[2:04PM, 02/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૯૮-
અધ્યાય-૧૦-
વિભૂતિયોગ-૪
પરમાત્મા (શ્રીકૃષ્ણ-બ્રહ્મ-ઈશ્વર)ની મુખ્ય-મુખ્ય વિભૂતિઓ કઈ કઈ છે ?
અથવા તો –
પરમાત્મા ક્યાં ક્યાં વિરાજેલા છે ? તો શ્રીકૃષ્ણ (પરમાત્મા-બ્રહ્મ) કહે છે-કે-
---પ્રત્યેક જીવમાં (પ્રાણીમાં) જે -આત્મા -છે –તે હું (પરમાત્મા) છું. અને -તે સર્વ જીવો (પ્રાણીઓ) નો આદિ-મધ્ય અને અંત પણ હું છું.................(૨૦)
---બાર આદિત્યોમાં (અદિતિ ના બાર પુત્રો) માં- વિષ્ણુ (વામન અવતાર) હું છું.
- તેજસ્વી વસ્તુઓમાં કિરણોવાળો સૂર્ય હું છું.
-૪૯ –મરુદગણો માં (વાયુદેવતાઓ માં)- મરીચિ- હું છું.
-આકાશમાંના નક્ષત્રો માં -ચંદ્ર -હું છું.......................................................(૨૧)
---વેદો માં- સામવેદ- હું છું.
-દેવો માં –ઇન્દ્ર- હું છું.
-ઇન્દ્રિયો માં –મન- હું છું.
-સર્વ પ્રાણીઓ (જીવો) માં –ચેતના (જ્ઞાન) શક્તિ-હું છું..............................(૨૨)
---૧૧-રુદ્રોમાં –શંકર-હું છું.
-યક્ષ-રાક્ષસો માં ધન નો સ્વામી –કુબેર-હું છું.
-૮-વસુઓ માં –અગ્નિ- હું છું.
-શિખરધારી સર્વ પર્વતો માં ઉચ્ચ –મેરુ પર્વત- હું છું.................................(૨૩)
---પુરોહિતો માં (ગુરુઓમાં) –બૃહસ્પતિ-હું છું.
-સેનાપતિઓમાં –કાર્તિક સ્વામી-હું છું.
-જળાશયોમાં –સમુદ્ર-હું છું.
-સિદ્ધ મહર્ષિઓમાં –ભૃગુઋષિ-હું છું.
-વાણી માં (ધ્વનિમાં) એકાક્ષર – ॐ કાર –હું છું.
-સર્વ પ્રકાર ના યજ્ઞો માં –જપયજ્ઞ-હું છું.
-અચળ વસ્તુઓ માં- હિમાલય- હું છું.....................................................(૨૪-૨૫)
---સર્વ વૃક્ષો માં –પીપળો-હું છું.
-દેવર્ષિ ઓમાં –નારદ-હું છું.
-ગંધર્વોમાં –ચિત્રરથ-હું છું.
-સિદ્ધો માં –કપિલમુનિ –હું છું.
-અશ્વો માં (ઘોડાઓમાં) –ઉચ્ચૈશ્રવા-અશ્વ હું છું,
-હાથી ઓમાં –ઐરાવત- હાથી હું છું.
-મનુષ્યોમાં-રાજા-હું છું...........................................................................(૨૬-૨૭)
---આયુધોમાં (શસ્ત્રોમાં) –વજ્ર-હું છું.
-ગાયોમાં –કામધેનું-હું છું.
-પ્રજા ને ઉત્પન્ન કરનાર માં-મદન-હું છું.
-સર્પોમાં-વાસુકિ- હું છું.
-નાગો માં-નાગરાજ અનંત (શેષ)-હું છું.
-જળદેવતાઓમાં-વરુણ-હું છું.
-પિતૃગણોમાં (પિતૃ દેવતાઓમાં) –અર્યમા-હું છું.
-નિયંત્રકો (નિયમન કરનારા) માં-યમ-હું છું...............................................(૨૮-૨૯)
---દૈત્યો માં –પ્રહલાદ-હું છું.
-કાળ ની (સમયની) ગણત્રી કરનારાઓમાં –કાળ-હું છું.
-પશુઓ માં –સિંહ- અને પક્ષીઓમાં-ગરુડ- હું છું..............................................(૩૦)
---પવિત્ર કરનારી વસ્તુઓમાં –વાયુ-હું છું.
-શસ્ત્રધરોમાં –રામ-હું છું.
-મત્સ્યોમાં-મકર-હું છું અને
-નદીઓમાં –ભાગીરથી (ગંગા હું છું..............................................................(૩૧)
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌳
[2:04PM, 02/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૯૯-
અધ્યાય-૧૦-
વિભૂતિયોગ-૫
---સૃષ્ટિઓનો –આદિ-મધ્ય-અંત-હું છું.
-વિદ્યાઓમાં –બ્રહ્મ વિદ્યા (અધ્યાત્મવિદ્યા)-હું છું.
-‘તત્વ-નિર્ણય’ ને જાણવાની ઈચ્છા થી કરવા માં આવતો –વાદ-હું છું.
-અક્ષરો માં –અ-કાર-હું છું.અને સમાસો માં –દ્વંદ-નામનો સમાસ હું છું.
-સર્વ ને (કીડી થી લઈને બ્રહ્મદેવને) ગ્રસનાર-મહાકાળ-હું છું...........(૩૨-૩૩)
---સર્વ નો સંહાર કરનાર –મૃત્યુ –હું છું
-ભવિષ્ય માં થનારાં પ્રાણીઓ નું ઉત્પત્તિ અને ઉન્નતિનો-હેતુ-હું છું.
-સ્ત્રી જાતિ ની સાત શક્તિ ઓ
કીર્તિ,લક્ષ્મી,વાણી,સ્મૃતિ,બુદ્ધિ,ધૃતિ,ધૈર્ય,ક્ષમા-હું છું....(૩૪)
---સામવેદ માં નો-બૃહ્ત્સામ-હું છું.
-છંદોમાં –ગાયત્રી છંદ-હું છું.
-મહિનાઓમાં-માર્ગશીર્ષ-માસ હું છું
-ઋતુઓમાં –વસંત ઋતુ-હું છું...........................................................................(૩૫)
---છળ કરનારાઓમાં –જુગાર-હું છું.
-પ્રભાવશાળી પુરુષોનો-પ્રભાવ-હું છું.
-જીતનારાઓ નો –વિજય-હું છું.
-નિશ્ચય કરનારાઓનો-નિશ્ચય-હું છું.
-સાત્વિક પુરુષોનો-સાત્વિક ભાવ-હું છું.
-યાદવો માં-વાસુદેવ-હું છું.
-પાંડવો માં –ધનંજય ( (અર્જુન) હું છું.
-મુનિઓ માં –વેદવ્યાસ-હું છું
-કવિઓ માં –ઉશના- હું છું. (ઉશના=શુક્રાચાર્ય-કે જે વારુણી કવિ નો પુત્ર હતો)..........(૩૬-૩૭)
---દમન કરનારાઓમાં –દંડ-હું છું.
-જય મેળવવાની ઈચ્છા રાખનારાઓ ની –નીતિ-હું છું.
-ગુપ્ત (ગુહ્ય) રાખવા યોગ્ય ભાવો માં-મૌન-હું છું.
-જ્ઞાનવાનોનું -તત્વજ્ઞાન-હું છું...............................................................................(૩૮)
જેવી રીતે સમુદ્ર પરનાં તરંગો ની ગણત્રી ક્યારેય થઇ શકે નહિ-તેવી રીતે
પરમાત્મા ની ગુણ-વિશેષ વિભૂતિઓ ની ગણત્રી કદી પણ થઇ શકતી નથી.
આવી વસ્તુ સ્થિતિ હોવાં છતાં અહીં મુખ્ય-મુખ્ય પંચોતેર (૭૫) વિભૂતિઓ બતાવી છે.
બાકી પરમાત્મા સિવાય હોઈ શકે એવાં જગત માં ચરાચર પ્રાણીઓ કોઇ જ નથી.
પરમાત્મા ની દિવ્ય વિભૂતિઓ નો અંત નથી...............................................................(૩૯-૪૦)
ટૂંક માં જે જે વસ્તુ-ઐશ્વર્યયુક્ત,શોભાયુક્ત અથવા કોઈ પણ પ્રભાવ થી યુક્ત હોય-
તે તે પરમાત્મા ના “તેજ ના અંશ” માંથી ઉત્પન્ન થયેલી છે...............................................(૪૧)
પૂર્ણ પરમાત્મા એ આ સંપૂર્ણ જગત ને પોતાની “યોગમાયા” ના “અંશમાત્ર” થી ધારણ કરી ને
સ્થિત થયેલા છે-માટે તે પરમાત્મા ને જ “તત્વ” થી જાણવા જોઈએ.................................(૪૨)
અધ્યાય-૧૦-વિભૂતિયોગ-સમાપ્ત
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[10:19PM, 02/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૯૮-
અધ્યાય-૧૦-
વિભૂતિયોગ-૪
પરમાત્મા (શ્રીકૃષ્ણ-બ્રહ્મ-ઈશ્વર)ની મુખ્ય-મુખ્ય વિભૂતિઓ કઈ કઈ છે ?
અથવા તો –
પરમાત્મા ક્યાં ક્યાં વિરાજેલા છે ? તો શ્રીકૃષ્ણ (પરમાત્મા-બ્રહ્મ) કહે છે-કે-
---પ્રત્યેક જીવમાં (પ્રાણીમાં) જે -આત્મા -છે –તે હું (પરમાત્મા) છું. અને -તે સર્વ જીવો (પ્રાણીઓ) નો આદિ-મધ્ય અને અંત પણ હું છું.................(૨૦)
---બાર આદિત્યોમાં (અદિતિ ના બાર પુત્રો) માં- વિષ્ણુ (વામન અવતાર) હું છું.
- તેજસ્વી વસ્તુઓમાં કિરણોવાળો સૂર્ય હું છું.
-૪૯ –મરુદગણો માં (વાયુદેવતાઓ માં)- મરીચિ- હું છું.
-આકાશમાંના નક્ષત્રો માં -ચંદ્ર -હું છું.......................................................(૨૧)
---વેદો માં- સામવેદ- હું છું.
-દેવો માં –ઇન્દ્ર- હું છું.
-ઇન્દ્રિયો માં –મન- હું છું.
-સર્વ પ્રાણીઓ (જીવો) માં –ચેતના (જ્ઞાન) શક્તિ-હું છું..............................(૨૨)
---૧૧-રુદ્રોમાં –શંકર-હું છું.
-યક્ષ-રાક્ષસો માં ધન નો સ્વામી –કુબેર-હું છું.
-૮-વસુઓ માં –અગ્નિ- હું છું.
-શિખરધારી સર્વ પર્વતો માં ઉચ્ચ –મેરુ પર્વત- હું છું.................................(૨૩)
---પુરોહિતો માં (ગુરુઓમાં) –બૃહસ્પતિ-હું છું.
-સેનાપતિઓમાં –કાર્તિક સ્વામી-હું છું.
-જળાશયોમાં –સમુદ્ર-હું છું.
-સિદ્ધ મહર્ષિઓમાં –ભૃગુઋષિ-હું છું.
-વાણી માં (ધ્વનિમાં) એકાક્ષર – ॐ કાર –હું છું.
-સર્વ પ્રકાર ના યજ્ઞો માં –જપયજ્ઞ-હું છું.
-અચળ વસ્તુઓ માં- હિમાલય- હું છું.....................................................(૨૪-૨૫)
---સર્વ વૃક્ષો માં –પીપળો-હું છું.
-દેવર્ષિ ઓમાં –નારદ-હું છું.
-ગંધર્વોમાં –ચિત્રરથ-હું છું.
-સિદ્ધો માં –કપિલમુનિ –હું છું.
-અશ્વો માં (ઘોડાઓમાં) –ઉચ્ચૈશ્રવા-અશ્વ હું છું,
-હાથી ઓમાં –ઐરાવત- હાથી હું છું.
-મનુષ્યોમાં-રાજા-હું છું...........................................................................(૨૬-૨૭)
---આયુધોમાં (શસ્ત્રોમાં) –વજ્ર-હું છું.
-ગાયોમાં –કામધેનું-હું છું.
-પ્રજા ને ઉત્પન્ન કરનાર માં-મદન-હું છું.
-સર્પોમાં-વાસુકિ- હું છું.
-નાગો માં-નાગરાજ અનંત (શેષ)-હું છું.
-જળદેવતાઓમાં-વરુણ-હું છું.
-પિતૃગણોમાં (પિતૃ દેવતાઓમાં) –અર્યમા-હું છું.
-નિયંત્રકો (નિયમન કરનારા) માં-યમ-હું છું...............................................(૨૮-૨૯)
---દૈત્યો માં –પ્રહલાદ-હું છું.
-કાળ ની (સમયની) ગણત્રી કરનારાઓમાં –કાળ-હું છું.
-પશુઓ માં –સિંહ- અને પક્ષીઓમાં-ગરુડ- હું છું..............................................(૩૦)
---પવિત્ર કરનારી વસ્તુઓમાં –વાયુ-હું છું.
-શસ્ત્રધરોમાં –રામ-હું છું.
-મત્સ્યોમાં-મકર-હું છું અને
-નદીઓમાં –ભાગીરથી (ગંગા હું છું..............................................................(૩૧)
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌳
[10:19PM, 02/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૯૯-
અધ્યાય-૧૦-
વિભૂતિયોગ-૫
---સૃષ્ટિઓનો –આદિ-મધ્ય-અંત-હું છું.
-વિદ્યાઓમાં –બ્રહ્મ વિદ્યા (અધ્યાત્મવિદ્યા)-હું છું.
-‘તત્વ-નિર્ણય’ ને જાણવાની ઈચ્છા થી કરવા માં આવતો –વાદ-હું છું.
-અક્ષરો માં –અ-કાર-હું છું.અને સમાસો માં –દ્વંદ-નામનો સમાસ હું છું.
-સર્વ ને (કીડી થી લઈને બ્રહ્મદેવને) ગ્રસનાર-મહાકાળ-હું છું...........(૩૨-૩૩)
---સર્વ નો સંહાર કરનાર –મૃત્યુ –હું છું
-ભવિષ્ય માં થનારાં પ્રાણીઓ નું ઉત્પત્તિ અને ઉન્નતિનો-હેતુ-હું છું.
-સ્ત્રી જાતિ ની સાત શક્તિ ઓ
કીર્તિ,લક્ષ્મી,વાણી,સ્મૃતિ,બુદ્ધિ,ધૃતિ,ધૈર્ય,ક્ષમા-હું છું....(૩૪)
---સામવેદ માં નો-બૃહ્ત્સામ-હું છું.
-છંદોમાં –ગાયત્રી છંદ-હું છું.
-મહિનાઓમાં-માર્ગશીર્ષ-માસ હું છું
-ઋતુઓમાં –વસંત ઋતુ-હું છું...........................................................................(૩૫)
---છળ કરનારાઓમાં –જુગાર-હું છું.
-પ્રભાવશાળી પુરુષોનો-પ્રભાવ-હું છું.
-જીતનારાઓ નો –વિજય-હું છું.
-નિશ્ચય કરનારાઓનો-નિશ્ચય-હું છું.
-સાત્વિક પુરુષોનો-સાત્વિક ભાવ-હું છું.
-યાદવો માં-વાસુદેવ-હું છું.
-પાંડવો માં –ધનંજય ( (અર્જુન) હું છું.
-મુનિઓ માં –વેદવ્યાસ-હું છું
-કવિઓ માં –ઉશના- હું છું. (ઉશના=શુક્રાચાર્ય-કે જે વારુણી કવિ નો પુત્ર હતો)..........(૩૬-૩૭)
---દમન કરનારાઓમાં –દંડ-હું છું.
-જય મેળવવાની ઈચ્છા રાખનારાઓ ની –નીતિ-હું છું.
-ગુપ્ત (ગુહ્ય) રાખવા યોગ્ય ભાવો માં-મૌન-હું છું.
-જ્ઞાનવાનોનું -તત્વજ્ઞાન-હું છું...............................................................................(૩૮)
જેવી રીતે સમુદ્ર પરનાં તરંગો ની ગણત્રી ક્યારેય થઇ શકે નહિ-તેવી રીતે
પરમાત્મા ની ગુણ-વિશેષ વિભૂતિઓ ની ગણત્રી કદી પણ થઇ શકતી નથી.
આવી વસ્તુ સ્થિતિ હોવાં છતાં અહીં મુખ્ય-મુખ્ય પંચોતેર (૭૫) વિભૂતિઓ બતાવી છે.
બાકી પરમાત્મા સિવાય હોઈ શકે એવાં જગત માં ચરાચર પ્રાણીઓ કોઇ જ નથી.
પરમાત્મા ની દિવ્ય વિભૂતિઓ નો અંત નથી...............................................................(૩૯-૪૦)
ટૂંક માં જે જે વસ્તુ-ઐશ્વર્યયુક્ત,શોભાયુક્ત અથવા કોઈ પણ પ્રભાવ થી યુક્ત હોય-
તે તે પરમાત્મા ના “તેજ ના અંશ” માંથી ઉત્પન્ન થયેલી છે...............................................(૪૧)
પૂર્ણ પરમાત્મા એ આ સંપૂર્ણ જગત ને પોતાની “યોગમાયા” ના “અંશમાત્ર” થી ધારણ કરી ને
સ્થિત થયેલા છે-માટે તે પરમાત્મા ને જ “તત્વ” થી જાણવા જોઈએ.................................(૪૨)
અધ્યાય-૧૦-વિભૂતિયોગ-સમાપ્ત
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[10:37PM, 07/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૧૦૮-
અધ્યાય-૧૩-
ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૨
ક્ષેત્ર (શરીર) જે તત્વો નું બનેલું છે-તે એક એક તત્વ નાં લક્ષણો અનેતે તત્વ ના વિકારો,વિષે-જ્ઞાનેશ્વરે વિગત થી વર્ણન કર્યું છે,આગળ બતાવ્યું તેમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ નું જ્ઞાન તે “જ્ઞાન” છે.અને હવે -આ જ્ઞાન જેને થયું હોય (જેના હૃદય માં જ્ઞાન ની પ્રાપ્તિ થઇ હોય) –તેવા મનુષ્ય નાં લક્ષણો વિષે નું વર્ણન છે.
