન) હોઈ શકે ?
પણ-જે સાચું નથી-(જે સંસાર સાચો નથી) તેને ઉખેડી નાખવામાં વળી કયા સાધન ની જરૂર ? જે વૃક્ષ નું વર્ણન કર્યું છે-તે તો વાંઝિયા ના ઘરમાં છોકરાં-છૈયાં છે-એમ કહેવા સમાન જ છે.
જે જ્ઞાની છે-તેને આ સંસારરૂપી વૃક્ષની વાર્તા સ્પષ્ટ સમજાય છે- કે આ સર્વ માયા છે,આ સર્વ મિથ્યા છે, આ સર્વ અજ્ઞાન છે. વ્યવહાર માં અજ્ઞાન હોય ત્યાં સુધી જ –આ વૃક્ષ નો અંત નથી –એમ કહેવાય છે. જ્યાં સુધી બ્રહ્મજ્ઞાન –પ્રાપ્ત થયું નથી-ત્યાં સુધી-આ સંસારરૂપી અશ્વત્થ-વૃક્ષ નો અંત નથી. એટલે જ શ્રીકૃષ્ણ કહે છે-કે-દૃઢ વૈરાગ્ય થી ઉપજેલ આત્મજ્ઞાન ની તલવાર થી (શસ્ત્રથી) આ બળવાન સંસારરૂપી વૃક્ષ – અશ્વત્થ ને તુ ઉપરનાં મૂળ સહિત કાપી નાખ.(તેનો નાશ કર)......(૩) આત્મજ્ઞાન ની તલવાર સરળતાથી વાપરી શકાય,તે માટે બુદ્ધિ માં વૈરાગ્ય નું પ્રબળ બળ હોવું જોઈએ. ઓકેલા અન્ન –પર જેટલી પ્રબળ ત્યાગવૃત્તિ થાય છે-
તેવી ત્યાગ-બુદ્ધિ જગતના સર્વ “ભોગો” પર થવી જોઈએ. પદાર્થ માત્ર –પ્રત્યે-તીવ્ર “અનાદર” ઉત્પન્ન થાય –તેવો દૃઢ વૈરાગ્ય જોઈએ.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[9:37PM, 14/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૧૨૧-
અધ્યાય-૧૫-
પુરુષોત્તમ યોગ-૩
ત્યાર પછી-જે પદ (બ્રહ્મ) ને પ્રાપ્ત થાય પછી, તે મહાત્માઓ ફરીથી પાછા આવતા નથી, તે પદ (બ્રહ્મ) ને શોધી કાઢવું. (કેવી રીતે શોધવું?તો કહે છે-કે) જે-બ્રહ્મ માંથી અનાદિ પ્રવૃત્તિ ચાલી આવી છે-તે જ આદ્ય પુરુષ (પરમાત્માને)-“ હું શરણે છું” – એવી ભાવના મન માં રાખી-તે (બ્રહ્મ) પદની (ચરમ સ્થાન ની) શોધ કરવી .......(૪)
નિરાકાર,નિર્ગુણ બ્રહ્મ –ઉપાધિ (માયા) ને લીધે પ્રવૃત્તિ કરતુ ભાસે છે.અને માયાને લઈને- જ -તેને આકારવાળો (અસ્તિત્વવાળો) બનાવીને પુરાણો લાંબી લાંબી જીભો કાઢી ને – તેના નામ-રૂપ નો ખોટો ખોટો (મિથ્યા) પ્રલાપ (બૂમો) મચાવી મૂકે છે. એટલે કે જુદા જુદા દેવો ના નામ બનાવે છે-કે જેને લોકો ભગવાન (બ્રહ્મ) માનવા માંડે છે.
પણ સ્વર્ગ અને સંસાર –એ બંને થી કંટાળેલા –મુમુક્ષુ જનો (મોક્ષ ને ઇચ્છનાર) જુદા જુદા યોગ નો – આશ્રય લઇ અને સત્ય ને (બ્રહ્મ ને) પામે છે-કે જ્યાંથી પછી પાછા આવવાનું નથી.(પુનર્જન્મ નથી) પોતાનું “હું પણું” (અહમ) ને છોડીને –તે પરમાત્મા ને (બ્રહ્મને) શરણે જવાથી,(ભક્તિયોગ)-અને- એથી ઉલટું-શરણે જવાથી અહમ છૂટે છે-અને એ અહમ નો-પડદો (અજ્ઞાનનો –માયાનો પડદો)તૂટી જવાથી-“એ બ્રહ્મ” નું સ્થાન દેખાય છે.અને જીવ –બ્રહ્મનું ઐક્ય થાય છે.