જેમ-વૃક્ષો ની પ્રફુલ્લતાથી -વસંત ઋતુ નો પ્રારંભ થયો છે-એમ સમજાય છે-તેમ-ઇન્દ્રિયોના આચરણ પરથી-તે મનુષ્ય ને–“જ્ઞાન-પ્રાપ્તિ થઇ છે”-એમ સમજાય છે.
--માન ની ઈચ્છા નો લોપ (નાશ) (પોતાનાં વખાણ જેને બોજા જેવાં લાગે છે)
--દામ્ભિકતા નો અભાવ (જે દંભ કરતો નથી)
--અહિંસા (જીવ માત્ર ને કોઈ પણ રીતે-શરીર થી કે મનથી- સતાવતો નથી)
--ક્ષમા ભાવ (શાંત રહી –કોઈ પણ જીવે કરેલા અપકૃત્ય પ્રત્યે ક્ષમાભાવ)
--સરળતા (મન અને વાણી જેની સરળ છે)
--આચાર્યોપાસન (શ્રદ્ધા અને ભક્તિ સહિત સદગુરૂ ની સેવા-કે-જેનાથી અહમ મુક્ત થયો છે તે)
--અંતર્બાહ્ય પવિત્રતા (વિકારો નો નાશ –તે અંદર ની શુદ્ધિ-શરીર ની શુદ્ધિ- તે બહાર ની શુદ્ધિ)
--સ્થિરતા (ઇન્દ્રિયો પર વિષય-વિકાર ના તરંગો અથડાય –પણ જેનું મન સ્થિર રહે છે-તે)
--આત્મ સંયમ (ઇન્દ્રિયો નો નિગ્રહ)
--વિષયો માં વિરક્તિ (વિષયો-પરત્યે વૈરાગ્ય –અનાસક્તિ)
--અહંતા નો અભાવ (જેનામાં લેશમાત્ર અહમ નથી તે)
--જન્મ,મૃત્યુ,જરા (વૃદ્ધત્વ) અને વ્યાધિ ને –તે શરીર ના દોષો જ છે-તે રીતે જોવું તે
--સર્વત્ર ઉદાસીનતા (મારું કશું નથી-સર્વ પરમાત્મા નું જ છે-તેમ સમજીને સર્વ સાથે ઉદાસીન વર્તન)
--સ્ત્રી,પુત્ર,ઘર –વગેરેમાં અનાશક્તિ
--ઇષ્ટ કે અનિષ્ટ ની પ્રાપ્તિ થાય તો પણ મન અવિચળ રહે છે-તે-
--પરમાત્મા માં અનન્ય (ભાવયુક્ત-નિર્દોષ) ભક્તિ-
--એકાંતવાસ પર પ્રેમ અને લોકસમુદાય માં રહેવા પ્રત્યે અપ્રીતિ છે-તે-
--અધ્યાત્મ જ્ઞાન માં નિમગ્ન (આત્મ અને અનાત્મ –વસ્તુ જાણી શકાય તે અધ્યાત્મજ્ઞાન)
--પારમાર્થિક (પરમ અર્થ=પરમાત્મા) જ્ઞાન નો જે ને સાક્ષાત્કાર થયો છે-તે-
ઉપરનાં જે લક્ષણો બતાવ્યાં છે-તે જ્ઞાન ની પ્રાપ્તિ કરાવી આપનારાં છે.એટલા માટે તેને “જ્ઞાન” ની સંજ્ઞા પ્રાપ્ત થઇ છે .(જેને “જ્ઞાન” તરીકે કહેવામાં આવે છે)અને આ લક્ષણો થી વિરુદ્ધ (વિપરીત) છે-તે (માન-દંભ-હિંસા-વગેરે)“અજ્ઞાન” છે...(૮ થી ૧૨)
ઉપરનાં જે જ્ઞાની ઓ નાં લક્ષણો છે-તે એક એક લક્ષણનું વિસ્તૃતતા થી અનેતેનાથી વિરુદ્ધ જે અજ્ઞાનીઓના લક્ષણો છે તેનું પણ વિસ્તૃતતાથી વર્ણન કર્યું છે.
જ્ઞાન ના વિષે કહ્યા પછી શ્રીકૃષ્ણ હવે જ્ઞેય વિષે કહે છે.
જ્ઞેય –એટલે કે –જે જાણવા યોગ્ય છે તે (બ્રહ્મ-પરમાત્મા)-કે જેને જાણવાથી મોક્ષ મળે છે.
અનાદિ (જેને આદિ-પ્રારંભ- નથી તે) –સર્વોત્કૃષ્ટ બ્રહ્મ (પરમાત્મા) નું –સત કે અસત્- એવા શબ્દો થી વર્ણન થઇ શકે નહિ.....(૧૩)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌿
[10:37PM, 07/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૧૦૯
અધ્યાય-૧૩-
ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૩
જ્ઞેય એટલે પરમાત્મ-વસ્તુ, (જે જાણવા યોગ્ય છે તે)તેને જ્ઞેય કહેવાનું કારણ એટલું જ છે-કે-
તે જ્ઞાન (બ્રહ્મજ્ઞાન) સિવાય બીજા કોઈ પણ ઉપાય થી પ્રાપ્ત થઇ શકે તેમ નથી.અને તે (જ્ઞેય) જાણવામાં આવી ગયા પછી મુમુક્ષુ (મોક્ષ ઇચ્છનાર મનુષ્ય) ને –કોઈ પણ પ્રકારનું કર્તવ્યકરવાનું બાકી રહેતું નથી,કારણકે તેનું જ્ઞાન (બ્રહ્મજ્ઞાન) જ તેને તદ્રુપતામાં લઇ જાય છે.અને તે પરમાનંદ માં નિમગ્ન થાય છે.
આ જ્ઞેય (પરમાત્મ વસ્તુ-બ્રહ્મ) એવું છે-કે-જેને કોઈ આદિ (પ્રારંભ) નથી. તે “બ્રહ્મ” ને-
“તે નથી” એમ કહી શકાતું નથી-કારણ-–તે વિશ્વરૂપે દ્રષ્ટિગોચર થયા કરે છે.(વિશ્વરૂપે આંખથી દેખાય છે)
“તે છે” એમ પણ કહી શકાતું નથી.કારણ કે જો વિશ્વરૂપે જે દેખાય છે-તે વિશ્વ જ પરબ્રહ્મ છે-
એમ કહેવામાં આવે તો-તે સત્ય નથી,કેમકે વિશ્વ એ તો “માયા” છે.તેને (બ્રહ્મને) રૂપ,વર્ણ કે આકાર નથી, તે આંખ થી કોઈને દેખાતું નથી, તો પછી વિશ્વ-કે જે આંખ થી દેખાય છે-તેને “તે છે” એમ કેમ કહી શકાય ?.
આમ “બ્રહ્મ” ને “તે છે” (સત્) –કે- “તે નથી” (અસત્) –એમ શબ્દો થી-કહી શકાતું નથી. અને એ કારણ થી જ તેના વિષે -વેદો ની વાણી મૂક (મૂંગી) થઇ છે.
હવે પછી ના શ્લોક માં કહે છે-કે-
“ આ જગતમાં તેને (બ્રહ્મ-પરમાત્મા-ને) સર્વ બાજુએ હાથ તથા પગ છે,સર્વ બાજુએ આંખો,મસ્તકો,મુખો અને કાનો છે. તે સર્વત્ર વ્યાપક છે”.....(૧૪)
પરમાત્મા ના “વ્યાપક-તત્વ” ને સમજાવવા માટે જ –અહીં તેને અવયવો વાળો (આંખ,નાક કાન વગેરે)બતાવ્યો છે. પણ હકીકત માં બ્રહ્મ (પરમાત્મા) નિરાકાર હોવાથી –તેને અવયવો હોવા સંભવ નથી.આ રીતે બ્રહ્મ નો વ્યાપક-ભાવ બતાવવા –બ્રહ્મ નું આવું અવયવ વાળું –બતાવવું શા માટે હશે?
આવો કોઈ ને પ્રશ્ન થાય તો- તેનો જવાબ –એ- છે-કે-
જે પ્રમાણે-હિસાબ (એકાઉન્ટીંગ) કરતી વખતે-શૂન્ય બતાવવા માટે વર્તુળઆકૃતિ (૦-મીંડું)કાઢવામાં આવે છેએટલે કે આંકડા નો કોઈ આકાર લખી ને બતાવવો પડે છે-તે પ્રમાણે-અદ્વૈત (એક) કે જે નિરાકાર છે-તેનું સ્પષ્ટીકરણ કરવા માટે દ્વૈત (બે) કે જે આકારવાળું છે.તેનો સ્વીકાર કરી ને જ –તેનું સ્પષ્ટીકરણ કરવું પડે છે.
સદગુરુઓ,શિષ્ય ને યથાર્થ બોધ આપવા માટે જ –પરમાત્મા ના વ્યાપક સ્વરૂપ ને –દ્વૈત રૂપે-
અવયવો (આકાર) વાળું બતાવે છે.અને પછી અદ્વૈત ના વિષે સમજાવે છે.
જો સર્વ મનુષ્યો-અદ્વૈત ને સીધું જ- સમજી જાય તો-ગુરૂ-શિષ્ય ના સંપ્રદાયો બંધ પડી જાય. દ્વૈત અને અદ્વૈત ના ભાષણોની સમાપ્તિ થઇ જાય.અને એટલા માટે જશ્રુતિ એ પણ દ્વૈત (પરમાત્મા ના સાકાર) વિષય નું સ્પષ્ટીકરણ કરી ને જ –અદ્વૈત (એક- નિરાકાર -પરમાત્મા) નું પ્રતિપાદન કરવાનો –રાજમાર્ગ શરુ કર્યો છે-અપનાવ્યો છે.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[2:14PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌿🌿
શ્રીમદ ભગવદગીતા-૧૧૬-
અધ્યાય-૧૪-
ગુણત્રય વિભાગ યોગ-૨
ગુણો નાં –સત્વ,રજસ અને તમસ એવાં નામો છે-અને તે પ્રકૃતિ માંથી (માયામાંથી) ઉત્પન્ન થયેલા છે.(સત્વ=ઉત્તમ, રજસ=મધ્યમ અને તમસ=કનિષ્ઠ કહેવાય છે.)
આ ગુણો જીવાત્મા ને કેવી રીતે અને કેવું બંધન કરે છે-તે હવે પછી ના ત્રણ શ્લોક માં કહ્યું છે.
જયારે આત્મા શરીર માં (ક્ષેત્રમાં) પ્રવેશ કરે છે,અને તે પછી જો જીવ ને -શરીર ની મમતા કે“આ દેહ મારો છે” કે “હું” એવું અભિમાન (અહમ) આવતું નથી ત્યાં સુધી કોઈ બંધન નથી.પણ સત્વ-ગુણ ના સપાટા માં આવી ગયા પછી-મનુષ્ય “હું જ્ઞાની છું” એવી બૂમો મારે છે,અને
“મારા જેવો કોઈ બીજો જ્ઞાની નથી” તેવો દંભ આચરે છે. અને આ કારણથી –આત્મજ્ઞાન થી પ્રાપ્ત થતાસુખથી વંછિત થઇ જાય છે.પ્રવૃત્તિ માં તેને બાહ્યજ્ઞાનથી સુખ મળે છે-જે ટૂંક સમય માટે જ હોય છે.આવી રીતે-સત્વગુણ-જીવાત્મા ને સુખ તથા જ્ઞાન નું બંધન લગાડીને પોતાના કાબુ માં કરે છે..(૬)
રજોગુણ ના સપાટામાં જયારે મનુષ્ય આવે છે-ત્યારે તેને કામનાઓ-નો નાદ લાગે છે,મન ની “ઇચ્છાઓ” પવન ની જેમ અહીં તહીં ફરવા લાગે છે.દુઃખદાયક વિષયો પણ તેને સુખદાયક લાગે છે.અને ઇન્દ્ર ના જેટલી સુખની પ્રાપ્તિ થાય તો પણ તેનેતૃપ્તિ થતી નથી. હંમેશાં વિચારે છે-કે-મારી પાસેનું દ્રવ્ય આજે પૂરું થઇ જશે તો –આવતી કાલે મારી શું દશા થશે ?- અને એવા ભયથી જે –તૃષ્ણા ના બળથી નવા નવા ધંધાઓ –ઉદ્યોગો કરે છે.
થોડા પૈસા આવી ને કદાચ સુખી થાય તો પછી,સ્વર્ગ ની પ્રાપ્તિ ના ધાંધીયા માં લાગી જાય છે.પુણ્ય કમાવા –યજ્ઞો,વ્રતો દાનો વગેરે કરે છે.આવી રીતે તે મનુષ્ય (રજોગુણી મનુષ્ય) સંસાર અને સ્વર્ગ પ્રાપ્તિ માટે,અગ્નિ માં ભૂસકો મારવા માટે પણ આગળ પાછળ જોતો નથી, અને તૃષ્ણા ના સપાટા માં સપડાતાં –વ્યવહાર રૂપી-સાંકળ ને પોતાના ગળામાં બાંધી લે છે. એટલે કે રજોગુણ આમ –જીવાત્મા ને –વ્યવહાર રૂપી બંધન લગાડે છે .......(૭)
તમોગુણ ના સપાટા માં જયારે મનુષ્ય આવે છે-ત્યારે તેની વ્યવહાર વિષયક દૃષ્ટિ પણ મંદ થાય છે.નિંદ્રા,આળસ અને પ્રમાદ –આ ત્રણ પાસો વડે-તમોગુણ –જીવાત્મા ને બાંધે છે...............(૮)
જેવી રીતે ઉનાળો અને ચોમાસું વીતી ગયા પછી,ટાઢ પાડવા માંડતા-આકાશ માં શીતળતા પ્રસરી રહે છે-
તેવી રીતે-
--રજોગુણ અને તમોગુણ –કરતાં-સત્વગુણ અધિક વધે છે-ત્યારે “હું સુખી છું” એમ તે જીવાત્મા ના મુખેથી બોલાવે છે.
--સત્વગુણ અને રજોગુણ-કરતાં –તમોગુણ અધિક વધે છે-ત્યારે જીવાત્મામાં આળસ-પ્રમાદ- વધે છે.
--સત્વગુણ અને તમોગુણ –કરતાં-રજોગુણ અધિક વધે છે-ત્યારે જીવાત્માને કર્મ સિવાય બીજું કંઈસારું દેખાતું નથી.........................(૯-૧૦)
હવે પછી ના પાંચ શ્લોક માં (૧૧ થી ૧૫)
સત્વગુણ,રજોગુણ, અને તમોગુણ ની જયારે દેહમાં વૃદ્ધિ થાય છે-ત્યારે તે મનુષ્ય નાં લક્ષણો કેવાં હોય છે ?તેના વિષે વર્ણન કર્યું છે.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:14PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૧૧૭-
અધ્યાય-૧૪-
ગુણત્રય વિભાગ યોગ-૩
જે પ્રમાણે-વસંત ઋતુ માં ફૂલોની સુગંધી ચારે તરફ પ્રસરે છે-તે પ્રમાણે-જયારે સત્વગુણ આ દેહ માં વૃદ્ધિ પામે છે-ત્યારે-
--તે જીવાત્મા નું જ્ઞાન અંતર માંથી છલાછલ થઈને બહાર નીકળવા માંડે છે.
--તેની સર્વ ઇન્દ્રિયોમાં વિવેક પ્રસરી રહેલો હોય છે. સત્કર્મ કયાં? અને દુષ્કર્મ કયાં? તે ઇન્દ્રિયો જ જાણી જાય છે.એને વિચાર કરવાની પણ આવશ્યકતા રહેતી નથી.જેમકે-બોલવા જેવું ન હોય તેવું ભાષણ જીભ બોલતી નથી,કાન ને જે ના સાંભળવા જેવું હોય તે સાંભળતા જ નથી અને આંખ ને જે ના જોવા જેવું હોય તે જોતી જ નથી.
--જે પ્રમાણે –અંધકાર દીવા પાસે આવી શકતો નથી-તે પ્રમાણે-નિષિદ્ધ વ્યવહારો –તે જીવાત્મા ની ઇન્દ્રિયો ની નજીક આવતા જ નથી.
--સર્વ વાસનાનો લોપ (નાશ) થતાં,તેનું મન પ્રવૃત્તિ માર્ગ પર જતું નથી,તેના મન ને વિષયો નો કંટાળો આવે છે. તેની બધી વૃત્તિઓ જ્ઞાન માં જ વિકાસ પામે છે.
--મૃત્યુ બાદ આવા મનુષ્યો ને બ્રહ્મ-લોક (બ્રહ્મદેવ ના લોક) ની પ્રાપ્તિ થાય છે.જયારે રજોગુણ આ દેહમાં વૃદ્ધિ પામે છે-ત્યારે-
--તેની સર્વ ઇન્દ્રિયો સ્વછંદતાપૂર્વક વિષયો તરફ દોડતી હોય છે.જેમ બકરી તેને ફાવે ત્યાં ચરે છે-તેમ તે પોતાની ઈચ્છા પ્રમાણે ભોગ ભોગવે છે.