--જેમનામાં માન (અભિમાન) અને મોહ નો નાશ થયો છે,
--જેમણે વિષયો (સ્વાદ-વગેરે) સાથે ની આસક્તિ –ના દોષો (સંગદોષ) ને જીતી લીધેલા છે,
--જેઓ આત્મચિંતન માં સદા મગ્ન છે,
--જેમની વાસનાઓ (કામ-વગેરે) નો ક્ષય (નાશ) થયો છે,અને
--જેઓ દ્વંદો (સુખ-દુઃખ,હર્ષ-શોક –વગેરે) થી મુક્ત થયા છે-
તેવા જ્ઞાતાઓ (જ્ઞાનીઓ) જ તે શાશ્વત પદ ને (બ્રહ્મ-પદ ને) પ્રાપ્ત કરે છે.........(૫)
જેમ મીઠાની બનાવેલી પૂતળી સમુદ્ર ની ઊંડાઈ માપવા જાય તો તે પછી આવતી જ નથી-
એટલે કે તે સમુદ્ર માં જ ઓગળી જાય છે,
તેમ- જે- શાશ્વત –બ્રહ્મ પદ ને પામ્યા પછી તે જીવ ને પુનર્જન્મ નથી (મુક્તિ છે) –તે-
પરમાત્મા નું પરમ ધામ (ઉત્તમ પદ) છે –કે જે –પરમ ધામ ને –પ્રકાશિત કરવાને –
સૂર્ય,ચંદ્ર કે અગ્નિ –કોઈ પણ સમર્થ નથી.(બ્રહ્મ- પોતે જ તો સૂર્ય ને પ્રકાશ દેનાર છે).....(૬)
જેમ પવન ને લીધે-તળાવ માં તરંગો ઉત્પન્ન થાય છે-તે તળાવનો જ નાનો અંશ હોય તેમ ભાસે છે-
તેમ જીવલોક (મનુષ્યલોક કે મૃત્યુલોક) માં પરમાત્મા નો અંશ જીવ-(આત્મા)-છે-
અને આ પરમ વિશુદ્ધ જીવ (આત્મા) –પ્રકૃતિ ની સાથે ઐક્ય પામી –પ્રકૃતિ ની ઉપાધિ (માયા) થી-જ-
તે પ્રકૃતિ ના (માયાના) ધર્મો ના અધિકાર ને સ્વીકારે છે.
પછી પાંચ જ્ઞાનેન્દ્રિયો (સ્વાદ-વગેરે) અને છઠ્ઠા “મન” ને –“એ” મારાં છે-એમ કહી ને તે
કર્મ માં પ્રવૃત્ત થાય છે.......(૭)
જેવી રીતે હિમાલય માં વસેલો સંન્યાસી –સ્વપ્ના માં પોતે જ પોતાનું ઘર (સ્ત્રી-પુત્રો વગેરે) માંડે અને
પછી તે ઘર ચલાવવા –આમતેમ દોડે.(નોકરીઓ-ધંધાઓ કરે)- તેવી રીતે-
પોતાની (પોતાના આત્મતત્વ ની) વિસ્મૃતિ થવાથી-તે આત્મા પોતાનું સ્વ-રૂપ પ્રકૃતિમય માની ને -
તે પ્રકૃતિ (માયા) ના અનુરોધ થી (બતાવ્યા મુજબથી) તેનાં જ (પ્રકૃતિ નાં જ) કાર્યો કરે છે.
કઠોપનિષદ માં તૃતીયવલ્લી –મંત્ર-૩-૪ માં કહ્યું છે-કે-
--આત્મા ને –શરીરરૂપી –રથ (કાર)-નો –માલિક –સમજવો,
--બુદ્ધિ –ને-સારથી (ડ્રાઈવર) જાણવી અને મન-ને –લગામ(સ્ટીયરીંગ વ્હીલ) જાણવી,
--ઇન્દ્રિયો-ને-ઘોડાઓ કહે છે. અને વિષયો ને –ઇન્દ્રિયો ને ભ્રમણ કરવા નો માર્ગ કહે છે.
--ઇન્દ્રિય અને મન થી યુક્ત –આત્મા – ને ભોક્તા કહે છે.
વાયુ જેમ પુષ્પમાંથી સુગંધ લઇ જાય છે-તેવી જ રીતે-શરીર નો સ્વામી-આત્મા-પણ એક શરીર નો જયારે ત્યાગ કરે છે-ત્યારે તે શરીર માંથી માત્ર-મન –ઇન્દ્રિયો ને લઇ જઈ બીજું શરીર ધારણ કરે છે. (૮)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[9:55PM, 14/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌿
શ્રીમદ ભગવદગીતા-૧૧૮-
અધ્યાય-૧૪-
ગુણત્રય વિભાગ યોગ-૪
“જ્ઞાન” ના યોગ થી જે “ગુણાતીત” (ગુણો થી પર) બન્યો છે,તે- “નિર્ગુણ-નિરાકાર” બ્રહ્મ ને –કોઈ પણ જાતના પ્રમાદ કે મુશ્કેલી વગર –આસાનીથી જાણી શકે છે.
જે પ્રમાણે નદી,સમુદ્રમાં મળી ગયા પછી, સમુદ્રપણા ને પ્રાપ્ત થાય છે.(નદી સમુદ્ર બની જાય છે)-તે પ્રમાણે-જે ગુણાતીત થયેલો છે-તે ગુણો ના (સત્વ,રજસ,તમસ) પાશ માં ના સપડાતાં-“અહં બ્રહ્માસ્મિ” (હું બ્રહ્મ છું) –એમ જાણે છે. (આત્મા અને પરમાત્મા નું ઐક્ય થઇ જાય છે)
આવો જીવાત્મા,શરીરમાં થી ઉત્પન્ન થયેલા –ત્રણે ગુણો (સત્વ,રજસ તમસ) ને ઓળંગી ને-જન્મ,મૃત્યુ,જરા,વ્યાધિ ના દુઃખોથી મુક્ત થઇ અને મોક્ષ ને પ્રાપ્ત થાય છે.......(૨૦)
અર્જુન હવે પ્રશ્ન પૂછે છે-કે-
હે કૃષ્ણ,આ ત્રણે ગુણો ને ત્યાગી ને આગળ વધેલા જીવ ને કેવી રીતે ઓળખવો ? તેનો આચાર કેવો હોય છે ?તે કેવી રીતે આ ત્રણ ગુણો ને ઓળંગી જાય છે?ગુણાતીત (ગુણો થી પર) શબ્દ નો અર્થ સમજાવ્યા પછી-તેનાં આચરણ કયાં છે?એ પ્રશ્ન –ખરેખરસંભવતો જ નથી.કારણકે-જેને ગુણાતીત કહેવામાં આવે છે-તે કદી ગુણાધીન (ગુણો ને આધીન)હોતો જ નથી. તે ગુણો માં વ્યવહાર કરતો દેખાતો હોવા છતાં-પણ તે ગુણો ને વશ હોતો નથી.તેમ છતાં -ગુણો ની સાથે તેનો વ્યવહાર દેખાય છે- તો -તે ગુણો ને આધીન છે કે નહિ ?