--તેનો લોભ એટલો વધે છે-કે-જે વસ્તુ તેના સપાટામાં ન આવી હોય તે જ માત્ર તેનાથી બચી જાય છે.
--ગમે તેવો ઉદ્યોગ તેની સામે આવે-તો તે કરવામાં તે પાછી પાની કરતો નથી.
--કોઈ એકાદ ભવ્ય મંદિર બંધાવવું,યજ્ઞ કરવો,તળાવ-કુવા બાંધવા,બાગો બનાવવા- વગેરે અગાધ કૃત્યો ને તે પોતાના હાથ માં લે છે.
--તેના મન કરતાં તેની ઈચ્છા ની દોડ આગળ હોય છે. અને તેની પ્રવૃત્તિ ને માટે સકળ વિશ્વ પૂરુ પડતું નથી.
--મૃત્યુ બાદ આવા લોકો કર્મો માં આસક્ત જનો માં જન્મે છે.જયારે તમોગુણ આ દેહમાં વૃદ્ધિ પામે છે-ત્યારે-
--તેને વિવેક હોતો નથી, તેને કામ કરવું ગમતું નથી,અને ઉદ્યોગ નો સદા માટે કંટાળો હોય છે.
--તેનામાં આળસ,પ્રમાદ અને મોહ-મુખ્ય હોય છે.
--મૃત્યુ બાદ આવા લોકો પશુ-ઈત્યાદી મૂઢ યોનિ માં જન્મે છે..................(૧૧ થી ૧૫)
એમ કહેવાય છે-કે-
--સત્વગુણ નું ફળ-સાત્વિક અને નિર્મળ હોય છે.સત્વગુણ થી જ્ઞાન ઉત્પન્ન થાય છે.અને દેવયોનિ મળે છે.
--રજોગુણ નું ફળ દુઃખ છે.રજોગુણ માંથી લોભ ઉત્પન્ન થાય છે.અને તેને મનુષ્યયોનિ મળે છે.
--તમોગુણ નું ફળ અજ્ઞાન છે.તમોગુણ થી અજ્ઞાન પેદા થાય છે.અને તેને પશુયોનિ મળે છે.(૧૬-૧૭-૧૮)
પણ.............
જીવાત્મા ને જયારે “જ્ઞાન”નો બોધ થાય છે (જયારે જ્ઞાન નો ઉદય થાય છે)-ત્યારે-તે જાણી જાય છે-કે-
“ગુણો (સત્વ,રજસ,તમસ) થી ચૈતન્ય (આત્મા-પરમાત્મા) ભિન્ન (જુદા) છે.અને તે “ગુણાતીત” બને છે.
જે પ્રમાણે નટ (નાટક નો કલાકાર) જયારે સ્ત્રીનો પાઠ ભજવે-ત્યારે તે સ્ત્રી ના “ગુણો” માં ફસાતો નથી,એટલે કે તે પોતાના પુરુષત્વ ને ભૂલતો નથી, અથવા-તો-જે પ્રમાણે “આકાશ” માં ત્રણ ઋતુઓ (શિયાળો,ઉનાળો,ચોમાસું) આવે અને જાય પણ તેનાથી તે અલિપ્ત છે-
તે પ્રમાણે-
તે જીવાત્મા –પોતાના “સ્વ-રૂપ” માં જ “સત્ય-બુદ્ધિ” ને રાખીને-તે ગુણો (સત્વ,રજસ,તમસ) ને જુએ છે.
ગુણો માં (સત્વ,રજસ,તમસ) વર્તતો હોવાં છતાં- તે “ગુણાતીત” રહીને “આત્મસ્વ-રૂપ” માં રત હોય છે.પણ તેનો “સ્વ-રૂપ વિષયક અહંકાર” કાયમ જ હોય છે,અને તે –સ્થળેથી (સ્વરૂપવિષયક અહંકારથી) નિરીક્ષણ કરીને તે કહે છે-કે- “હું કર્મ નો કર્તા નથી,હું માત્ર સાક્ષીભૂત છું, સર્વ ક્રિયાઓને -ગુણ (સત્વ,રજસ,તમસ) ઉત્પન્ન કરે છે.”આત્મા (પરમાત્મા) ની –તો માત્ર “સત્તા” છે-કે જે “સત્તા” થી સર્વ “કર્મો” થાય છે, “ગુણો” વૃદ્ધિ પામે છે.અને આ “ગુણો” નો નાશ થયા પછી જે-બાકી રહે છે-તે “આત્મ-તત્વ” જ છે.
બીજી રીતે કહીએ –તો- આત્મ-તત્વ ના પ્રકાશ થી જ “ગુણો” દૃષ્ટિગોચર (દેખાય) છે.અને આ “જ્ઞાન” જે જીવાત્મા ના હૃદય માં ઉદય પામે છે-તે “ગુણાતીત”(ગુણો થી પર) છે......(૧૯)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૧૧૦-
અધ્યાય-૧૩-
ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૪
આંખો દ્વારા દેખાતા આકારોમાં –જ્ઞેય (બ્રહ્મ) કેવી રીતે વ્યાપક છે ? તો કહે છે-કે-
જેવી રીતે પોલાણ માં આકાશ ભરેલું છે,અથવા તો-દોરાઓ,વસ્ત્ર માં વસ્ત્ર-રૂપે થઇ ને રહે છે-તેવી રીતે –બ્રહ્મ –આ વિશ્વ માં રહેલ છે.તેજ (પ્રકાશ) –જે પ્રમાણે –દીવામાં દીવા રૂપે રહે છે, સુગંધ –જે પ્રમાણે ફુલ માં ફુલ રૂપે રહે છે, તે પ્રમાણે જ્ઞેય બ્રહ્મ –આ સર્વ જગતનું આદિ કારણ હોઈ –સર્વ માં મૂર્તિમાન (આંખોથી) દેખાય છે.
બીજી રીતે કહીએ તો –આંખથી ફુલ રૂપે પરમાત્મા ની અદભૂત કારીગીરી દેખાય છે, ફૂલમાં જુદા જુદા રંગ ભરી ને મનોહર બનાવનાર કોઈક તો છે જ.વળી,એમ પણ કહી શકાય કે- ફુલ માં જે સુગંધ છુપાયેલી છે-
અને જે સુગંધ આંખો થી જોઈ શકાતી નથી,તે સુગંધ રૂપે પરમાત્મા તેમાં છુપાયેલા છે.
હવે આ જ ઉદાહરણ ને સહેજ આગળ લઇ જઈએ તો-
ફૂલ નો નાશ થતાં –પરમાત્મા નો નાશ થાય છે-એમ કહી શકાય નહિ.જેવી રીતે ઘડા ના આકાર ને કારણે ઘડા માં નું આકાશ (ઘટાકાશ) ગોળ દેખાય છે. તે ઘડાની ઉપાધિ (માયા) ને લીધે છે,
પણ જો ઘડો ફૂટી જાય તો તે ઘડા માં ના આકાશ નો નાશ થતો નથી.
આ જ પ્રમાણે બ્રહ્મ (પરમાત્મા) માયા ની ઉપાધિ ને લીધે, વિશ્વમય થાય છે, એવું દેખાય છે, પણમાયા માં તેનું અસ્તિત્વ હોતું નથી. તે બ્રહ્મ, ઇન્દ્રિયો (મન વગેરે) ના જેવું, અને ગુણો (સત્વ,રજ,તમસ) ના જેવું બન્યું હોય તેવો ભાસ થાય છે.પરંતુ જેમ ગોળ ની મીઠાશ ગોળ ના આકાર માં નથી, તેમ-
ઇન્દ્રિયો (મન વગેરે) અને ગુણો (સત્વ,રજ,તમસ) –એ બ્રહ્મ નો આકાર નથી.
જે પ્રમાણે દૂધ ની અવસ્થામાં ઘી, દૂધ ના આકારે હોય છે,પરંતુ ઘી –એ દૂધ નથી.એ પ્રમાણે, બ્રહ્મ વિશ્વમાં ભરેલો છે.
સોનાના જુદા જુદા આકાર ને ભલે હાર,વીંટી વગેરે નામ આપીએ –બાકી તે છે તો સોનું જ....તે જ રીતે બહુ સ્પષ્ટ રીતે સમજવાનું છે-કે-
બ્રહ્મ એ ઇન્દ્રિયો (મન વગેરે) અને ગુણો (સત્વ,રજ,તમસ) થી જુદો છે.નામ,રૂપ,જાતિ,ક્રિયા,ભેદ-આ બધી સંજ્ઞા ઓ “આકાર” ને છે-બ્રહ્મ (નિરાકાર) ને નહિ.તે બ્રહ્મ કદી ગુણ કે ઇન્દ્રિય થતો નથી કે તેમની સાથે તેને કોઈ સંબંધ નથી.
પણ ગુણો જ તેના માં ભાસે છે,
આ કારણ થી જ અજ્ઞાનીઓ એમ સમજે છે-કે-એ ગુણો બ્રહ્મ માં જ રહેલા છે, પરંતુ જેમ ભિખારી, સ્વપ્ન ની અંદર રાજા બની રાજ્ય નો ઉપભોગ લે છે,તે મિથ્યા છે –તે જ રીતે –નિર્ગુણ બ્રહ્મનો-ગુણ નો ઉપભોગ-તે ભ્રાંતિ-માત્ર છે.(મિથ્યા છે-ખોટું છે).માટે જ બ્રહ્મ ગુણો (સત્વ,રજ,તમસ) નો સંગ કરે છે-કે-ગુણો નો ઉપભોગ કરે છે-એમ કહેવું ઉચિત (યોગ્ય) નથી......(૧૫)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૧૧૧-
અધ્યાય-૧૩-
ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૫
જે પ્રમાણે-અગ્નિ ના અંગારા –ભિન્ન ભિન્ન અને અનેક આકારના હોય,પણ તેમના માં રહેલીઉષ્ણતા (ઉનાશ) તો એક જ છે,તે પ્રમાણે ચરાચર જીવો માં –એક જ અવિનાશી,બ્રહ્મ સૂક્ષ્મ રૂપે વ્યાપ્ત છે. (તે- જ જ્ઞેય છે)તે બ્રહ્મ શરીર ની અંદર પણ છે-અને શરીર ની બહાર પણ છે.દૂર છે અને નજીક પણ છે.તે બ્રહ્મ –સર્વવ્યાપક અને પરિપૂર્ણ છે,
ચાર પ્રકારના (જરાયુજ,અંડજ,સ્વેદજ,ઉદ્ભિજ્જ) જુદા જુદા જીવો માં તેની અખંડ વ્યાપ્તિ છે. જેમ-હજારો જુદા જુદા ઘડાઓ માં ચંદ્રનું પ્રતિબિંબ જુદું જુદું દેખાય છે,પણ તેમાં જેમ ભેદ નથી,તેમ બ્રહ્મ સર્વ માં છે......(૧૬)
તે બ્રહ્મ-“આકાશ” ની જેમ પરિપૂર્ણ છે, તેના કદી પણ ભાગ પડેલા નથી.-પણ- ચરાચર પ્રાણીઓ માં તે વિભકત (ભાગ પડેલું) (આત્મા રૂપે) હોય તેમ ભિન્ન ભિન્ન દેખાય છે.
જેવી રીતે-
--બાલ્યાવસ્થા,તરુણાવસ્થા અને વૃદ્ધાવસ્થા-ને એક-જ શરીર આધારભૂત છે,
--સવાર,બપોર અને સાંજ –એ ત્રણ સમય પસાર થાય પણ આકાશ ને તેનાથી કોઈ ફરક પડતો નથી
તેવી રીતે-
--સૃષ્ટિ ના ઉત્પત્તિ સમયે –જેને- આપણે- બ્રહ્મદેવ -કહીએ છીએ,
--સ્થિતિ ના સમયે-સર્વ નું પોષણ કરનાર ને-વિષ્ણુ- કહીએ છીએ,
--લય (નાશ) ના સમયે –જેને –આપણે રુદ્ર (મહેશ) -કહીએ છીએ,
--અને ઉપરનાં ત્રણે કાર્યો (ઉત્પત્તિ,સ્થિતિ,લય) -જયારે સમાપ્ત થાય છે-ત્યારે જે “શૂન્ય” હોય છે તેને આપણે –“પ્રકૃતિ” -કહીએ છીએ.
--આ પ્રકૃતિ રૂપ “શૂન્ય” નો પણ જે નાશ કરે છે-તેને “મહાશૂન્ય” કહ્યું છે.
(શ્રુતિ એ વર્ણન કર્યા મુજબ) –આ “મહાશૂન્ય” –તે જ આપણું “જ્ઞેય”-બ્રહ્મ છે......(૧૭)
તે બ્રહ્મ “પ્રકાશો નો પણ પ્રકાશ” એટલે કે-સૂર્યપ્રકાશ –કે જે-સમસ્ત જગતને પ્રકાશ આપે છે-
તેનો પણ પ્રકાશ છે.(અર્થાંત-તે સૂર્ય ને પણ પ્રકાશ આપે છે!!!!)
તે અંધકાર (અજ્ઞાન રૂપી અંધકાર) ની પેલી (બીજી) બાજુએ છે-એમ કહેવાય છે.
તે બ્રહ્મ (પરમાત્મા) જ “જ્ઞાન” છે,
તે જ “જ્ઞેય” છે.
તે જ “જ્ઞાન”થી પ્રાપ્ત કરવા યોગ્ય છે, અનેતે જ સર્વ ના હૃદય માં રહેલો (વિદ્યમાન) છે.આ રીતે –ક્ષેત્ર,ક્ષેત્રજ્ઞ –જ્ઞાન અને જ્ઞેય વિષે સ્પષ્ટતા કરી.જેને જાણવાથી, જ્ઞાની ભક્ત,પરમાત્મા ના સ્વરૂપ માં મળી જાય છે (તદ્રુપ થાય છે).....(૧૮-૧૯)
અત્યાર સુધી માં------“સર્વત્ર આત્મા (પરમાત્મા) છે”આ વાતનું સ્પષ્ટીકરણ કરવા માટે –એક જ બ્રહ્મ ના ચાર વિભાગ કરી બતાવ્યા.(ક્ષેત્ર,ક્ષેત્રજ્ઞ,જ્ઞાન,જ્ઞેય)
આટલું કર્યા પછી પણ અર્જુન ને બ્રહ્મ સ્પષ્ટ રીતે જાણવામાં ના આવ્યું-એટલે હવે –એક બ્રહ્મ ના ચાર ભાગ ને બદલે-અને-તે બ્રહ્મ એક જ છે એવું પણ ના માનતાં-અર્જુન ને આ વસ્તુ સમજાવવા માટે હવે–
શ્રીકૃષ્ણ-
તે –બ્રહ્મ-ના બે ભાગ કરે છે. –પુરુષ અને પ્રકૃતિ.(આત્મા અને અનાત્મા ).
પુરુષ અને પ્રકૃતિ નું જેમાં વર્ણન છે-તે માર્ગ ને “સાંખ્ય માર્ગ” પણ કહે છે.અને જે સાંખ્યમાર્ગ નું પૂર્ણ પણે વર્ણન કરવા “કપિલ અવતાર” થયો હતો.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૧૧૨-
અધ્યાય-૧૩-
ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૬
પુરુષ (બ્રહ્મ) અને પ્રકૃતિ (માયા) –એ બંને અનાદિ (આરંભ નું મૂળ તત્વ) છે. -જેમ છાયા (પડછાયો) એ સ્વરૂપ નથી-પણ તે છાયા સ્વરૂપ ની સાથે જ લાગેલી હોય છે, -કે-
-જેમ બીજ વાવ્યા પછી-દાણો અને ફોતરાં ની ઉત્પત્તિ એક સાથે જ થાય છે-તેમ પુરુષ અને પ્રકૃતિ –એ બંનેનું જોડું અનાદિ-સિદ્ધ અને સુપ્રસિદ્ધ છે.
બહુ સરળતાથી સમજવા માટે –
આગળ જે ક્ષેત્ર (ખેતર) કહ્યું –તે સર્વ ની “પ્રકૃતિ: સમજવી –અને-જેને ક્ષેત્રજ્ઞ કહ્યો-તેને “પુરુષ” સમજવો.
નામો જુદા જુદા છે-પણ એ નામો દ્વારા –જેનું નિરૂપણ (વર્ણન) કરવાનું છે-તે વસ્તુ ભિન્ન (જુદી) નથી. જેની સત્તા નો કદી નાશ નથી, તેને “પુરુષ” કહે છે. અને જેની સત્તા-ના યોગથી –જે જે –“ક્રિયા”ઓ થાય છે-તેને “પ્રકૃતિ” કહે છે.
વિકારો (મન,બુદ્ધિ,ઇન્દ્રિયો-વગેરે) અને ગુણો (સત્વ,રજ,તમસ) –એ પ્રકૃતિ માંથી ઉપજે છે. અને તે વિકારો અને ગુણો ના દ્વારા કર્મો થતા રહે છે.....(૨૦)
પ્રકૃતિ માં -સહુ પ્રથમ ઈચ્છા,ઈચ્છા માંથી બુદ્ધિ અને બુદ્ધિ માંથીઅહંકાર ઉત્પન્ન થાય છે.બુદ્ધિ-ફળપ્રાપ્તિ માટે ઇન્દ્રિયોને પોતપોતાનાં કર્મ માં પ્રવૃત કરે છે. આમ-ફળપ્રાપ્તિ માટે જે ઉપાય (કર્મ) કરવામાં આવે છે-તેને “કાર્ય” કહે છે.
આ રીતે –ઉપર બતાવ્યા મુજબ-પ્રકૃતિ જ પ્રબળ ઈચ્છા ની સહાય થી બુદ્ધિ ને જાગ્રત કરી, તેના (બુદ્ધિના) દ્વારા સર્વ વ્યવહાર કરાવે છે. માટે-કાર્ય,કર્તૃત્વ અને કારણ-એ ત્રિપુટી નું મૂળ પ્રકૃતિ જ છે.અને આમ આ ત્રણે ભેગાં થતાં-પ્રકૃતિ “ક્રિયારૂપ” થાય છે.
હવે –તે-પ્રકૃતિ માં –જે- ગુણ (સત્વ,રજસ,તમસ) ની વધારે પ્રબળતા હોય –તે ગુણ પ્રમાણે -તે –પ્રકૃતિ-ક્રિયા –કરે છે.
--જે કર્મ –સત્વગુણ-માંથી ઉપજે છે-તેને -સત્કર્મ-કહે છે.
--જે કર્મ –રજોગુણ –માંથી ઉપજે છે-તેને-મધ્યમ-કે-કામ્ય-કર્મ કહે છે.
--જે કર્મ –તમોગુણ-માંથી ઉપજે છે-તેને-નિષિદ્ધ-(ધર્મ વિરુદ્ધ)-કર્મ કહે છે.
આ પ્રમાણે-પ્રકૃતિ (માં) થી જ –સારાં અને ખરાબ (માઠાં) કર્મો ઉત્પન્ન થાય છે. અને તે કર્મો દ્વારા –સુખ-દુઃખ-થાય છે.
--સારાં કર્મો (સત્કર્મો) થી સુખ પેદા થાય છે-અને
--ખરાબ (માઠાં) કર્મો થી દુઃખ પેદા થાય છે.
અને શરીર માં રહેલો પુરુષ (આત્મા-પરમાત્મા) આ સુખ-દુઃખ ને ભોગવે છે.જ્યાં સુધી પ્રકૃતિ –વ્યાપાર કરે છે-ત્યાં સુધી-સુખ-દુઃખ ઉત્પન્ન થતાં રહે છે-અને પુરુષ –તે ભોગવે છે. (ભોગવવાં પડે છે)..........(૨૧)
કેવું આશ્ચર્ય?!!.....કેવો ચમત્કાર ?!!!!
--કે સ્ત્રી (પ્રકૃતિ) રળે છે (કમાય છે) અને પુરુષ (પરમાત્મા-બ્રહ્મ) સ્વસ્થ બેસી ને ખાય છે.
--સ્ત્રી (પ્રકૃતિ) અને પુરુષ (બ્રહ્મ-પરમાત્મા) નો કદી સંબંધ પણ થતો નથી,અને-
તો પણ સ્ત્રી (પ્રકૃતિ) માંથી જગત ઉત્પન્ન થાય છે !!!!!!
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૧૧૩
અધ્યાય-૧૩-
ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૭
જે “બ્રહ્મ” નિરાકાર –એકલો અને ઉદાસીન છે.જે જગતની અતિવૃદ્ધ વસ્તુ થી પણ અતિવૃદ્ધ છે. તેનું બીજું નામ (ઉપનામ) “પુરુષ” છે.બાકી વસ્તુત (સાચી રીતે) –તે-બ્રહ્મ,---પુરુષ-સ્ત્રી-કે નપુંસક છે---તે –નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી.
તે-બ્રહ્મ-ને આંખ,નાક,કાન,હાથ,પગ,રૂપ,વર્ણ કે નામ –વગેરે કશું પણ નથી. અનેતે-બ્રહ્મ-જ –પ્રકૃતિ નો સ્વામી છે.તે સુખ-દુઃખ નો ભોક્તા છે.અને અભોક્તા પણ છે.કારણ કે તે અકર્તા (કર્મો નો નહિ કરનાર) અને ઉદાસીન (અનાસક્ત) છે.
છતાં પણ પતિવ્રતા “પ્રકૃતિ” જ તેને ઉપભોગ લેવામાં પ્રવૃત કરે છે.(તેવું દેખાય છે)તે- પ્રકૃતિ પોતાના ગુણ-અને રૂપ- ની જરા સરખી હિલચાલ વડે,અપૂર્વ ખેલો કરી બતાવે છે,તેથી તેને “ગુણમયી” એવું નામ મળ્યું છે. (તેને માયા પણ કહે છે)તે-પ્રકૃતિ –પ્રતિક્ષણે (ક્ષણે ક્ષણે) –રૂપ અને ગુણ થી નવી બને છે. અને પોતાના જુસ્સા વડે-જડ-વસ્તુઓ પાસે પણ કામ કરાવે છે. વાસ્તવિક રીતે જોતાં –મન-એ –નપુંસક છે,તો પણ તેને ત્રણે લોક માં દોડાવે છે. (બુદ્ધિને -કેવી –અહંકાર ને –કેવો અને મન ને કેવું –એમ કહે છે-તેથી મન ને નાન્યતર જાતિનું કહે છે) સર્વ વ્યાપકતા ને કારણે- તે –પ્રકૃતિ-નિરાકાર-બ્રહ્મ –નો આકાર બને છે, નિર્વિકાર –બ્રહ્મ-નો વિકાર બને છે.
જે પ્રમાણે-ઉત્તમ રત્નો-વસ્ત્ર માં વીંટાળેલા હોય તો તેનું તેજ બહાર પડતું નથી. તે પ્રમાણે- પુરુષ (બ્રહ્મ) પ્રકૃતિ ને આધીન થઇ જતાં (પ્રકૃતિ વડે વીંટળાઈ જતાં) તેનું તેજ બહાર પડતું નથી.
જો કે બ્રહ્મ એ શુદ્ધ અને નિત્ય હોવા છતાં –આવી રીત ની પ્રકૃતિ ની આધીનતા થી તેને ગુણ-સંગ લાગે છે,
--જેવી રીતે કંકુ પર સ્ફટિક (કે જે શુદ્ધ -કોઇ પણ રંગ વગરનો છે-તે) મુકવાથી તે લાલ દેખાય છે.
--જેવી રીતે મનુષ્ય ને –સ્વપ્ન માં - સુખ-દુઃખ –ભોગવવા –નિંદ્રા પોતે-તેને નિંદ્રા માં જવા પ્રવૃત્ત કરે છે,અને મનુષ્ય-ખોટે ખોટાં સુખ દુઃખ નિંદ્રા માં ભોગવે છે-
--તેવી રીતે પુરુષ (બ્રહ્મ) ને જન્મ-મૃત્યુ –વગેરે ભોગવવાં પડતાં નથી-છતાં તેનો ભાસ થાય છે. તે સર્વ નું કારણ –પુરુષ (બ્રહ્મ) ની પ્રકૃતિ ના ગુણો ની સંગત છે,...(૨૨)
જુઈ ના છોડ ને આધાર આપવા માટે ઉભો કરેલ થાંભલો –જે રીતે જુઈ ના સર્વ વિકારો થી અલિપ્ત હોય છે-તે રીતે –પુરુષ (બ્રહ્મ) માત્ર સાક્ષીભૂત (સાક્ષી તરીકે) છે.
તે બ્રહ્મ (પુરુષ) –પ્રકૃતિ ને ધારણ કરે છે,પ્રકૃતિ ને અનુકૂળ રહે છે,પ્રકૃતિ નો ઉપભોગ લે છે- અને તેને જ –પરમાત્મા-પરમેશ્વર -કહેવામાં આવ્યો છે. અને –આ જ પરમાત્મા –આત્મા રૂપે –દેહમાં (શરીરમાં) પણ વિરાજેલો છે....(૨૩)
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૧૧૪-
અધ્યાય-૧૩-
ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૮
જે ઉપર દર્શાવ્યા મુજબ પુરુષ (બ્રહ્મ-પરમાત્મા) ને –તથા-પ્રકૃતિ ને (ગુણ સહિત) જાણે છે-તેસર્વ રીતે કર્મો કરવા છતાં પણ –મુક્ત થાય છે.(પુનર્જન્મ પામતો નથી)...(૨૪)
કોઈ સાંખ્ય (જ્ઞાન) માર્ગ (સાંખ્ય યોગ) થી, કોઈ કર્મમાર્ગ (કર્મયોગ) થી કે કોઈ ભક્તિમાર્ગ (ભક્તિયોગ) થી, શુદ્ધ થયેલા મનથી –પોતામાં રહેલા આત્મા ને જુએ છે, અને અંતર માં તેનો (આત્માનો) સાક્ષાત્કાર કરે છે.....(૨૫) પરંતુ –ઉપર પ્રમાણે-જેમને આત્મજ્ઞાન ને લાધ્યું નથી, એવા કેટલાંક લોકો, સદગુરૂ ના મુખ થી આત્મજ્ઞાન નું શ્રવણ કરી (સાંભળી) આત્મજ્ઞાનની ઉપાસના કરે છે,અને પરમાત્મા નો સાક્ષાત્કાર કરી,જન્મ મૃત્યુ ને તરી જાય છે,(મોક્ષ પામે છે)....(૨૬)
ક્ષેત્રજ્ઞ તરીકે પુરુષ (બ્રહ્મ-આત્મા-પરમાત્મા) અને ક્ષેત્ર તરીકે પ્રકૃતિ – એટલે કે પુરુષ અને પ્રકૃતિ ના સંયોગ થી જ –સર્વ સ્થાવર,જંગમ,અને સર્વ પ્રાણી (જીવ) ઉત્પન્ન થાય છે......(૨૭)
પ્રકૃતિ ની આ સર્વ પેદાશ નાશવંત હોય છે. તેમ છતાં-
સર્વ જીવો માં (પ્રાણીઓમાં) સમાન પણે –અવિનાશી પરમાત્મા (આત્મા રૂપે) વાસ કરી રહેલો છે-અને એમ દરેક જીવ માં જે પરમાત્મા ને જુએ છે-તે જ સાચું જુએ છે, અને તે જ ખરો જ્ઞાની છે, અને તે પોતાના આત્મા માં પણ પરમાત્મા ને જુએ છે-પરમાત્માને પામે છે- અને ઉત્તમ ગતિ (મોક્ષ) ને પ્રાપ્ત થાય છે.............................(૨૮-૨૯)
જે પ્રમાણે આકાશમાં વાદળાં દોડતાં હોય છે.પણ આકાશ તો સ્થિર જ હોય છે, તે પ્રમાણે-સર્વ કર્મો પ્રકૃતિ ના યોગ થી થાય છે, આત્મા (પરમાત્મા) તે કર્મો નો કર્તા નથી,એક પરમ પિતા પરમેશ્વર (પુરુષ) માંથી (પ્રકૃતિ ના સંયોગ થી) આ જગત નો વિસ્તાર થયો છે.એમ જયારે મનુષ્ય જાણે છે –ત્યારે જ તે બ્રહ્મ-સંપન્ન થાય છે (બ્રહ્મ ને પામે છે)....(૩૦-૩૧)
આ પરમાત્મા અનાદિ,નિર્ગુણ,નિરાકાર,નિર્વિકાર –હોવાથી અવિનાશી છે. અને એટલા માટે જ-તે આત્મા રૂપે શરીરમાં હોવાં છતાં કશું પણ કરતો નથી અને કશાથી પણ લિપ્ત થતો નથી.જેવી રીતે સર્વવ્યાપક “આકાશ” –તેની સૂક્ષ્મતા ને લીધે કશાથી લિપ્ત નથી થતું તેમ-સર્વ શરીરો માં રહેલો આત્મા-શરીર ના કર્મો થી લિપ્ત થતો નથી.......(૩૨-૩૩)
જેમ એક સૂર્ય –સર્વ જગતને પ્રકાશિત કરે છે-તેમ-એક ક્ષેત્રજ્ઞ (બ્રહ્મ-પુરુષ) સર્વ ક્ષેત્રો ને (શરીરો ને) પ્રકાશિત કરે છે. આ પ્રમાણે ક્ષેત્ર (શરીર) અને ક્ષેત્રજ્ઞ (પરમાત્મા) વચ્ચે ના ભેદ ને જે જાણે છે, તથા- સર્વ જીવો ની પ્રકૃતિ ના બંધન માં થી કેવી રીતે મુક્તિ થાય છે-તે પણ જે જાણે છે- તેઓ-બ્રહ્મને (પરમાત્માને) પ્રાપ્ત થાય છે........(૩૪-૩૫)
અધ્યાય-૧૩-ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-સમાપ્ત
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૧૧૫-
અધ્યાય-૧૪-
ગુણત્રય વિભાગ યોગ-૧
આગળના અધ્યાય-૧૩માં પુરુષ (પરમાત્મા-આત્મા) અને પ્રકૃતિ (માયા) નું વર્ણન કર્યું, અને કહ્યું-કે-બંને ના સંયોગ થી જગતનું નિર્માણ થાય છે.પ્રકૃતિના ગુણો ના આગ્રહ થી જ પુરુષ (પરમાત્મા-આત્મા)સંસાર માં નિમગ્ન થાય છે. માયા (પ્રકૃતિ) ની ઉપાધિ થી જ સુખ-દુઃખ ના નિર્માણ થાય છે.
અને તેનાથી-વિરુદ્ધ-ગુણાતીત (તેના સંગ વગરના) થવાથી મુક્ત થવાય છે.
શ્રીકૃષ્ણ જુએ છે-કે- પૂર્વે- અનેક જુદી જુદી રીતે “જ્ઞાન” ને સ્પષ્ટ કરીને -અર્જુન ને કહેવા છતાં.અર્જુન ના અજ્ઞાન નો હજુ સંપૂર્ણને નાશ થયો નથી,એટલે-
અહીં આ અધ્યાય-૧૪ માં - તે “જ્ઞાન” ને પુનઃ (ફરીથી) કહે છે.
શ્રીકૃષ્ણ કહે છે-કે-જે જ્ઞાન ને જાણી ને સર્વ મુનિઓ જન્મથી જ મોક્ષ-સિદ્ધિને પામ્યા છે-તે ઉત્તમ અને શ્રેષ્ઠ “જ્ઞાન” હું તને પુનઃ (ફરીથી) કહું છું.......(૧)
આ જ્ઞાન નો આશ્રય કરીને,જે લોકો મારામાં (પરમાત્મા માં) આવી મળી ગયા છે, તે પછી,ઉત્પત્તિ કાળ માં જન્મતા નથી કે પ્રલયકાળ માં નષ્ટ પામતા નથી.....(૨)
વેદાંતીઓ જેને “માયા” કહે છે-તેને સાંખ્યમતવાદીઓ “પ્રકૃતિ” કહે છે.
અને આ પ્રકૃતિ ને “મહદબ્રહ્મ” પણ કહે છે. કારણ કે તે-મહત્તત્વ નું લય-સ્થાન છે.(વિશ્રામ સ્થાન છે)તે સર્વ જગત કરતાં મોટી છે અને જેના સંસર્ગથી (યોગથી) “વિકાર”અને “ગુણ” વૃદ્ધિ પામે છે.
આ મહદબ્રહ્મ-કે-પ્રકૃતિ-કે-માયા-એ પરમાત્મા ના ગર્ભ મુકવાનું સ્થાન છે,અને તેમાંથી –સર્વ જીવો (પ્રાણીઓ) ની ઉત્પત્તિ થાય છે....(૩)
બીજી (સાદી) રીતે કહીએ-તો-
માયા (પ્રકૃતિ) ના અનુરોધ થી ચૈતન્ય (પુરુષ- (પરમાત્મા) –પોતાના આત્મસ્વ-રૂપ ને ભૂલી જઈને-અનેક રૂપો ધારણ કરે છે.
જે રીતે મૂર્છા પામેલો મનુષ્ય-જયારે મૂર્છા માંથી જાગે ત્યારે કહે”હું સ્વર્ગ જોઈ આવ્યો”તેવી રીતે-એક વાર દૃષ્ટિ –આત્મસ્વ-રૂપ માં થી ચળી –(મૂર્છા આવી)એટલે પછી જે જે કલ્પનાઓ થાય છે-તે સર્વ ને “સૃષ્ટિ” કહેવામાં આવે છે.સૃષ્ટિ ની રચવા પાછળ ની સત્તા તો પરમાત્મા માત્ર પાસે જ છે.માયાથી થતી આત્મસ્વ-રૂપ ની વિસ્મૃતિ –તે અજ્ઞાન નું (માયાનું) સ્વરૂપ છે.અને જયારે આત્મજ્ઞાન ની પ્રાપ્તિ થાય છે-ત્યારે પરમાત્મા સાથેની તદ્રુપતા જ થઇ જાય છે..(ઘડા નો (માયાનો-ઉપાધિ નો) નાશ થતાં –ઘટાકાશ-એ મહાકાશ માં મળી જાય છે)
જ્ઞાનેશ્વર સૃષ્ટિ ની ઉત્પત્તિ (સર્ગ) ફરીથી ટૂંક માં-સમજાવતા કહે છે-કે-
--પરમાત્મા ના આત્મસ્વ-રૂપ ના સંસર્ગ માં આવતી પ્રકૃતિ (માયા) ને પરમાત્મ ની સત્તા (આત્મ સત્તા) થીગર્ભ રહે છે.
--ત્યાર પછી તે જીવભૂતા પ્રકૃતિ ના ઉદરમાં અષ્ટપ્રકૃતિ રૂપી (વિકૃતિ રૂપી) ગર્ભ ની વૃદ્ધિ થાય છે (અષ્ટ પ્રકૃતિ=પૃથ્વી,જળ,તેજ,વાયુ,આકાશ,મન,બુદ્ધિ અને અહંકાર)
--પ્રથમ બુદ્ધિ-તત્વ અને પછી,મન અને અહંકાર ની ઉત્પત્તિ થાય છે.
--જેમના યોગ થી પંચમહાભૂતો,ઇન્દ્રિયો અને તેના વિષયો ની ઉત્પત્તિ થાય છે.