તે કેવી રીતે જાણી શકાય ?
--તે જીવાત્મા માં રજોગુણ ની પ્રબળતા વધે અને કર્મો કરી પ્રવૃત્તિ માર્ગ માં લીન થાય, અને જો-તે પ્રવૃત્તિ માં જો સફળતા મળે તો પણ “કર્મો કરનાર હું જ છું” એવુંઅભિમાન –તેને ના થાય, અને-
--જો કર્મો નો નાશ (પ્રવૃત્તિનો નાશ) થાય-તો પણ જો-તેની બુદ્ધિ ને ખેદ (શોક) ના થાય-
અથવા-
--તે જીવાત્મા માં સત્વગુણ ની પ્રબળતા વધે-અને સર્વ ઇન્દ્રિયોમાં જ્ઞાન પ્રકાશિત થાય-ત્યારે-જોતે “મારા જેવો કોઈ બીજો વિદ્વાન નથી” તેવો સંતોષ કે અભિમાન ના રાખે-
અથવા-
--તે જીવાત્મામાં તમોગુણ ની વૃદ્ધિ થાય-ત્યારે જો –તે મોહ કે ભ્રમ માં ડૂબતો નથી અને અજ્ઞાન નાસંસર્ગ થી જે મન માં ખેદ કરતો નથી.
આ રીતે આવો જ્ઞાની-જીવાત્મા –શરીરમાંથી ઉત્પન્ન થતા ગુણો (સત્વ,રજસ,તમસ) ના પ્રત્યે લક્ષઆપતો નથી. અને ઉદાસીન ની પેઠે (જેમ) રહી, ગુણો થી વિકાર પામતો નથી, અને “ગુણો જ કર્તા છે-કર્મ કરે છે”એમ માની ને પોતે સ્થિર રહે છે અને “પોતે કાંઇ જ કરતો નથી” –એવું માને છે.....(૨૨-૨૩)
આવાં ગુણાતીત મનુષ્ય નાં લક્ષણો છે, હવે તેમનાં આચરણો કેવાં હોય છે –તેનું વર્ણન છે.
આવો ગુણાતીત મનુષ્ય-
--આત્મસ્વ-રૂપમાં સ્થિર રહે છે.
--સુખ-દુઃખ ને સમાન માને છે.
--માટી,પથ્થર અને સોના ને સમાન માને છે.
--પ્રિય અને અપ્રિય ને સમાન માને છે.
--ધૈર્યવાન છે અને નિંદા અને સ્તુતિ ને સમાન માને છે.
--માન અને અપમાન ને સમાન માને છે.
--મિત્ર અને શત્રુ ને સમાન માને છે.
--સર્વ કર્મો નો પરિત્યાગ કર્યો છે.
--એકનિષ્ઠ ભક્તિ થી પરમાત્મા ની સેવા કરે છે.
--ત્રણે ગુણો ને જીતી ને બ્રહ્મ સ્વરૂપ થવાને યોગ્ય થાય છે.
કારણકે-અવિનાશી અને નિર્વિકાર બ્રહ્મ-એ અખંડ સુખ નું સ્થાન છે.......(૨૪-૨૫-૨૬-૨૭)
અધ્યાય-૧૪-ગુણત્રય વિભાગ યોગ-સમાપ્ત
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[9:55PM, 14/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદ ગીતા-૧૧૯-
અધ્યાય-૧૫-
પુરુષોત્તમ યોગ-૧
આગળ ના અધ્યાય -૧૪ ના અંતિમ ભાગમાં આવ્યા મુજબ એવો નિર્ણય થયો કે-જેને બ્રહ્મજ્ઞાન (નિરાકાર બ્રહ્મ=પરમાત્માનું જ્ઞાન) ની પ્રાપ્તિ થઇ હોય છે-તે જ મોક્ષ ને પામે છે.(મુક્ત થાય છે)પણ જે-યજ્ઞો કરે,સત્કર્મો કરે,સેવા પૂજા કરે,પુણ્યકર્મો કરે- –તેને “બ્રહ્મદેવ નો લોક” (બ્રહ્મા=બ્રહ્મદેવ- નો લોક)એટલેકે-બ્રહ્મલોક –સ્વર્ગ-મળે છે. જ્યાં સુખો ભોગવી ને પુણ્ય કર્મ પૂરું થતા ફરીથી જન્મ છે.
આ રીતે જ્ઞાન (બ્રહ્મ-જ્ઞાન-સત્ય નું જ્ઞાન-પરમાત્મા નું જ્ઞાન) એ મોક્ષ આપે છે-એમાં શંકા નથી,પુસ્તકો વાંચી ને આવું જ્ઞાન તો સર્વે ને છે-પણ બધા મુક્ત થઇ શકતા નથી, મુક્ત થતા નથી-કારણકે –આ જ્ઞાન ના માટે અંતઃકરણ –એવું શુદ્ધ હોવું જોઈએ-કે –જેથી તે જ્ઞાન ને ગ્રહણ કરીપોતાના માં (પોતાના અંતઃકરણ માં) સ્થિર કરી શકે.