--વિષયો અને ઇન્દ્રિયો નો ક્ષોભ થાય છે,એટલે તેની પાછળ –સત્વ,રજ,તમસ –ગુણો હોય છે-જ.
--અને આ ગુણો ના યોગ થી-જેવી વાસના ઉપજી હોય –તે પ્રમાણે જીવ જુદા જુદા જન્મ ધારણ કરે છે.
આ રીતે સર્વ જગતના પિતા -પરમાત્મા (પુરુષ-બ્રહ્મ) છે, અને માતા -પ્રકૃતિ (માયા) છે.સત્વ,રજસ અને તમસ ગુણો-એ પ્રકૃતિ માંથી ઉત્પન્ન થયેલા છે-અને-તેઓ આ દેહમાં રહેલા –અવિનાશી જીવાત્મા (આત્મા) ને બાંધી નાખે છે. (બંધન માં નાખે છે.) ....(૪-૫)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌿🌿
શ્રીમદ ભગવદગીતા-૧૧૬-
અધ્યાય-૧૪-
ગુણત્રય વિભાગ યોગ-૨
ગુણો નાં –સત્વ,રજસ અને તમસ એવાં નામો છે-અને તે પ્રકૃતિ માંથી (માયામાંથી) ઉત્પન્ન થયેલા છે.(સત્વ=ઉત્તમ, રજસ=મધ્યમ અને તમસ=કનિષ્ઠ કહેવાય છે.)
આ ગુણો જીવાત્મા ને કેવી રીતે અને કેવું બંધન કરે છે-તે હવે પછી ના ત્રણ શ્લોક માં કહ્યું છે.
જયારે આત્મા શરીર માં (ક્ષેત્રમાં) પ્રવેશ કરે છે,અને તે પછી જો જીવ ને -શરીર ની મમતા કે“આ દેહ મારો છે” કે “હું” એવું અભિમાન (અહમ) આવતું નથી ત્યાં સુધી કોઈ બંધન નથી.પણ સત્વ-ગુણ ના સપાટા માં આવી ગયા પછી-મનુષ્ય “હું જ્ઞાની છું” એવી બૂમો મારે છે,અને
“મારા જેવો કોઈ બીજો જ્ઞાની નથી” તેવો દંભ આચરે છે. અને આ કારણથી –આત્મજ્ઞાન થી પ્રાપ્ત થતાસુખથી વંછિત થઇ જાય છે.પ્રવૃત્તિ માં તેને બાહ્યજ્ઞાનથી સુખ મળે છે-જે ટૂંક સમય માટે જ હોય છે.આવી રીતે-સત્વગુણ-જીવાત્મા ને સુખ તથા જ્ઞાન નું બંધન લગાડીને પોતાના કાબુ માં કરે છે..(૬)
રજોગુણ ના સપાટામાં જયારે મનુષ્ય આવે છે-ત્યારે તેને કામનાઓ-નો નાદ લાગે છે,મન ની “ઇચ્છાઓ” પવન ની જેમ અહીં તહીં ફરવા લાગે છે.દુઃખદાયક વિષયો પણ તેને સુખદાયક લાગે છે.અને ઇન્દ્ર ના જેટલી સુખની પ્રાપ્તિ થાય તો પણ તેનેતૃપ્તિ થતી નથી. હંમેશાં વિચારે છે-કે-મારી પાસેનું દ્રવ્ય આજે પૂરું થઇ જશે તો –આવતી કાલે મારી શું દશા થશે ?- અને એવા ભયથી જે –તૃષ્ણા ના બળથી નવા નવા ધંધાઓ –ઉદ્યોગો કરે છે.
થોડા પૈસા આવી ને કદાચ સુખી થાય તો પછી,સ્વર્ગ ની પ્રાપ્તિ ના ધાંધીયા માં લાગી જાય છે.પુણ્ય કમાવા –યજ્ઞો,વ્રતો દાનો વગેરે કરે છે.આવી રીતે તે મનુષ્ય (રજોગુણી મનુષ્ય) સંસાર અને સ્વર્ગ પ્રાપ્તિ માટે,અગ્નિ માં ભૂસકો મારવા માટે પણ આગળ પાછળ જોતો નથી, અને તૃષ્ણા ના સપાટા માં સપડાતાં –વ્યવહાર રૂપી-સાંકળ ને પોતાના ગળામાં બાંધી લે છે. એટલે કે રજોગુણ આમ –જીવાત્મા ને –વ્યવહાર રૂપી બંધન લગાડે છે .......(૭)
તમોગુણ ના સપાટા માં જયારે મનુષ્ય આવે છે-ત્યારે તેની વ્યવહાર વિષયક દૃષ્ટિ પણ મંદ થાય છે.નિંદ્રા,આળસ અને પ્રમાદ –આ ત્રણ પાસો વડે-તમોગુણ –જીવાત્મા ને બાંધે છે...............(૮)
જેવી રીતે ઉનાળો અને ચોમાસું વીતી ગયા પછી,ટાઢ પાડવા માંડતા-આકાશ માં શીતળતા પ્રસરી રહે છે-
તેવી રીતે-
--રજોગુણ અને તમોગુણ –કરતાં-સત્વગુણ અધિક વધે છે-ત્યારે “હું સુખી છું” એમ તે જીવાત્મા ના મુખેથી બોલાવે છે.
--સત્વગુણ અને રજોગુણ-કરતાં –તમોગુણ અધિક વધે છે-ત્યારે જીવાત્મામાં આળસ-પ્રમાદ- વધે છે.
--સત્વગુણ અને તમોગુણ –કરતાં-રજોગુણ અધિક વધે છે-ત્યારે જીવાત્માને કર્મ સિવાય બીજું કંઈસારું દેખાતું નથી.........................(૯-૧૦)
હવે પછી ના પાંચ શ્લોક માં (૧૧ થી ૧૫)
સત્વગુણ,રજોગુણ, અને તમોગુણ ની જયારે દેહમાં વૃદ્ધિ થાય છે-ત્યારે તે મનુષ્ય નાં લક્ષણો કેવાં હોય છે ?તેના વિષે વર્ણન કર્યું છે.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૧૧૭-
અધ્યાય-૧૪-
ગુણત્રય વિભાગ યોગ-૩
જે પ્રમાણે-વસંત ઋતુ માં ફૂલોની સુગંધી ચારે તરફ પ્રસરે છે-તે પ્રમાણે-જયારે સત્વગુણ આ દેહ માં વૃદ્ધિ પામે છે-ત્યારે-
--તે જીવાત્મા નું જ્ઞાન અંતર માંથી છલાછલ થઈને બહાર નીકળવા માંડે છે.
--તેની સર્વ ઇન્દ્રિયોમાં વિવેક પ્રસરી રહેલો હોય છે. સત્કર્મ કયાં? અને દુષ્કર્મ કયાં? તે ઇન્દ્રિયો જ જાણી જાય છે.એને વિચાર કરવાની પણ આવશ્યકતા રહેતી નથી.જેમકે-બોલવા જેવું ન હોય તેવું ભાષણ જીભ બોલતી નથી,કાન ને જે ના સાંભળવા જેવું હોય તે સાંભળતા જ નથી અને આંખ ને જે ના જોવા જેવું હોય તે જોતી જ નથી.
--જે પ્રમાણે –અંધકાર દીવા પાસે આવી શકતો નથી-તે પ્રમાણે-નિષિદ્ધ વ્યવહારો –તે જીવાત્મા ની ઇન્દ્રિયો ની નજીક આવતા જ નથી.
--સર્વ વાસનાનો લોપ (નાશ) થતાં,તેનું મન પ્રવૃત્તિ માર્ગ પર જતું નથી,તેના મન ને વિષયો નો કંટાળો આવે છે. તેની બધી વૃત્તિઓ જ્ઞાન માં જ વિકાસ પામે છે.
--મૃત્યુ બાદ આવા મનુષ્યો ને બ્રહ્મ-લોક (બ્રહ્મદેવ ના લોક) ની પ્રાપ્તિ થાય છે.જયારે રજોગુણ આ દેહમાં વૃદ્ધિ પામે છે-ત્યારે-
--તેની સર્વ ઇન્દ્રિયો સ્વછંદતાપૂર્વક વિષયો તરફ દોડતી હોય છે.જેમ બકરી તેને ફાવે ત્યાં ચરે છે-તેમ તે પોતાની ઈચ્છા પ્રમાણે ભોગ ભોગવે છે.
--તેનો લોભ એટલો વધે છે-કે-જે વસ્તુ તેના સપાટામાં ન આવી હોય તે જ માત્ર તેનાથી બચી જાય છે.
--ગમે તેવો ઉદ્યોગ તેની સામે આવે-તો તે કરવામાં તે પાછી પાની કરતો નથી.
--કોઈ એકાદ ભવ્ય મંદિર બંધાવવું,યજ્ઞ કરવો,તળાવ-કુવા બાંધવા,બાગો બનાવવા- વગેરે અગાધ કૃત્યો ને તે પોતાના હાથ માં લે છે.
--તેના મન કરતાં તેની ઈચ્છા ની દોડ આગળ હોય છે. અને તેની પ્રવૃત્તિ ને માટે સકળ વિશ્વ પૂરુ પડતું નથી.
--મૃત્યુ બાદ આવા લોકો કર્મો માં આસક્ત જનો માં જન્મે છે.જયારે તમોગુણ આ દેહમાં વૃદ્ધિ પામે છે-ત્યારે-
--તેને વિવેક હોતો નથી, તેને કામ કરવું ગમતું નથી,અને ઉદ્યોગ નો સદા માટે કંટાળો હોય છે.
--તેનામાં આળસ,પ્રમાદ અને મોહ-મુખ્ય હોય છે.
--મૃત્યુ બાદ આવા લોકો પશુ-ઈત્યાદી મૂઢ યોનિ માં જન્મે છે..................(૧૧ થી ૧૫)
એમ કહેવાય છે-કે-
--સત્વગુણ નું ફળ-સાત્વિક અને નિર્મળ હોય છે.સત્વગુણ થી જ્ઞાન ઉત્પન્ન થાય છે.અને દેવયોનિ મળે છે.
--રજોગુણ નું ફળ દુઃખ છે.રજોગુણ માંથી લોભ ઉત્પન્ન થાય છે.અને તેને મનુષ્યયોનિ મળે છે.
--તમોગુણ નું ફળ અજ્ઞાન છે.તમોગુણ થી અજ્ઞાન પેદા થાય છે.અને તેને પશુયોનિ મળે છે.(૧૬-૧૭-૧૮)
પણ.............
જીવાત્મા ને જયારે “જ્ઞાન”નો બોધ થાય છે (જયારે જ્ઞાન નો ઉદય થાય છે)-ત્યારે-તે જાણી જાય છે-કે-
“ગુણો (સત્વ,રજસ,તમસ) થી ચૈતન્ય (આત્મા-પરમાત્મા) ભિન્ન (જુદા) છે.અને તે “ગુણાતીત” બને છે.
જે પ્રમાણે નટ (નાટક નો કલાકાર) જયારે સ્ત્રીનો પાઠ ભજવે-ત્યારે તે સ્ત્રી ના “ગુણો” માં ફસાતો નથી,એટલે કે તે પોતાના પુરુષત્વ ને ભૂલતો નથી, અથવા-તો-જે પ્રમાણે “આકાશ” માં ત્રણ ઋતુઓ (શિયાળો,ઉનાળો,ચોમાસું) આવે અને જાય પણ તેનાથી તે અલિપ્ત છે-
તે પ્રમાણે-
તે જીવાત્મા –પોતાના “સ્વ-રૂપ” માં જ “સત્ય-બુદ્ધિ” ને રાખીને-તે ગુણો (સત્વ,રજસ,તમસ) ને જુએ છે.
ગુણો માં (સત્વ,રજસ,તમસ) વર્તતો હોવાં છતાં- તે “ગુણાતીત” રહીને “આત્મસ્વ-રૂપ” માં રત હોય છે.પણ તેનો “સ્વ-રૂપ વિષયક અહંકાર” કાયમ જ હોય છે,અને તે –સ્થળેથી (સ્વરૂપવિષયક અહંકારથી) નિરીક્ષણ કરીને તે કહે છે-કે- “હું કર્મ નો કર્તા નથી,હું માત્ર સાક્ષીભૂત છું, સર્વ ક્રિયાઓને -ગુણ (સત્વ,રજસ,તમસ) ઉત્પન્ન કરે છે.”આત્મા (પરમાત્મા) ની –તો માત્ર “સત્તા” છે-કે જે “સત્તા” થી સર્વ “કર્મો” થાય છે, “ગુણો” વૃદ્ધિ પામે છે.અને આ “ગુણો” નો નાશ થયા પછી જે-બાકી રહે છે-તે “આત્મ-તત્વ” જ છે.
બીજી રીતે કહીએ –તો- આત્મ-તત્વ ના પ્રકાશ થી જ “ગુણો” દૃષ્ટિગોચર (દેખાય) છે.અને આ “જ્ઞાન” જે જીવાત્મા ના હૃદય માં ઉદય પામે છે-તે “ગુણાતીત”(ગુણો થી પર) છે......(૧૯)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૯૮-
અધ્યાય-૧૦-
વિભૂતિયોગ-૪
પરમાત્મા (શ્રીકૃષ્ણ-બ્રહ્મ-ઈશ્વર)ની મુખ્ય-મુખ્ય વિભૂતિઓ કઈ કઈ છે ?
અથવા તો –
પરમાત્મા ક્યાં ક્યાં વિરાજેલા છે ? તો શ્રીકૃષ્ણ (પરમાત્મા-બ્રહ્મ) કહે છે-કે-
---પ્રત્યેક જીવમાં (પ્રાણીમાં) જે -આત્મા -છે –તે હું (પરમાત્મા) છું. અને -તે સર્વ જીવો (પ્રાણીઓ) નો આદિ-મધ્ય અને અંત પણ હું છું.................(૨૦)
---બાર આદિત્યોમાં (અદિતિ ના બાર પુત્રો) માં- વિષ્ણુ (વામન અવતાર) હું છું.
- તેજસ્વી વસ્તુઓમાં કિરણોવાળો સૂર્ય હું છું.
-૪૯ –મરુદગણો માં (વાયુદેવતાઓ માં)- મરીચિ- હું છું.
-આકાશમાંના નક્ષત્રો માં -ચંદ્ર -હું છું.......................................................(૨૧)
---વેદો માં- સામવેદ- હું છું.
-દેવો માં –ઇન્દ્ર- હું છું.
-ઇન્દ્રિયો માં –મન- હું છું.
-સર્વ પ્રાણીઓ (જીવો) માં –ચેતના (જ્ઞાન) શક્તિ-હું છું..............................(૨૨)
---૧૧-રુદ્રોમાં –શંકર-હું છું.
-યક્ષ-રાક્ષસો માં ધન નો સ્વામી –કુબેર-હું છું.
-૮-વસુઓ માં –અગ્નિ- હું છું.
-શિખરધારી સર્વ પર્વતો માં ઉચ્ચ –મેરુ પર્વત- હું છું.................................(૨૩)
---પુરોહિતો માં (ગુરુઓમાં) –બૃહસ્પતિ-હું છું.
-સેનાપતિઓમાં –કાર્તિક સ્વામી-હું છું.
-જળાશયોમાં –સમુદ્ર-હું છું.
-સિદ્ધ મહર્ષિઓમાં –ભૃગુઋષિ-હું છું.
-વાણી માં (ધ્વનિમાં) એકાક્ષર – ॐ કાર –હું છું.
-સર્વ પ્રકાર ના યજ્ઞો માં –જપયજ્ઞ-હું છું.
-અચળ વસ્તુઓ માં- હિમાલય- હું છું.....................................................(૨૪-૨૫)
---સર્વ વૃક્ષો માં –પીપળો-હું છું.
-દેવર્ષિ ઓમાં –નારદ-હું છું.
-ગંધર્વોમાં –ચિત્રરથ-હું છું.
-સિદ્ધો માં –કપિલમુનિ –હું છું.
-અશ્વો માં (ઘોડાઓમાં) –ઉચ્ચૈશ્રવા-અશ્વ હું છું,
-હાથી ઓમાં –ઐરાવત- હાથી હું છું.
-મનુષ્યોમાં-રાજા-હું છું...........................................................................(૨૬-૨૭)
---આયુધોમાં (શસ્ત્રોમાં) –વજ્ર-હું છું.
-ગાયોમાં –કામધેનું-હું છું.
-પ્રજા ને ઉત્પન્ન કરનાર માં-મદન-હું છું.
-સર્પોમાં-વાસુકિ- હું છું.
-નાગો માં-નાગરાજ અનંત (શેષ)-હું છું.
-જળદેવતાઓમાં-વરુણ-હું છું.
-પિતૃગણોમાં (પિતૃ દેવતાઓમાં) –અર્યમા-હું છું.
-નિયંત્રકો (નિયમન કરનારા) માં-યમ-હું છું...............................................(૨૮-૨૯)
---દૈત્યો માં –પ્રહલાદ-હું છું.
-કાળ ની (સમયની) ગણત્રી કરનારાઓમાં –કાળ-હું છું.
-પશુઓ માં –સિંહ- અને પક્ષીઓમાં-ગરુડ- હું છું..............................................(૩૦)
---પવિત્ર કરનારી વસ્તુઓમાં –વાયુ-હું છું.
-શસ્ત્રધરોમાં –રામ-હું છું.
-મત્સ્યોમાં-મકર-હું છું અને
-નદીઓમાં –ભાગીરથી (ગંગા હું છું..............................................................(૩૧)
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌳
[2:04PM, 02/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૯૯-
અધ્યાય-૧૦-
વિભૂતિયોગ-૫
---સૃષ્ટિઓનો –આદિ-મધ્ય-અંત-હું છું.
-વિદ્યાઓમાં –બ્રહ્મ વિદ્યા (અધ્યાત્મવિદ્યા)-હું છું.
-‘તત્વ-નિર્ણય’ ને જાણવાની ઈચ્છા થી કરવા માં આવતો –વાદ-હું છું.
-અક્ષરો માં –અ-કાર-હું છું.અને સમાસો માં –દ્વંદ-નામનો સમાસ હું છું.
-સર્વ ને (કીડી થી લઈને બ્રહ્મદેવને) ગ્રસનાર-મહાકાળ-હું છું...........(૩૨-૩૩)
---સર્વ નો સંહાર કરનાર –મૃત્યુ –હું છું
-ભવિષ્ય માં થનારાં પ્રાણીઓ નું ઉત્પત્તિ અને ઉન્નતિનો-હેતુ-હું છું.
-સ્ત્રી જાતિ ની સાત શક્તિ ઓ
કીર્તિ,લક્ષ્મી,વાણી,સ્મૃતિ,બુદ્ધિ,ધૃતિ,ધૈર્ય,ક્ષમા-હું છું....(૩૪)
---સામવેદ માં નો-બૃહ્ત્સામ-હું છું.
-છંદોમાં –ગાયત્રી છંદ-હું છું.
-મહિનાઓમાં-માર્ગશીર્ષ-માસ હું છું
-ઋતુઓમાં –વસંત ઋતુ-હું છું...........................................................................(૩૫)
---છળ કરનારાઓમાં –જુગાર-હું છું.
-પ્રભાવશાળી પુરુષોનો-પ્રભાવ-હું છું.
-જીતનારાઓ નો –વિજય-હું છું.
-નિશ્ચય કરનારાઓનો-નિશ્ચય-હું છું.
-સાત્વિક પુરુષોનો-સાત્વિક ભાવ-હું છું.
-યાદવો માં-વાસુદેવ-હું છું.
-પાંડવો માં –ધનંજય ( (અર્જુન) હું છું.
-મુનિઓ માં –વેદવ્યાસ-હું છું
-કવિઓ માં –ઉશના- હું છું. (ઉશના=શુક્રાચાર્ય-કે જે વારુણી કવિ નો પુત્ર હતો)..........(૩૬-૩૭)
---દમન કરનારાઓમાં –દંડ-હું છું.
-જય મેળવવાની ઈચ્છા રાખનારાઓ ની –નીતિ-હું છું.
-ગુપ્ત (ગુહ્ય) રાખવા યોગ્ય ભાવો માં-મૌન-હું છું.
-જ્ઞાનવાનોનું -તત્વજ્ઞાન-હું છું...............................................................................(૩૮)
જેવી રીતે સમુદ્ર પરનાં તરંગો ની ગણત્રી ક્યારેય થઇ શકે નહિ-તેવી રીતે
પરમાત્મા ની ગુણ-વિશેષ વિભૂતિઓ ની ગણત્રી કદી પણ થઇ શકતી નથી.
આવી વસ્તુ સ્થિતિ હોવાં છતાં અહીં મુખ્ય-મુખ્ય પંચોતેર (૭૫) વિભૂતિઓ બતાવી છે.
બાકી પરમાત્મા સિવાય હોઈ શકે એવાં જગત માં ચરાચર પ્રાણીઓ કોઇ જ નથી.
પરમાત્મા ની દિવ્ય વિભૂતિઓ નો અંત નથી...............................................................(૩૯-૪૦)
ટૂંક માં જે જે વસ્તુ-ઐશ્વર્યયુક્ત,શોભાયુક્ત અથવા કોઈ પણ પ્રભાવ થી યુક્ત હોય-
તે તે પરમાત્મા ના “તેજ ના અંશ” માંથી ઉત્પન્ન થયેલી છે...............................................(૪૧)
પૂર્ણ પરમાત્મા એ આ સંપૂર્ણ જગત ને પોતાની “યોગમાયા” ના “અંશમાત્ર” થી ધારણ કરી ને
સ્થિત થયેલા છે-માટે તે પરમાત્મા ને જ “તત્વ” થી જાણવા જોઈએ.................................(૪૨)
અધ્યાય-૧૦-વિભૂતિયોગ-સમાપ્ત
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[10:19PM, 02/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૯૮-
અધ્યાય-૧૦-
વિભૂતિયોગ-૪
પરમાત્મા (શ્રીકૃષ્ણ-બ્રહ્મ-ઈશ્વર)ની મુખ્ય-મુખ્ય વિભૂતિઓ કઈ કઈ છે ?
અથવા તો –
પરમાત્મા ક્યાં ક્યાં વિરાજેલા છે ? તો શ્રીકૃષ્ણ (પરમાત્મા-બ્રહ્મ) કહે છે-કે-
---પ્રત્યેક જીવમાં (પ્રાણીમાં) જે -આત્મા -છે –તે હું (પરમાત્મા) છું. અને -તે સર્વ જીવો (પ્રાણીઓ) નો આદિ-મધ્ય અને અંત પણ હું છું.................(૨૦)
---બાર આદિત્યોમાં (અદિતિ ના બાર પુત્રો) માં- વિષ્ણુ (વામન અવતાર) હું છું.
- તેજસ્વી વસ્તુઓમાં કિરણોવાળો સૂર્ય હું છું.
-૪૯ –મરુદગણો માં (વાયુદેવતાઓ માં)- મરીચિ- હું છું.
-આકાશમાંના નક્ષત્રો માં -ચંદ્ર -હું છું.......................................................(૨૧)
---વેદો માં- સામવેદ- હું છું.
-દેવો માં –ઇન્દ્ર- હું છું.
-ઇન્દ્રિયો માં –મન- હું છું.
-સર્વ પ્રાણીઓ (જીવો) માં –ચેતના (જ્ઞાન) શક્તિ-હું છું..............................(૨૨)
---૧૧-રુદ્રોમાં –શંકર-હું છું.
-યક્ષ-રાક્ષસો માં ધન નો સ્વામી –કુબેર-હું છું.
-૮-વસુઓ માં –અગ્નિ- હું છું.
-શિખરધારી સર્વ પર્વતો માં ઉચ્ચ –મેરુ પર્વત- હું છું.................................(૨૩)
---પુરોહિતો માં (ગુરુઓમાં) –બૃહસ્પતિ-હું છું.
-સેનાપતિઓમાં –કાર્તિક સ્વામી-હું છું.
-જળાશયોમાં –સમુદ્ર-હું છું.
-સિદ્ધ મહર્ષિઓમાં –ભૃગુઋષિ-હું છું.
-વાણી માં (ધ્વનિમાં) એકાક્ષર – ॐ કાર –હું છું.
-સર્વ પ્રકાર ના યજ્ઞો માં –જપયજ્ઞ-હું છું.
-અચળ વસ્તુઓ માં- હિમાલય- હું છું.....................................................(૨૪-૨૫)
---સર્વ વૃક્ષો માં –પીપળો-હું છું.
-દેવર્ષિ ઓમાં –નારદ-હું છું.
-ગંધર્વોમાં –ચિત્રરથ-હું છું.
-સિદ્ધો માં –કપિલમુનિ –હું છું.
-અશ્વો માં (ઘોડાઓમાં) –ઉચ્ચૈશ્રવા-અશ્વ હું છું,
-હાથી ઓમાં –ઐરાવત- હાથી હું છું.
-મનુષ્યોમાં-રાજા-હું છું...........................................................................(૨૬-૨૭)
---આયુધોમાં (શસ્ત્રોમાં) –વજ્ર-હું છું.
-ગાયોમાં –કામધેનું-હું છું.
-પ્રજા ને ઉત્પન્ન કરનાર માં-મદન-હું છું.
-સર્પોમાં-વાસુકિ- હું છું.
-નાગો માં-નાગરાજ અનંત (શેષ)-હું છું.
-જળદેવતાઓમાં-વરુણ-હું છું.
-પિતૃગણોમાં (પિતૃ દેવતાઓમાં) –અર્યમા-હું છું.
-નિયંત્રકો (નિયમન કરનારા) માં-યમ-હું છું...............................................(૨૮-૨૯)
---દૈત્યો માં –પ્રહલાદ-હું છું.
-કાળ ની (સમયની) ગણત્રી કરનારાઓમાં –કાળ-હું છું.
-પશુઓ માં –સિંહ- અને પક્ષીઓમાં-ગરુડ- હું છું..............................................(૩૦)
---પવિત્ર કરનારી વસ્તુઓમાં –વાયુ-હું છું.
-શસ્ત્રધરોમાં –રામ-હું છું.
-મત્સ્યોમાં-મકર-હું છું અને
-નદીઓમાં –ભાગીરથી (ગંગા હું છું..............................................................(૩૧)
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌳
[10:19PM, 02/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૯૯-
અધ્યાય-૧૦-
વિભૂતિયોગ-૫
---સૃષ્ટિઓનો –આદિ-મધ્ય-અંત-હું છું.
-વિદ્યાઓમાં –બ્રહ્મ વિદ્યા (અધ્યાત્મવિદ્યા)-હું છું.
-‘તત્વ-નિર્ણય’ ને જાણવાની ઈચ્છા થી કરવા માં આવતો –વાદ-હું છું.
-અક્ષરો માં –અ-કાર-હું છું.અને સમાસો માં –દ્વંદ-નામનો સમાસ હું છું.
-સર્વ ને (કીડી થી લઈને બ્રહ્મદેવને) ગ્રસનાર-મહાકાળ-હું છું...........(૩૨-૩૩)
---સર્વ નો સંહાર કરનાર –મૃત્યુ –હું છું
-ભવિષ્ય માં થનારાં પ્રાણીઓ નું ઉત્પત્તિ અને ઉન્નતિનો-હેતુ-હું છું.
-સ્ત્રી જાતિ ની સાત શક્તિ ઓ
કીર્તિ,લક્ષ્મી,વાણી,સ્મૃતિ,બુદ્ધિ,ધૃતિ,ધૈર્ય,ક્ષમા-હું છું....(૩૪)
---સામવેદ માં નો-બૃહ્ત્સામ-હું છું.
-છંદોમાં –ગાયત્રી છંદ-હું છું.
-મહિનાઓમાં-માર્ગશીર્ષ-માસ હું છું
-ઋતુઓમાં –વસંત ઋતુ-હું છું...........................................................................(૩૫)
---છળ કરનારાઓમાં –જુગાર-હું છું.
-પ્રભાવશાળી પુરુષોનો-પ્રભાવ-હું છું.
-જીતનારાઓ નો –વિજય-હું છું.
-નિશ્ચય કરનારાઓનો-નિશ્ચય-હું છું.
-સાત્વિક પુરુષોનો-સાત્વિક ભાવ-હું છું.
-યાદવો માં-વાસુદેવ-હું છું.
-પાંડવો માં –ધનંજય ( (અર્જુન) હું છું.
-મુનિઓ માં –વેદવ્યાસ-હું છું
-કવિઓ માં –ઉશના- હું છું. (ઉશના=શુક્રાચાર્ય-કે જે વારુણી કવિ નો પુત્ર હતો)..........(૩૬-૩૭)
---દમન કરનારાઓમાં –દંડ-હું છું.
-જય મેળવવાની ઈચ્છા રાખનારાઓ ની –નીતિ-હું છું.
-ગુપ્ત (ગુહ્ય) રાખવા યોગ્ય ભાવો માં-મૌન-હું છું.
-જ્ઞાનવાનોનું -તત્વજ્ઞાન-હું છું...............................................................................(૩૮)
જેવી રીતે સમુદ્ર પરનાં તરંગો ની ગણત્રી ક્યારેય થઇ શકે નહિ-તેવી રીતે
પરમાત્મા ની ગુણ-વિશેષ વિભૂતિઓ ની ગણત્રી કદી પણ થઇ શકતી નથી.
આવી વસ્તુ સ્થિતિ હોવાં છતાં અહીં મુખ્ય-મુખ્ય પંચોતેર (૭૫) વિભૂતિઓ બતાવી છે.
બાકી પરમાત્મા સિવાય હોઈ શકે એવાં જગત માં ચરાચર પ્રાણીઓ કોઇ જ નથી.
પરમાત્મા ની દિવ્ય વિભૂતિઓ નો અંત નથી...............................................................(૩૯-૪૦)
ટૂંક માં જે જે વસ્તુ-ઐશ્વર્યયુક્ત,શોભાયુક્ત અથવા કોઈ પણ પ્રભાવ થી યુક્ત હોય-
તે તે પરમાત્મા ના “તેજ ના અંશ” માંથી ઉત્પન્ન થયેલી છે...............................................(૪૧)
પૂર્ણ પરમાત્મા એ આ સંપૂર્ણ જગત ને પોતાની “યોગમાયા” ના “અંશમાત્ર” થી ધારણ કરી ને
સ્થિત થયેલા છે-માટે તે પરમાત્મા ને જ “તત્વ” થી જાણવા જોઈએ.................................(૪૨)
અધ્યાય-૧૦-વિભૂતિયોગ-સમાપ્ત
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[10:37PM, 07/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૧૦૮-
અધ્યાય-૧૩-
ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૨
ક્ષેત્ર (શરીર) જે તત્વો નું બનેલું છે-તે એક એક તત્વ નાં લક્ષણો અનેતે તત્વ ના વિકારો,વિષે-જ્ઞાનેશ્વરે વિગત થી વર્ણન કર્યું છે,આગળ બતાવ્યું તેમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ નું જ્ઞાન તે “જ્ઞાન” છે.અને હવે -આ જ્ઞાન જેને થયું હોય (જેના હૃદય માં જ્ઞાન ની પ્રાપ્તિ થઇ હોય) –તેવા મનુષ્ય નાં લક્ષણો વિષે નું વર્ણન છે.
જેમ-વૃક્ષો ની પ્રફુલ્લતાથી -વસંત ઋતુ નો પ્રારંભ થયો છે-એમ સમજાય છે-તેમ-ઇન્દ્રિયોના આચરણ પરથી-તે મનુષ્ય ને–“જ્ઞાન-પ્રાપ્તિ થઇ છે”-એમ સમજાય છે.
--માન ની ઈચ્છા નો લોપ (નાશ) (પોતાનાં વખાણ જેને બોજા જેવાં લાગે છે)
--દામ્ભિકતા નો અભાવ (જે દંભ કરતો નથી)
--અહિંસા (જીવ માત્ર ને કોઈ પણ રીતે-શરીર થી કે મનથી- સતાવતો નથી)
--ક્ષમા ભાવ (શાંત રહી –કોઈ પણ જીવે કરેલા અપકૃત્ય પ્રત્યે ક્ષમાભાવ)
--સરળતા (મન અને વાણી જેની સરળ છે)
--આચાર્યોપાસન (શ્રદ્ધા અને ભક્તિ સહિત સદગુરૂ ની સેવા-કે-જેનાથી અહમ મુક્ત થયો છે તે)
--અંતર્બાહ્ય પવિત્રતા (વિકારો નો નાશ –તે અંદર ની શુદ્ધિ-શરીર ની શુદ્ધિ- તે બહાર ની શુદ્ધિ)
--સ્થિરતા (ઇન્દ્રિયો પર વિષય-વિકાર ના તરંગો અથડાય –પણ જેનું મન સ્થિર રહે છે-તે)
--આત્મ સંયમ (ઇન્દ્રિયો નો નિગ્રહ)
--વિષયો માં વિરક્તિ (વિષયો-પરત્યે વૈરાગ્ય –અનાસક્તિ)
--અહંતા નો અભાવ (જેનામાં લેશમાત્ર અહમ નથી તે)
--જન્મ,મૃત્યુ,જરા (વૃદ્ધત્વ) અને વ્યાધિ ને –તે શરીર ના દોષો જ છે-તે રીતે જોવું તે
--સર્વત્ર ઉદાસીનતા (મારું કશું નથી-સર્વ પરમાત્મા નું જ છે-તેમ સમજીને સર્વ સાથે ઉદાસીન વર્તન)
--સ્ત્રી,પુત્ર,ઘર –વગેરેમાં અનાશક્તિ
--ઇષ્ટ કે અનિષ્ટ ની પ્રાપ્તિ થાય તો પણ મન અવિચળ રહે છે-તે-
--પરમાત્મા માં અનન્ય (ભાવયુક્ત-નિર્દોષ) ભક્તિ-
--એકાંતવાસ પર પ્રેમ અને લોકસમુદાય માં રહેવા પ્રત્યે અપ્રીતિ છે-તે-
--અધ્યાત્મ જ્ઞાન માં નિમગ્ન (આત્મ અને અનાત્મ –વસ્તુ જાણી શકાય તે અધ્યાત્મજ્ઞાન)
--પારમાર્થિક (પરમ અર્થ=પરમાત્મા) જ્ઞાન નો જે ને સાક્ષાત્કાર થયો છે-તે-
ઉપરનાં જે લક્ષણો બતાવ્યાં છે-તે જ્ઞાન ની પ્રાપ્તિ કરાવી આપનારાં છે.એટલા માટે તેને “જ્ઞાન” ની સંજ્ઞા પ્રાપ્ત થઇ છે .(જેને “જ્ઞાન” તરીકે કહેવામાં આવે છે)અને આ લક્ષણો થી વિરુદ્ધ (વિપરીત) છે-તે (માન-દંભ-હિંસા-વગેરે)“અજ્ઞાન” છે...(૮ થી ૧૨)
ઉપરનાં જે જ્ઞાની ઓ નાં લક્ષણો છે-તે એક એક લક્ષણનું વિસ્તૃતતા થી અનેતેનાથી વિરુદ્ધ જે અજ્ઞાનીઓના લક્ષણો છે તેનું પણ વિસ્તૃતતાથી વર્ણન કર્યું છે.