શ્રીકૃષ્ણે પોતાના વિવેચન થી એમ દર્શાવ્યું છે-કે-
વૈરાગ્ય વગર જ્ઞાન ટકતું નથી. (વૈરાગ્ય વગર અંતઃકરણ શુદ્ધ થતું નથી)હવે પ્રશ્ન એ થાય છે-કે-વૈરાગ્ય મન માં શી રીતે પ્રવેશે ?
તો એના માટે –એક સરસ દૃષ્ટાંત છે.
જમવા બેઠેલો કોઈ મનુષ્ય ને “ભોજન માં ઝેર નાખવામાં આવ્યું છે” એવી ખબર પડતાં જ-તે થાળી છોડી ને ઉભો થઇ જાય છે-તેને ભોજન પ્રત્યે વૈરાગ્ય ઉપજે છે-
તે જ પ્રમાણે-
આ સર્વ સંસાર કે જે ક્ષણે ક્ષણે બદલાય છે (એટલે કે જે સંસાર અનિત્ય છે)-એમ જાણી -સંસાર અસત્ય (મિથ્યા) છે-એવો દૃઢ નિશ્ચય જયારે કોઈ મનુષ્ય ને થાય-ત્યારે વૈરાગ્ય તે મનુષ્ય ની પાછળ પડે છે.(વૈરાગ્ય ને –તે પછી ધક્કા મારી ને પણ હટાવી શકાતો નથી)એટલે કે વૈરાગ્ય અંતઃકરણ માં પ્રવેશ કરે છે. અને –આમ અંતઃકરણ શુદ્ધ થવા થી જ્ઞાન તેમાં ટકે છે.સંસાર અસત્ય છે-સંસાર મિથ્યા છે-
આ ૧૫ મા અધ્યાય માં -શ્રીકૃષ્ણ આ વાત ને સમજાવવા વૃક્ષ નું રૂપક (દૃષ્ટાંત) આપે છે.ખૂબ જ કુશળતાથી “સંસાર-વૃક્ષ” નું વર્ણન કરી-સંસાર મિથ્યા છે-એ સમજાવે છે.(માત્ર-૨૦ શ્લોક ના –આ અધ્યાય ને કડકડાટ બોલી જનાર અસંખ્ય મનુષ્યો જોવા મળે છે-પણ-
આ અધ્યાય નો ગૂઢ સંદેશ કેટલા સમજ્યા હશે તે તો ભગવાન જાણે !!!)
સામાન્ય રીતે સામાન્ય-વૃક્ષ નાં મૂળ જમીન માં હોય છે અને શાખાઓ (વિસ્તાર) ઉપર હોય છે,પણ આ વિલક્ષણ (ચમત્કારિક) વૃક્ષ ઉલટું છે. તેનાં મૂળ ઉપરની બાજુએ છે.(ઉર્ધ્વમુલ)અને વિસ્તાર (ડાળીઓ) નીચેની બાજુએ છે-તથા તે સમસ્ત આકાશ માં વ્યાપ્ત છે.(વિસ્તરેલું છે)
જેનું નામ આપ્યું છે—સંસાર-વૃક્ષ.
કલ્પના કરવાની છે-કે –સંસાર-વૃક્ષ ના મૂળ ઉપરની બાજુએ છે.પણ -આ વૃક્ષ ને કંઈ જમીન ઉપરથી ઉખેડી નાખવામાં આવ્યું નથી!!!કે નથી જમીન ઉપરથી ઉખેડી ને ઉલટું કરવામાં આવ્યું !!! પણ-આ કલ્પિત સંસાર-વૃક્ષ નાં મૂળ ઉપર તરફ -પરમાત્મા ને જોડાયેલાં છે.અને એટલે જ તે લીલુંછમ રહે છે, અને તે સુકાઈ જતું નથી.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૧૨૦-
અધ્યાય-૧૫-
પુરુષોત્તમ યોગ-૨
આ વૃક્ષ ને -અહીં સંસારરૂપી-અશ્વત્થ-નામ આપેલું છે. સંસ્કૃત શબ્દ- અશ્વત્થ-નો અર્થ થાય છે-“જે એક ક્ષણ માત્ર પણ એક સમાન નથી” જે પ્રમાણે વ્યાકુળ મનુષ્ય નું મન સ્થિર રહેતું નથી હોતું અને ક્ષણે ક્ષણે નવા વિચારો કરે છે- તેવી જ આ સંસારરૂપી વૃક્ષ ની સ્થિતિ છે. પ્રત્યેક ક્ષણે –તે સંસાર-રૂપી વૃક્ષ નો નાશ થતો હોવાથી,તેને- અશ્વત્થ- કહેવામાં આવે છે.બાકી વ્યવહારમાં –પીપળા-ને અશ્વત્થ-કહે છે,પણ અહીં તેવો અભિપ્રાય નથી.
વળી આ સંસાર રૂપી વૃક્ષ ની ઉત્પત્તિ અને લય –અતિ ઝડપથી થાય છે-એટલે તે નાશ પામતું કે-
ફરીથી પેદા થતું –નરી આંખે જોઈ શકાતું નથી,એટલે તેને “અવ્યય” (અવિનાશી) પણ કહે છે. જેવી રીતે રથનું ચક્ર (પૈડું) અતિ વેગ થી ફરતું હોય તો તેની ગતિ –ના- દેખાવાથી – તે ચક્ર સ્થિર હોય તેવું લાગે છે-તેવી રીતે-
આ સંસારરૂપી વૃક્ષ નિત્ય નાશ પામે છે-અને ઉત્પન્ન થાય છે-તે જે જાણે છે- તે જ સર્વજ્ઞ અને જ્ઞાતા (વેદવેતા-જ્ઞાની) છે. ....(૧)
ઉપર બતાવ્યું તેમ આ વૃક્ષ નું મૂળ સહુથી ઉપર “બ્રહ્મ” છે.