જ્ઞાન ના વિષે કહ્યા પછી શ્રીકૃષ્ણ હવે જ્ઞેય વિષે કહે છે.
જ્ઞેય –એટલે કે –જે જાણવા યોગ્ય છે તે (બ્રહ્મ-પરમાત્મા)-કે જેને જાણવાથી મોક્ષ મળે છે.
અનાદિ (જેને આદિ-પ્રારંભ- નથી તે) –સર્વોત્કૃષ્ટ બ્રહ્મ (પરમાત્મા) નું –સત કે અસત્- એવા શબ્દો થી વર્ણન થઇ શકે નહિ.....(૧૩)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌿
[10:37PM, 07/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૧૦૯
અધ્યાય-૧૩-
ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૩
જ્ઞેય એટલે પરમાત્મ-વસ્તુ, (જે જાણવા યોગ્ય છે તે)તેને જ્ઞેય કહેવાનું કારણ એટલું જ છે-કે-
તે જ્ઞાન (બ્રહ્મજ્ઞાન) સિવાય બીજા કોઈ પણ ઉપાય થી પ્રાપ્ત થઇ શકે તેમ નથી.અને તે (જ્ઞેય) જાણવામાં આવી ગયા પછી મુમુક્ષુ (મોક્ષ ઇચ્છનાર મનુષ્ય) ને –કોઈ પણ પ્રકારનું કર્તવ્યકરવાનું બાકી રહેતું નથી,કારણકે તેનું જ્ઞાન (બ્રહ્મજ્ઞાન) જ તેને તદ્રુપતામાં લઇ જાય છે.અને તે પરમાનંદ માં નિમગ્ન થાય છે.
આ જ્ઞેય (પરમાત્મ વસ્તુ-બ્રહ્મ) એવું છે-કે-જેને કોઈ આદિ (પ્રારંભ) નથી. તે “બ્રહ્મ” ને-
“તે નથી” એમ કહી શકાતું નથી-કારણ-–તે વિશ્વરૂપે દ્રષ્ટિગોચર થયા કરે છે.(વિશ્વરૂપે આંખથી દેખાય છે)
“તે છે” એમ પણ કહી શકાતું નથી.કારણ કે જો વિશ્વરૂપે જે દેખાય છે-તે વિશ્વ જ પરબ્રહ્મ છે-
એમ કહેવામાં આવે તો-તે સત્ય નથી,કેમકે વિશ્વ એ તો “માયા” છે.તેને (બ્રહ્મને) રૂપ,વર્ણ કે આકાર નથી, તે આંખ થી કોઈને દેખાતું નથી, તો પછી વિશ્વ-કે જે આંખ થી દેખાય છે-તેને “તે છે” એમ કેમ કહી શકાય ?.
આમ “બ્રહ્મ” ને “તે છે” (સત્) –કે- “તે નથી” (અસત્) –એમ શબ્દો થી-કહી શકાતું નથી. અને એ કારણ થી જ તેના વિષે -વેદો ની વાણી મૂક (મૂંગી) થઇ છે.
હવે પછી ના શ્લોક માં કહે છે-કે-
“ આ જગતમાં તેને (બ્રહ્મ-પરમાત્મા-ને) સર્વ બાજુએ હાથ તથા પગ છે,સર્વ બાજુએ આંખો,મસ્તકો,મુખો અને કાનો છે. તે સર્વત્ર વ્યાપક છે”.....(૧૪)
પરમાત્મા ના “વ્યાપક-તત્વ” ને સમજાવવા માટે જ –અહીં તેને અવયવો વાળો (આંખ,નાક કાન વગેરે)બતાવ્યો છે. પણ હકીકત માં બ્રહ્મ (પરમાત્મા) નિરાકાર હોવાથી –તેને અવયવો હોવા સંભવ નથી.આ રીતે બ્રહ્મ નો વ્યાપક-ભાવ બતાવવા –બ્રહ્મ નું આવું અવયવ વાળું –બતાવવું શા માટે હશે?
આવો કોઈ ને પ્રશ્ન થાય તો- તેનો જવાબ –એ- છે-કે-
જે પ્રમાણે-હિસાબ (એકાઉન્ટીંગ) કરતી વખતે-શૂન્ય બતાવવા માટે વર્તુળઆકૃતિ (૦-મીંડું)કાઢવામાં આવે છેએટલે કે આંકડા નો કોઈ આકાર લખી ને બતાવવો પડે છે-તે પ્રમાણે-અદ્વૈત (એક) કે જે નિરાકાર છે-તેનું સ્પષ્ટીકરણ કરવા માટે દ્વૈત (બે) કે જે આકારવાળું છે.તેનો સ્વીકાર કરી ને જ –તેનું સ્પષ્ટીકરણ કરવું પડે છે.
સદગુરુઓ,શિષ્ય ને યથાર્થ બોધ આપવા માટે જ –પરમાત્મા ના વ્યાપક સ્વરૂપ ને –દ્વૈત રૂપે-
અવયવો (આકાર) વાળું બતાવે છે.અને પછી અદ્વૈત ના વિષે સમજાવે છે.
જો સર્વ મનુષ્યો-અદ્વૈત ને સીધું જ- સમજી જાય તો-ગુરૂ-શિષ્ય ના સંપ્રદાયો બંધ પડી જાય. દ્વૈત અને અદ્વૈત ના ભાષણોની સમાપ્તિ થઇ જાય.અને એટલા માટે જશ્રુતિ એ પણ દ્વૈત (પરમાત્મા ના સાકાર) વિષય નું સ્પષ્ટીકરણ કરી ને જ –અદ્વૈત (એક- નિરાકાર -પરમાત્મા) નું પ્રતિપાદન કરવાનો –રાજમાર્ગ શરુ કર્યો છે-અપનાવ્યો છે.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[2:14PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌿🌿
શ્રીમદ ભગવદગીતા-૧૧૬-
અધ્યાય-૧૪-
ગુણત્રય વિભાગ યોગ-૨
ગુણો નાં –સત્વ,રજસ અને તમસ એવાં નામો છે-અને તે પ્રકૃતિ માંથી (માયામાંથી) ઉત્પન્ન થયેલા છે.(સત્વ=ઉત્તમ, રજસ=મધ્યમ અને તમસ=કનિષ્ઠ કહેવાય છે.)
આ ગુણો જીવાત્મા ને કેવી રીતે અને કેવું બંધન કરે છે-તે હવે પછી ના ત્રણ શ્લોક માં કહ્યું છે.
જયારે આત્મા શરીર માં (ક્ષેત્રમાં) પ્રવેશ કરે છે,અને તે પછી જો જીવ ને -શરીર ની મમતા કે“આ દેહ મારો છે” કે “હું” એવું અભિમાન (અહમ) આવતું નથી ત્યાં સુધી કોઈ બંધન નથી.પણ સત્વ-ગુણ ના સપાટા માં આવી ગયા પછી-મનુષ્ય “હું જ્ઞાની છું” એવી બૂમો મારે છે,અને
“મારા જેવો કોઈ બીજો જ્ઞાની નથી” તેવો દંભ આચરે છે. અને આ કારણથી –આત્મજ્ઞાન થી પ્રાપ્ત થતાસુખથી વંછિત થઇ જાય છે.પ્રવૃત્તિ માં તેને બાહ્યજ્ઞાનથી સુખ મળે છે-જે ટૂંક સમય માટે જ હોય છે.આવી રીતે-સત્વગુણ-જીવાત્મા ને સુખ તથા જ્ઞાન નું બંધન લગાડીને પોતાના કાબુ માં કરે છે..(૬)
રજોગુણ ના સપાટામાં જયારે મનુષ્ય આવે છે-ત્યારે તેને કામનાઓ-નો નાદ લાગે છે,મન ની “ઇચ્છાઓ” પવન ની જેમ અહીં તહીં ફરવા લાગે છે.દુઃખદાયક વિષયો પણ તેને સુખદાયક લાગે છે.અને ઇન્દ્ર ના જેટલી સુખની પ્રાપ્તિ થાય તો પણ તેનેતૃપ્તિ થતી નથી. હંમેશાં વિચારે છે-કે-મારી પાસેનું દ્રવ્ય આજે પૂરું થઇ જશે તો –આવતી કાલે મારી શું દશા થશે ?- અને એવા ભયથી જે –તૃષ્ણા ના બળથી નવા નવા ધંધાઓ –ઉદ્યોગો કરે છે.
થોડા પૈસા આવી ને કદાચ સુખી થાય તો પછી,સ્વર્ગ ની પ્રાપ્તિ ના ધાંધીયા માં લાગી જાય છે.પુણ્ય કમાવા –યજ્ઞો,વ્રતો દાનો વગેરે કરે છે.આવી રીતે તે મનુષ્ય (રજોગુણી મનુષ્ય) સંસાર અને સ્વર્ગ પ્રાપ્તિ માટે,અગ્નિ માં ભૂસકો મારવા માટે પણ આગળ પાછળ જોતો નથી, અને તૃષ્ણા ના સપાટા માં સપડાતાં –વ્યવહાર રૂપી-સાંકળ ને પોતાના ગળામાં બાંધી લે છે. એટલે કે રજોગુણ આમ –જીવાત્મા ને –વ્યવહાર રૂપી બંધન લગાડે છે .......(૭)
તમોગુણ ના સપાટા માં જયારે મનુષ્ય આવે છે-ત્યારે તેની વ્યવહાર વિષયક દૃષ્ટિ પણ મંદ થાય છે.નિંદ્રા,આળસ અને પ્રમાદ –આ ત્રણ પાસો વડે-તમોગુણ –જીવાત્મા ને બાંધે છે...............(૮)
જેવી રીતે ઉનાળો અને ચોમાસું વીતી ગયા પછી,ટાઢ પાડવા માંડતા-આકાશ માં શીતળતા પ્રસરી રહે છે-
તેવી રીતે-
--રજોગુણ અને તમોગુણ –કરતાં-સત્વગુણ અધિક વધે છે-ત્યારે “હું સુખી છું” એમ તે જીવાત્મા ના મુખેથી બોલાવે છે.
--સત્વગુણ અને રજોગુણ-કરતાં –તમોગુણ અધિક વધે છે-ત્યારે જીવાત્મામાં આળસ-પ્રમાદ- વધે છે.
--સત્વગુણ અને તમોગુણ –કરતાં-રજોગુણ અધિક વધે છે-ત્યારે જીવાત્માને કર્મ સિવાય બીજું કંઈસારું દેખાતું નથી.........................(૯-૧૦)
હવે પછી ના પાંચ શ્લોક માં (૧૧ થી ૧૫)
સત્વગુણ,રજોગુણ, અને તમોગુણ ની જયારે દેહમાં વૃદ્ધિ થાય છે-ત્યારે તે મનુષ્ય નાં લક્ષણો કેવાં હોય છે ?તેના વિષે વર્ણન કર્યું છે.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:14PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૧૧૭-
અધ્યાય-૧૪-
ગુણત્રય વિભાગ યોગ-૩
જે પ્રમાણે-વસંત ઋતુ માં ફૂલોની સુગંધી ચારે તરફ પ્રસરે છે-તે પ્રમાણે-જયારે સત્વગુણ આ દેહ માં વૃદ્ધિ પામે છે-ત્યારે-
--તે જીવાત્મા નું જ્ઞાન અંતર માંથી છલાછલ થઈને બહાર નીકળવા માંડે છે.
--તેની સર્વ ઇન્દ્રિયોમાં વિવેક પ્રસરી રહેલો હોય છે. સત્કર્મ કયાં? અને દુષ્કર્મ કયાં? તે ઇન્દ્રિયો જ જાણી જાય છે.એને વિચાર કરવાની પણ આવશ્યકતા રહેતી નથી.જેમકે-બોલવા જેવું ન હોય તેવું ભાષણ જીભ બોલતી નથી,કાન ને જે ના સાંભળવા જેવું હોય તે સાંભળતા જ નથી અને આંખ ને જે ના જોવા જેવું હોય તે જોતી જ નથી.
--જે પ્રમાણે –અંધકાર દીવા પાસે આવી શકતો નથી-તે પ્રમાણે-નિષિદ્ધ વ્યવહારો –તે જીવાત્મા ની ઇન્દ્રિયો ની નજીક આવતા જ નથી.
--સર્વ વાસનાનો લોપ (નાશ) થતાં,તેનું મન પ્રવૃત્તિ માર્ગ પર જતું નથી,તેના મન ને વિષયો નો કંટાળો આવે છે. તેની બધી વૃત્તિઓ જ્ઞાન માં જ વિકાસ પામે છે.
--મૃત્યુ બાદ આવા મનુષ્યો ને બ્રહ્મ-લોક (બ્રહ્મદેવ ના લોક) ની પ્રાપ્તિ થાય છે.જયારે રજોગુણ આ દેહમાં વૃદ્ધિ પામે છે-ત્યારે-
--તેની સર્વ ઇન્દ્રિયો સ્વછંદતાપૂર્વક વિષયો તરફ દોડતી હોય છે.જેમ બકરી તેને ફાવે ત્યાં ચરે છે-તેમ તે પોતાની ઈચ્છા પ્રમાણે ભોગ ભોગવે છે.
--તેનો લોભ એટલો વધે છે-કે-જે વસ્તુ તેના સપાટામાં ન આવી હોય તે જ માત્ર તેનાથી બચી જાય છે.
--ગમે તેવો ઉદ્યોગ તેની સામે આવે-તો તે કરવામાં તે પાછી પાની કરતો નથી.
--કોઈ એકાદ ભવ્ય મંદિર બંધાવવું,યજ્ઞ કરવો,તળાવ-કુવા બાંધવા,બાગો બનાવવા- વગેરે અગાધ કૃત્યો ને તે પોતાના હાથ માં લે છે.
--તેના મન કરતાં તેની ઈચ્છા ની દોડ આગળ હોય છે. અને તેની પ્રવૃત્તિ ને માટે સકળ વિશ્વ પૂરુ પડતું નથી.
--મૃત્યુ બાદ આવા લોકો કર્મો માં આસક્ત જનો માં જન્મે છે.જયારે તમોગુણ આ દેહમાં વૃદ્ધિ પામે છે-ત્યારે-
--તેને વિવેક હોતો નથી, તેને કામ કરવું ગમતું નથી,અને ઉદ્યોગ નો સદા માટે કંટાળો હોય છે.
--તેનામાં આળસ,પ્રમાદ અને મોહ-મુખ્ય હોય છે.
--મૃત્યુ બાદ આવા લોકો પશુ-ઈત્યાદી મૂઢ યોનિ માં જન્મે છે..................(૧૧ થી ૧૫)
એમ કહેવાય છે-કે-
--સત્વગુણ નું ફળ-સાત્વિક અને નિર્મળ હોય છે.સત્વગુણ થી જ્ઞાન ઉત્પન્ન થાય છે.અને દેવયોનિ મળે છે.
--રજોગુણ નું ફળ દુઃખ છે.રજોગુણ માંથી લોભ ઉત્પન્ન થાય છે.અને તેને મનુષ્યયોનિ મળે છે.
--તમોગુણ નું ફળ અજ્ઞાન છે.તમોગુણ થી અજ્ઞાન પેદા થાય છે.અને તેને પશુયોનિ મળે છે.(૧૬-૧૭-૧૮)
પણ.............
જીવાત્મા ને જયારે “જ્ઞાન”નો બોધ થાય છે (જયારે જ્ઞાન નો ઉદય થાય છે)-ત્યારે-તે જાણી જાય છે-કે-
“ગુણો (સત્વ,રજસ,તમસ) થી ચૈતન્ય (આત્મા-પરમાત્મા) ભિન્ન (જુદા) છે.અને તે “ગુણાતીત” બને છે.
જે પ્રમાણે નટ (નાટક નો કલાકાર) જયારે સ્ત્રીનો પાઠ ભજવે-ત્યારે તે સ્ત્રી ના “ગુણો” માં ફસાતો નથી,એટલે કે તે પોતાના પુરુષત્વ ને ભૂલતો નથી, અથવા-તો-જે પ્રમાણે “આકાશ” માં ત્રણ ઋતુઓ (શિયાળો,ઉનાળો,ચોમાસું) આવે અને જાય પણ તેનાથી તે અલિપ્ત છે-
તે પ્રમાણે-
તે જીવાત્મા –પોતાના “સ્વ-રૂપ” માં જ “સત્ય-બુદ્ધિ” ને રાખીને-તે ગુણો (સત્વ,રજસ,તમસ) ને જુએ છે.
ગુણો માં (સત્વ,રજસ,તમસ) વર્તતો હોવાં છતાં- તે “ગુણાતીત” રહીને “આત્મસ્વ-રૂપ” માં રત હોય છે.પણ તેનો “સ્વ-રૂપ વિષયક અહંકાર” કાયમ જ હોય છે,અને તે –સ્થળેથી (સ્વરૂપવિષયક અહંકારથી) નિરીક્ષણ કરીને તે કહે છે-કે- “હું કર્મ નો કર્તા નથી,હું માત્ર સાક્ષીભૂત છું, સર્વ ક્રિયાઓને -ગુણ (સત્વ,રજસ,તમસ) ઉત્પન્ન કરે છે.”આત્મા (પરમાત્મા) ની –તો માત્ર “સત્તા” છે-કે જે “સત્તા” થી સર્વ “કર્મો” થાય છે, “ગુણો” વૃદ્ધિ પામે છે.અને આ “ગુણો” નો નાશ થયા પછી જે-બાકી રહે છે-તે “આત્મ-તત્વ” જ છે.