તે મૂળ માંથી નીચેની બાજુએ-“બ્રહ્મદેવ”-વગેરે-ની મૂળભૂત શાખા (થડ) થઇ ને તેની મનુષ્યો-જીવો ની પ્રશાખાઓ (ઉપશાખાઓ) થઇ ને જે ડાળીઓ નીચે આવે છે,તેને પણ મૂળિયાં ફૂટી,નીચેની બાજુ એ વેલ વધી પાંદડાં આવે છે.
એટલે એમ પણ કહી શકાય કે-આ વૃક્ષ ની શાખાઓ ગુણો (સત્વ,રજસ,તમસ) થી વધેલી, અને- વિષયો (શબ્દ,શ્વાસ-વગેરે) ના પાંદડાથી યુક્ત હોવાથી, તે ઉપર થી નીચે સુધી પ્રસરેલી છે.
અને નીચેની બાજુ એ મનુષ્યલોક માં ડાળીઓને “કર્મો” રૂપી મૂળો –ફૂટે છે, અને તે મૂળો એકબીજામાં
ગૂંથાઈ જાય છે, અને આ કર્મોમાંથી,પછી નવી નવી ડાળીઓ નું નિર્માણ થાય છે....(૨)
હવે કોઈ ના મનમાં એવી શંકા આવે કે-આ આટલા મોટા પ્રચંડ –સંસારવૃક્ષ ને ઉખેડી શકે તેવું શું (કોઈ સાધન) હોઈ શકે ?
પણ-જે સાચું નથી-(જે સંસાર સાચો નથી) તેને ઉખેડી નાખવામાં વળી કયા સાધન ની જરૂર ? જે વૃક્ષ નું વર્ણન કર્યું છે-તે તો વાંઝિયા ના ઘરમાં છોકરાં-છૈયાં છે-એમ કહેવા સમાન જ છે.
જે જ્ઞાની છે-તેને આ સંસારરૂપી વૃક્ષની વાર્તા સ્પષ્ટ સમજાય છે- કે આ સર્વ માયા છે,આ સર્વ મિથ્યા છે, આ સર્વ અજ્ઞાન છે. વ્યવહાર માં અજ્ઞાન હોય ત્યાં સુધી જ –આ વૃક્ષ નો અંત નથી –એમ કહેવાય છે. જ્યાં સુધી બ્રહ્મજ્ઞાન –પ્રાપ્ત થયું નથી-ત્યાં સુધી-આ સંસારરૂપી અશ્વત્થ-વૃક્ષ નો અંત નથી. એટલે જ શ્રીકૃષ્ણ કહે છે-કે-દૃઢ વૈરાગ્ય થી ઉપજેલ આત્મજ્ઞાન ની તલવાર થી (શસ્ત્રથી) આ બળવાન સંસારરૂપી વૃક્ષ – અશ્વત્થ ને તુ ઉપરનાં મૂળ સહિત કાપી નાખ.(તેનો નાશ કર)......(૩) આત્મજ્ઞાન ની તલવાર સરળતાથી વાપરી શકાય,તે માટે બુદ્ધિ માં વૈરાગ્ય નું પ્રબળ બળ હોવું જોઈએ. ઓકેલા અન્ન –પર જેટલી પ્રબળ ત્યાગવૃત્તિ થાય છે-
તેવી ત્યાગ-બુદ્ધિ જગતના સર્વ “ભોગો” પર થવી જોઈએ. પદાર્થ માત્ર –પ્રત્યે-તીવ્ર “અનાદર” ઉત્પન્ન થાય –તેવો દૃઢ વૈરાગ્ય જોઈએ.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[9:37PM, 14/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૧૨૧-
અધ્યાય-૧૫-
પુરુષોત્તમ યોગ-૩
ત્યાર પછી-જે પદ (બ્રહ્મ) ને પ્રાપ્ત થાય પછી, તે મહાત્માઓ ફરીથી પાછા આવતા નથી, તે પદ (બ્રહ્મ) ને શોધી કાઢવું. (કેવી રીતે શોધવું?તો કહે છે-કે) જે-બ્રહ્મ માંથી અનાદિ પ્રવૃત્તિ ચાલી આવી છે-તે જ આદ્ય પુરુષ (પરમાત્માને)-“ હું શરણે છું” – એવી ભાવના મન માં રાખી-તે (બ્રહ્મ) પદની (ચરમ સ્થાન ની) શોધ કરવી .......(૪)
નિરાકાર,નિર્ગુણ બ્રહ્મ –ઉપાધિ (માયા) ને લીધે પ્રવૃત્તિ કરતુ ભાસે છે.અને માયાને લઈને- જ -તેને આકારવાળો (અસ્તિત્વવાળો) બનાવીને પુરાણો લાંબી લાંબી જીભો કાઢી ને – તેના નામ-રૂપ નો ખોટો ખોટો (મિથ્યા) પ્રલાપ (બૂમો) મચાવી મૂકે છે. એટલે કે જુદા જુદા દેવો ના નામ બનાવે છે-કે જેને લોકો ભગવાન (બ્રહ્મ) માનવા માંડે છે.
પણ સ્વર્ગ અને સંસાર –એ બંને થી કંટાળેલા –મુમુક્ષુ જનો (મોક્ષ ને ઇચ્છનાર) જુદા જુદા યોગ નો – આશ્રય લઇ અને સત્ય ને (બ્રહ્મ ને) પામે છે-કે જ્યાંથી પછી પાછા આવવાનું નથી.(પુનર્જન્મ નથી) પોતાનું “હું પણું” (અહમ) ને છોડીને –તે પરમાત્મા ને (બ્રહ્મને) શરણે જવાથી,(ભક્તિયોગ)-અને- એથી ઉલટું-શરણે જવાથી અહમ છૂટે છે-અને એ અહમ નો-પડદો (અજ્ઞાનનો –માયાનો પડદો)તૂટી જવાથી-“એ બ્રહ્મ” નું સ્થાન દેખાય છે.અને જીવ –બ્રહ્મનું ઐક્ય થાય છે.
--જેમનામાં માન (અભિમાન) અને મોહ નો નાશ થયો છે,
--જેમણે વિષયો (સ્વાદ-વગેરે) સાથે ની આસક્તિ –ના દોષો (સંગદોષ) ને જીતી લીધેલા છે,
--જેઓ આત્મચિંતન માં સદા મગ્ન છે,
--જેમની વાસનાઓ (કામ-વગેરે) નો ક્ષય (નાશ) થયો છે,અને
--જેઓ દ્વંદો (સુખ-દુઃખ,હર્ષ-શોક –વગેરે) થી મુક્ત થયા છે-
તેવા જ્ઞાતાઓ (જ્ઞાનીઓ) જ તે શાશ્વત પદ ને (બ્રહ્મ-પદ ને) પ્રાપ્ત કરે છે.........(૫)
જેમ મીઠાની બનાવેલી પૂતળી સમુદ્ર ની ઊંડાઈ માપવા જાય તો તે પછી આવતી જ નથી-
એટલે કે તે સમુદ્ર માં જ ઓગળી જાય છે,
તેમ- જે- શાશ્વત –બ્રહ્મ પદ ને પામ્યા પછી તે જીવ ને પુનર્જન્મ નથી (મુક્તિ છે) –તે-
પરમાત્મા નું પરમ ધામ (ઉત્તમ પદ) છે –કે જે –પરમ ધામ ને –પ્રકાશિત કરવાને –
સૂર્ય,ચંદ્ર કે અગ્નિ –કોઈ પણ સમર્થ નથી.(બ્રહ્મ- પોતે જ તો સૂર્ય ને પ્રકાશ દેનાર છે).....(૬)
જેમ પવન ને લીધે-તળાવ માં તરંગો ઉત્પન્ન થાય છે-તે તળાવનો જ નાનો અંશ હોય તેમ ભાસે છે-
તેમ જીવલોક (મનુષ્યલોક કે મૃત્યુલોક) માં પરમાત્મા નો અંશ જીવ-(આત્મા)-છે-
અને આ પરમ વિશુદ્ધ જીવ (આત્મા) –પ્રકૃતિ ની સાથે ઐક્ય પામી –પ્રકૃતિ ની ઉપાધિ (માયા) થી-જ-
તે પ્રકૃતિ ના (માયાના) ધર્મો ના અધિકાર ને સ્વીકારે છે.
પછી પાંચ જ્ઞાનેન્દ્રિયો (સ્વાદ-વગેરે) અને છઠ્ઠા “મન” ને –“એ” મારાં છે-એમ કહી ને તે
કર્મ માં પ્રવૃત્ત થાય છે.......(૭)
જેવી રીતે હિમાલય માં વસેલો સંન્યાસી –સ્વપ્ના માં પોતે જ પોતાનું ઘર (સ્ત્રી-પુત્રો વગેરે) માંડે અને
પછી તે ઘર ચલાવવા –આમતેમ દોડે.(નોકરીઓ-ધંધાઓ કરે)- તેવી રીતે-
પોતાની (પોતાના આત્મતત્વ ની) વિસ્મૃતિ થવાથી-તે આત્મા પોતાનું સ્વ-રૂપ પ્રકૃતિમય માની ને -
તે પ્રકૃતિ (માયા) ના અનુરોધ થી (બતાવ્યા મુજબથી) તેનાં જ (પ્રકૃતિ નાં જ) કાર્યો કરે છે.
કઠોપનિષદ માં તૃતીયવલ્લી –મંત્ર-૩-૪ માં કહ્યું છે-કે-
--આત્મા ને –શરીરરૂપી –રથ (કાર)-નો –માલિક –સમજવો,
--બુદ્ધિ –ને-સારથી (ડ્રાઈવર) જાણવી અને મન-ને –લગામ(સ્ટીયરીંગ વ્હીલ) જાણવી,
--ઇન્દ્રિયો-ને-ઘોડાઓ કહે છે. અને વિષયો ને –ઇન્દ્રિયો ને ભ્રમણ કરવા નો માર્ગ કહે છે.
--ઇન્દ્રિય અને મન થી યુક્ત –આત્મા – ને ભોક્તા કહે છે.
વાયુ જેમ પુષ્પમાંથી સુગંધ લઇ જાય છે-તેવી જ રીતે-શરીર નો સ્વામી-આત્મા-પણ એક શરીર નો જયારે ત્યાગ કરે છે-ત્યારે તે શરીર માંથી માત્ર-મન –ઇન્દ્રિયો ને લઇ જઈ બીજું શરીર ધારણ કરે છે. (૮)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[9:55PM, 14/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌿
શ્રીમદ ભગવદગીતા-૧૧૮-
અધ્યાય-૧૪-
ગુણત્રય વિભાગ યોગ-૪
“જ્ઞાન” ના યોગ થી જે “ગુણાતીત” (ગુણો થી પર) બન્યો છે,તે- “નિર્ગુણ-નિરાકાર” બ્રહ્મ ને –કોઈ પણ જાતના પ્રમાદ કે મુશ્કેલી વગર –આસાનીથી જાણી શકે છે.
જે પ્રમાણે નદી,સમુદ્રમાં મળી ગયા પછી, સમુદ્રપણા ને પ્રાપ્ત થાય છે.(નદી સમુદ્ર બની જાય છે)-તે પ્રમાણે-જે ગુણાતીત થયેલો છે-તે ગુણો ના (સત્વ,રજસ,તમસ) પાશ માં ના સપડાતાં-“અહં બ્રહ્માસ્મિ” (હું બ્રહ્મ છું) –એમ જાણે છે. (આત્મા અને પરમાત્મા નું ઐક્ય થઇ જાય છે)
આવો જીવાત્મા,શરીરમાં થી ઉત્પન્ન થયેલા –ત્રણે ગુણો (સત્વ,રજસ તમસ) ને ઓળંગી ને-જન્મ,મૃત્યુ,જરા,વ્યાધિ ના દુઃખોથી મુક્ત થઇ અને મોક્ષ ને પ્રાપ્ત થાય છે.......(૨૦)
અર્જુન હવે પ્રશ્ન પૂછે છે-કે-
હે કૃષ્ણ,આ ત્રણે ગુણો ને ત્યાગી ને આગળ વધેલા જીવ ને કેવી રીતે ઓળખવો ? તેનો આચાર કેવો હોય છે ?તે કેવી રીતે આ ત્રણ ગુણો ને ઓળંગી જાય છે?ગુણાતીત (ગુણો થી પર) શબ્દ નો અર્થ સમજાવ્યા પછી-તેનાં આચરણ કયાં છે?એ પ્રશ્ન –ખરેખરસંભવતો જ નથી.કારણકે-જેને ગુણાતીત કહેવામાં આવે છે-તે કદી ગુણાધીન (ગુણો ને આધીન)હોતો જ નથી. તે ગુણો માં વ્યવહાર કરતો દેખાતો હોવા છતાં-પણ તે ગુણો ને વશ હોતો નથી.તેમ છતાં -ગુણો ની સાથે તેનો વ્યવહાર દેખાય છે- તો -તે ગુણો ને આધીન છે કે નહિ ?
તે કેવી રીતે જાણી શકાય ?
--તે જીવાત્મા માં રજોગુણ ની પ્રબળતા વધે અને કર્મો કરી પ્રવૃત્તિ માર્ગ માં લીન થાય, અને જો-તે પ્રવૃત્તિ માં જો સફળતા મળે તો પણ “કર્મો કરનાર હું જ છું” એવુંઅભિમાન –તેને ના થાય, અને-
--જો કર્મો નો નાશ (પ્રવૃત્તિનો નાશ) થાય-તો પણ જો-તેની બુદ્ધિ ને ખેદ (શોક) ના થાય-
અથવા-
--તે જીવાત્મા માં સત્વગુણ ની પ્રબળતા વધે-અને સર્વ ઇન્દ્રિયોમાં જ્ઞાન પ્રકાશિત થાય-ત્યારે-જોતે “મારા જેવો કોઈ બીજો વિદ્વાન નથી” તેવો સંતોષ કે અભિમાન ના રાખે-
અથવા-
--તે જીવાત્મામાં તમોગુણ ની વૃદ્ધિ થાય-ત્યારે જો –તે મોહ કે ભ્રમ માં ડૂબતો નથી અને અજ્ઞાન નાસંસર્ગ થી જે મન માં ખેદ કરતો નથી.
આ રીતે આવો જ્ઞાની-જીવાત્મા –શરીરમાંથી ઉત્પન્ન થતા ગુણો (સત્વ,રજસ,તમસ) ના પ્રત્યે લક્ષઆપતો નથી. અને ઉદાસીન ની પેઠે (જેમ) રહી, ગુણો થી વિકાર પામતો નથી, અને “ગુણો જ કર્તા છે-કર્મ કરે છે”એમ માની ને પોતે સ્થિર રહે છે અને “પોતે કાંઇ જ કરતો નથી” –એવું માને છે.....(૨૨-૨૩)
આવાં ગુણાતીત મનુષ્ય નાં લક્ષણો છે, હવે તેમનાં આચરણો કેવાં હોય છે –તેનું વર્ણન છે.
આવો ગુણાતીત મનુષ્ય-
--આત્મસ્વ-રૂપમાં સ્થિર રહે છે.
--સુખ-દુઃખ ને સમાન માને છે.
--માટી,પથ્થર અને સોના ને સમાન માને છે.
--પ્રિય અને અપ્રિય ને સમાન માને છે.
--ધૈર્યવાન છે અને નિંદા અને સ્તુતિ ને સમાન માને છે.
--માન અને અપમાન ને સમાન માને છે.
--મિત્ર અને શત્રુ ને સમાન માને છે.
--સર્વ કર્મો નો પરિત્યાગ કર્યો છે.
--એકનિષ્ઠ ભક્તિ થી પરમાત્મા ની સેવા કરે છે.
--ત્રણે ગુણો ને જીતી ને બ્રહ્મ સ્વરૂપ થવાને યોગ્ય થાય છે.
કારણકે-અવિનાશી અને નિર્વિકાર બ્રહ્મ-એ અખંડ સુખ નું સ્થાન છે.......(૨૪-૨૫-૨૬-૨૭)
અધ્યાય-૧૪-ગુણત્રય વિભાગ યોગ-સમાપ્ત
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[9:55PM, 14/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદ ગીતા-૧૧૯-
અધ્યાય-૧૫-
પુરુષોત્તમ યોગ-૧
આગળ ના અધ્યાય -૧૪ ના અંતિમ ભાગમાં આવ્યા મુજબ એવો નિર્ણય થયો કે-જેને બ્રહ્મજ્ઞાન (નિરાકાર બ્રહ્મ=પરમાત્માનું જ્ઞાન) ની પ્રાપ્તિ થઇ હોય છે-તે જ મોક્ષ ને પામે છે.(મુક્ત થાય છે)પણ જે-યજ્ઞો કરે,સત્કર્મો કરે,સેવા પૂજા કરે,પુણ્યકર્મો કરે- –તેને “બ્રહ્મદેવ નો લોક” (બ્રહ્મા=બ્રહ્મદેવ- નો લોક)એટલેકે-બ્રહ્મલોક –સ્વર્ગ-મળે છે. જ્યાં સુખો ભોગવી ને પુણ્ય કર્મ પૂરું થતા ફરીથી જન્મ છે.
આ રીતે જ્ઞાન (બ્રહ્મ-જ્ઞાન-સત્ય નું જ્ઞાન-પરમાત્મા નું જ્ઞાન) એ મોક્ષ આપે છે-એમાં શંકા નથી,પુસ્તકો વાંચી ને આવું જ્ઞાન તો સર્વે ને છે-પણ બધા મુક્ત થઇ શકતા નથી, મુક્ત થતા નથી-કારણકે –આ જ્ઞાન ના માટે અંતઃકરણ –એવું શુદ્ધ હોવું જોઈએ-કે –જેથી તે જ્ઞાન ને ગ્રહણ કરીપોતાના માં (પોતાના અંતઃકરણ માં) સ્થિર કરી શકે.
શ્રીકૃષ્ણે પોતાના વિવેચન થી એમ દર્શાવ્યું છે-કે-
વૈરાગ્ય વગર જ્ઞાન ટકતું નથી. (વૈરાગ્ય વગર અંતઃકરણ શુદ્ધ થતું નથી)હવે પ્રશ્ન એ થાય છે-કે-વૈરાગ્ય મન માં શી રીતે પ્રવેશે ?
તો એના માટે –એક સરસ દૃષ્ટાંત છે.
જમવા બેઠેલો કોઈ મનુષ્ય ને “ભોજન માં ઝેર નાખવામાં આવ્યું છે” એવી ખબર પડતાં જ-તે થાળી છોડી ને ઉભો થઇ જાય છે-તેને ભોજન પ્રત્યે વૈરાગ્ય ઉપજે છે-
તે જ પ્રમાણે-
આ સર્વ સંસાર કે જે ક્ષણે ક્ષણે બદલાય છે (એટલે કે જે સંસાર અનિત્ય છે)-એમ જાણી -સંસાર અસત્ય (મિથ્યા) છે-એવો દૃઢ નિશ્ચય જયારે કોઈ મનુષ્ય ને થાય-ત્યારે વૈરાગ્ય તે મનુષ્ય ની પાછળ પડે છે.(વૈરાગ્ય ને –તે પછી ધક્કા મારી ને પણ હટાવી શકાતો નથી)એટલે કે વૈરાગ્ય અંતઃકરણ માં પ્રવેશ કરે છે. અને –આમ અંતઃકરણ શુદ્ધ થવા થી જ્ઞાન તેમાં ટકે છે.સંસાર અસત્ય છે-સંસાર મિથ્યા છે-
આ ૧૫ મા અધ્યાય માં -શ્રીકૃષ્ણ આ વાત ને સમજાવવા વૃક્ષ નું રૂપક (દૃષ્ટાંત) આપે છે.ખૂબ જ કુશળતાથી “સંસાર-વૃક્ષ” નું વર્ણન કરી-સંસાર મિથ્યા છે-એ સમજાવે છે.(માત્ર-૨૦ શ્લોક ના –આ અધ્યાય ને કડકડાટ બોલી જનાર અસંખ્ય મનુષ્યો જોવા મળે છે-પણ-
આ અધ્યાય નો ગૂઢ સંદેશ કેટલા સમજ્યા હશે તે તો ભગવાન જાણે !!!)
સામાન્ય રીતે સામાન્ય-વૃક્ષ નાં મૂળ જમીન માં હોય છે અને શાખાઓ (વિસ્તાર) ઉપર હોય છે,પણ આ વિલક્ષણ (ચમત્કારિક) વૃક્ષ ઉલટું છે. તેનાં મૂળ ઉપરની બાજુએ છે.(ઉર્ધ્વમુલ)અને વિસ્તાર (ડાળીઓ) નીચેની બાજુએ છે-તથા તે સમસ્ત આકાશ માં વ્યાપ્ત છે.(વિસ્તરેલું છે)
જેનું નામ આપ્યું છે—સંસાર-વૃક્ષ.
કલ્પના કરવાની છે-કે –સંસાર-વૃક્ષ ના મૂળ ઉપરની બાજુએ છે.પણ -આ વૃક્ષ ને કંઈ જમીન ઉપરથી ઉખેડી નાખવામાં આવ્યું નથી!!!કે નથી જમીન ઉપરથી ઉખેડી ને ઉલટું કરવામાં આવ્યું !!! પણ-આ કલ્પિત સંસાર-વૃક્ષ નાં મૂળ ઉપર તરફ -પરમાત્મા ને જોડાયેલાં છે.અને એટલે જ તે લીલુંછમ રહે છે, અને તે સુકાઈ જતું નથી.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
No comments:
Post a Comment