બીજી રીતે કહીએ –તો- આત્મ-તત્વ ના પ્રકાશ થી જ “ગુણો” દૃષ્ટિગોચર (દેખાય) છે.અને આ “જ્ઞાન” જે જીવાત્મા ના હૃદય માં ઉદય પામે છે-તે “ગુણાતીત”(ગુણો થી પર) છે......(૧૯)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૧૧૦-
અધ્યાય-૧૩-
ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૪
આંખો દ્વારા દેખાતા આકારોમાં –જ્ઞેય (બ્રહ્મ) કેવી રીતે વ્યાપક છે ? તો કહે છે-કે-
જેવી રીતે પોલાણ માં આકાશ ભરેલું છે,અથવા તો-દોરાઓ,વસ્ત્ર માં વસ્ત્ર-રૂપે થઇ ને રહે છે-તેવી રીતે –બ્રહ્મ –આ વિશ્વ માં રહેલ છે.તેજ (પ્રકાશ) –જે પ્રમાણે –દીવામાં દીવા રૂપે રહે છે, સુગંધ –જે પ્રમાણે ફુલ માં ફુલ રૂપે રહે છે, તે પ્રમાણે જ્ઞેય બ્રહ્મ –આ સર્વ જગતનું આદિ કારણ હોઈ –સર્વ માં મૂર્તિમાન (આંખોથી) દેખાય છે.
બીજી રીતે કહીએ તો –આંખથી ફુલ રૂપે પરમાત્મા ની અદભૂત કારીગીરી દેખાય છે, ફૂલમાં જુદા જુદા રંગ ભરી ને મનોહર બનાવનાર કોઈક તો છે જ.વળી,એમ પણ કહી શકાય કે- ફુલ માં જે સુગંધ છુપાયેલી છે-
અને જે સુગંધ આંખો થી જોઈ શકાતી નથી,તે સુગંધ રૂપે પરમાત્મા તેમાં છુપાયેલા છે.
હવે આ જ ઉદાહરણ ને સહેજ આગળ લઇ જઈએ તો-
ફૂલ નો નાશ થતાં –પરમાત્મા નો નાશ થાય છે-એમ કહી શકાય નહિ.જેવી રીતે ઘડા ના આકાર ને કારણે ઘડા માં નું આકાશ (ઘટાકાશ) ગોળ દેખાય છે. તે ઘડાની ઉપાધિ (માયા) ને લીધે છે,
પણ જો ઘડો ફૂટી જાય તો તે ઘડા માં ના આકાશ નો નાશ થતો નથી.
આ જ પ્રમાણે બ્રહ્મ (પરમાત્મા) માયા ની ઉપાધિ ને લીધે, વિશ્વમય થાય છે, એવું દેખાય છે, પણમાયા માં તેનું અસ્તિત્વ હોતું નથી. તે બ્રહ્મ, ઇન્દ્રિયો (મન વગેરે) ના જેવું, અને ગુણો (સત્વ,રજ,તમસ) ના જેવું બન્યું હોય તેવો ભાસ થાય છે.પરંતુ જેમ ગોળ ની મીઠાશ ગોળ ના આકાર માં નથી, તેમ-
ઇન્દ્રિયો (મન વગેરે) અને ગુણો (સત્વ,રજ,તમસ) –એ બ્રહ્મ નો આકાર નથી.
જે પ્રમાણે દૂધ ની અવસ્થામાં ઘી, દૂધ ના આકારે હોય છે,પરંતુ ઘી –એ દૂધ નથી.એ પ્રમાણે, બ્રહ્મ વિશ્વમાં ભરેલો છે.
સોનાના જુદા જુદા આકાર ને ભલે હાર,વીંટી વગેરે નામ આપીએ –બાકી તે છે તો સોનું જ....તે જ રીતે બહુ સ્પષ્ટ રીતે સમજવાનું છે-કે-
બ્રહ્મ એ ઇન્દ્રિયો (મન વગેરે) અને ગુણો (સત્વ,રજ,તમસ) થી જુદો છે.નામ,રૂપ,જાતિ,ક્રિયા,ભેદ-આ બધી સંજ્ઞા ઓ “આકાર” ને છે-બ્રહ્મ (નિરાકાર) ને નહિ.તે બ્રહ્મ કદી ગુણ કે ઇન્દ્રિય થતો નથી કે તેમની સાથે તેને કોઈ સંબંધ નથી.
પણ ગુણો જ તેના માં ભાસે છે,
આ કારણ થી જ અજ્ઞાનીઓ એમ સમજે છે-કે-એ ગુણો બ્રહ્મ માં જ રહેલા છે, પરંતુ જેમ ભિખારી, સ્વપ્ન ની અંદર રાજા બની રાજ્ય નો ઉપભોગ લે છે,તે મિથ્યા છે –તે જ રીતે –નિર્ગુણ બ્રહ્મનો-ગુણ નો ઉપભોગ-તે ભ્રાંતિ-માત્ર છે.(મિથ્યા છે-ખોટું છે).માટે જ બ્રહ્મ ગુણો (સત્વ,રજ,તમસ) નો સંગ કરે છે-કે-ગુણો નો ઉપભોગ કરે છે-એમ કહેવું ઉચિત (યોગ્ય) નથી......(૧૫)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૧૧૧-
અધ્યાય-૧૩-
ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૫
જે પ્રમાણે-અગ્નિ ના અંગારા –ભિન્ન ભિન્ન અને અનેક આકારના હોય,પણ તેમના માં રહેલીઉષ્ણતા (ઉનાશ) તો એક જ છે,તે પ્રમાણે ચરાચર જીવો માં –એક જ અવિનાશી,બ્રહ્મ સૂક્ષ્મ રૂપે વ્યાપ્ત છે. (તે- જ જ્ઞેય છે)તે બ્રહ્મ શરીર ની અંદર પણ છે-અને શરીર ની બહાર પણ છે.દૂર છે અને નજીક પણ છે.તે બ્રહ્મ –સર્વવ્યાપક અને પરિપૂર્ણ છે,
ચાર પ્રકારના (જરાયુજ,અંડજ,સ્વેદજ,ઉદ્ભિજ્જ) જુદા જુદા જીવો માં તેની અખંડ વ્યાપ્તિ છે. જેમ-હજારો જુદા જુદા ઘડાઓ માં ચંદ્રનું પ્રતિબિંબ જુદું જુદું દેખાય છે,પણ તેમાં જેમ ભેદ નથી,તેમ બ્રહ્મ સર્વ માં છે......(૧૬)
તે બ્રહ્મ-“આકાશ” ની જેમ પરિપૂર્ણ છે, તેના કદી પણ ભાગ પડેલા નથી.-પણ- ચરાચર પ્રાણીઓ માં તે વિભકત (ભાગ પડેલું) (આત્મા રૂપે) હોય તેમ ભિન્ન ભિન્ન દેખાય છે.
જેવી રીતે-
--બાલ્યાવસ્થા,તરુણાવસ્થા અને વૃદ્ધાવસ્થા-ને એક-જ શરીર આધારભૂત છે,
--સવાર,બપોર અને સાંજ –એ ત્રણ સમય પસાર થાય પણ આકાશ ને તેનાથી કોઈ ફરક પડતો નથી
તેવી રીતે-
--સૃષ્ટિ ના ઉત્પત્તિ સમયે –જેને- આપણે- બ્રહ્મદેવ -કહીએ છીએ,
--સ્થિતિ ના સમયે-સર્વ નું પોષણ કરનાર ને-વિષ્ણુ- કહીએ છીએ,
--લય (નાશ) ના સમયે –જેને –આપણે રુદ્ર (મહેશ) -કહીએ છીએ,
--અને ઉપરનાં ત્રણે કાર્યો (ઉત્પત્તિ,સ્થિતિ,લય) -જયારે સમાપ્ત થાય છે-ત્યારે જે “શૂન્ય” હોય છે તેને આપણે –“પ્રકૃતિ” -કહીએ છીએ.
--આ પ્રકૃતિ રૂપ “શૂન્ય” નો પણ જે નાશ કરે છે-તેને “મહાશૂન્ય” કહ્યું છે.
(શ્રુતિ એ વર્ણન કર્યા મુજબ) –આ “મહાશૂન્ય” –તે જ આપણું “જ્ઞેય”-બ્રહ્મ છે......(૧૭)
તે બ્રહ્મ “પ્રકાશો નો પણ પ્રકાશ” એટલે કે-સૂર્યપ્રકાશ –કે જે-સમસ્ત જગતને પ્રકાશ આપે છે-
તેનો પણ પ્રકાશ છે.(અર્થાંત-તે સૂર્ય ને પણ પ્રકાશ આપે છે!!!!)
તે અંધકાર (અજ્ઞાન રૂપી અંધકાર) ની પેલી (બીજી) બાજુએ છે-એમ કહેવાય છે.
તે બ્રહ્મ (પરમાત્મા) જ “જ્ઞાન” છે,
તે જ “જ્ઞેય” છે.
તે જ “જ્ઞાન”થી પ્રાપ્ત કરવા યોગ્ય છે, અનેતે જ સર્વ ના હૃદય માં રહેલો (વિદ્યમાન) છે.આ રીતે –ક્ષેત્ર,ક્ષેત્રજ્ઞ –જ્ઞાન અને જ્ઞેય વિષે સ્પષ્ટતા કરી.જેને જાણવાથી, જ્ઞાની ભક્ત,પરમાત્મા ના સ્વરૂપ માં મળી જાય છે (તદ્રુપ થાય છે).....(૧૮-૧૯)
અત્યાર સુધી માં------“સર્વત્ર આત્મા (પરમાત્મા) છે”આ વાતનું સ્પષ્ટીકરણ કરવા માટે –એક જ બ્રહ્મ ના ચાર વિભાગ કરી બતાવ્યા.(ક્ષેત્ર,ક્ષેત્રજ્ઞ,જ્ઞાન,જ્ઞેય)
આટલું કર્યા પછી પણ અર્જુન ને બ્રહ્મ સ્પષ્ટ રીતે જાણવામાં ના આવ્યું-એટલે હવે –એક બ્રહ્મ ના ચાર ભાગ ને બદલે-અને-તે બ્રહ્મ એક જ છે એવું પણ ના માનતાં-અર્જુન ને આ વસ્તુ સમજાવવા માટે હવે–
શ્રીકૃષ્ણ-
તે –બ્રહ્મ-ના બે ભાગ કરે છે. –પુરુષ અને પ્રકૃતિ.(આત્મા અને અનાત્મા ).
પુરુષ અને પ્રકૃતિ નું જેમાં વર્ણન છે-તે માર્ગ ને “સાંખ્ય માર્ગ” પણ કહે છે.અને જે સાંખ્યમાર્ગ નું પૂર્ણ પણે વર્ણન કરવા “કપિલ અવતાર” થયો હતો.
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૧૧૨-
અધ્યાય-૧૩-
ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૬
પુરુષ (બ્રહ્મ) અને પ્રકૃતિ (માયા) –એ બંને અનાદિ (આરંભ નું મૂળ તત્વ) છે. -જેમ છાયા (પડછાયો) એ સ્વરૂપ નથી-પણ તે છાયા સ્વરૂપ ની સાથે જ લાગેલી હોય છે, -કે-
-જેમ બીજ વાવ્યા પછી-દાણો અને ફોતરાં ની ઉત્પત્તિ એક સાથે જ થાય છે-તેમ પુરુષ અને પ્રકૃતિ –એ બંનેનું જોડું અનાદિ-સિદ્ધ અને સુપ્રસિદ્ધ છે.
બહુ સરળતાથી સમજવા માટે –
આગળ જે ક્ષેત્ર (ખેતર) કહ્યું –તે સર્વ ની “પ્રકૃતિ: સમજવી –અને-જેને ક્ષેત્રજ્ઞ કહ્યો-તેને “પુરુષ” સમજવો.
નામો જુદા જુદા છે-પણ એ નામો દ્વારા –જેનું નિરૂપણ (વર્ણન) કરવાનું છે-તે વસ્તુ ભિન્ન (જુદી) નથી. જેની સત્તા નો કદી નાશ નથી, તેને “પુરુષ” કહે છે. અને જેની સત્તા-ના યોગથી –જે જે –“ક્રિયા”ઓ થાય છે-તેને “પ્રકૃતિ” કહે છે.
વિકારો (મન,બુદ્ધિ,ઇન્દ્રિયો-વગેરે) અને ગુણો (સત્વ,રજ,તમસ) –એ પ્રકૃતિ માંથી ઉપજે છે. અને તે વિકારો અને ગુણો ના દ્વારા કર્મો થતા રહે છે.....(૨૦)
પ્રકૃતિ માં -સહુ પ્રથમ ઈચ્છા,ઈચ્છા માંથી બુદ્ધિ અને બુદ્ધિ માંથીઅહંકાર ઉત્પન્ન થાય છે.બુદ્ધિ-ફળપ્રાપ્તિ માટે ઇન્દ્રિયોને પોતપોતાનાં કર્મ માં પ્રવૃત કરે છે. આમ-ફળપ્રાપ્તિ માટે જે ઉપાય (કર્મ) કરવામાં આવે છે-તેને “કાર્ય” કહે છે.
આ રીતે –ઉપર બતાવ્યા મુજબ-પ્રકૃતિ જ પ્રબળ ઈચ્છા ની સહાય થી બુદ્ધિ ને જાગ્રત કરી, તેના (બુદ્ધિના) દ્વારા સર્વ વ્યવહાર કરાવે છે. માટે-કાર્ય,કર્તૃત્વ અને કારણ-એ ત્રિપુટી નું મૂળ પ્રકૃતિ જ છે.અને આમ આ ત્રણે ભેગાં થતાં-પ્રકૃતિ “ક્રિયારૂપ” થાય છે.
હવે –તે-પ્રકૃતિ માં –જે- ગુણ (સત્વ,રજસ,તમસ) ની વધારે પ્રબળતા હોય –તે ગુણ પ્રમાણે -તે –પ્રકૃતિ-ક્રિયા –કરે છે.
--જે કર્મ –સત્વગુણ-માંથી ઉપજે છે-તેને -સત્કર્મ-કહે છે.
--જે કર્મ –રજોગુણ –માંથી ઉપજે છે-તેને-મધ્યમ-કે-કામ્ય-કર્મ કહે છે.
--જે કર્મ –તમોગુણ-માંથી ઉપજે છે-તેને-નિષિદ્ધ-(ધર્મ વિરુદ્ધ)-કર્મ કહે છે.
આ પ્રમાણે-પ્રકૃતિ (માં) થી જ –સારાં અને ખરાબ (માઠાં) કર્મો ઉત્પન્ન થાય છે. અને તે કર્મો દ્વારા –સુખ-દુઃખ-થાય છે.
--સારાં કર્મો (સત્કર્મો) થી સુખ પેદા થાય છે-અને
--ખરાબ (માઠાં) કર્મો થી દુઃખ પેદા થાય છે.
અને શરીર માં રહેલો પુરુષ (આત્મા-પરમાત્મા) આ સુખ-દુઃખ ને ભોગવે છે.જ્યાં સુધી પ્રકૃતિ –વ્યાપાર કરે છે-ત્યાં સુધી-સુખ-દુઃખ ઉત્પન્ન થતાં રહે છે-અને પુરુષ –તે ભોગવે છે. (ભોગવવાં પડે છે)..........(૨૧)
કેવું આશ્ચર્ય?!!.....કેવો ચમત્કાર ?!!!!
--કે સ્ત્રી (પ્રકૃતિ) રળે છે (કમાય છે) અને પુરુષ (પરમાત્મા-બ્રહ્મ) સ્વસ્થ બેસી ને ખાય છે.
--સ્ત્રી (પ્રકૃતિ) અને પુરુષ (બ્રહ્મ-પરમાત્મા) નો કદી સંબંધ પણ થતો નથી,અને-
તો પણ સ્ત્રી (પ્રકૃતિ) માંથી જગત ઉત્પન્ન થાય છે !!!!!!
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૧૧૩
અધ્યાય-૧૩-
ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૭
જે “બ્રહ્મ” નિરાકાર –એકલો અને ઉદાસીન છે.જે જગતની અતિવૃદ્ધ વસ્તુ થી પણ અતિવૃદ્ધ છે. તેનું બીજું નામ (ઉપનામ) “પુરુષ” છે.બાકી વસ્તુત (સાચી રીતે) –તે-બ્રહ્મ,---પુરુષ-સ્ત્રી-કે નપુંસક છે---તે –નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી.
તે-બ્રહ્મ-ને આંખ,નાક,કાન,હાથ,પગ,રૂપ,વર્ણ કે નામ –વગેરે કશું પણ નથી. અનેતે-બ્રહ્મ-જ –પ્રકૃતિ નો સ્વામી છે.તે સુખ-દુઃખ નો ભોક્તા છે.અને અભોક્તા પણ છે.કારણ કે તે અકર્તા (કર્મો નો નહિ કરનાર) અને ઉદાસીન (અનાસક્ત) છે.
છતાં પણ પતિવ્રતા “પ્રકૃતિ” જ તેને ઉપભોગ લેવામાં પ્રવૃત કરે છે.(તેવું દેખાય છે)તે- પ્રકૃતિ પોતાના ગુણ-અને રૂપ- ની જરા સરખી હિલચાલ વડે,અપૂર્વ ખેલો કરી બતાવે છે,તેથી તેને “ગુણમયી” એવું નામ મળ્યું છે. (તેને માયા પણ કહે છે)તે-પ્રકૃતિ –પ્રતિક્ષણે (ક્ષણે ક્ષણે) –રૂપ અને ગુણ થી નવી બને છે. અને પોતાના જુસ્સા વડે-જડ-વસ્તુઓ પાસે પણ કામ કરાવે છે. વાસ્તવિક રીતે જોતાં –મન-એ –નપુંસક છે,તો પણ તેને ત્રણે લોક માં દોડાવે છે. (બુદ્ધિને -કેવી –અહંકાર ને –કેવો અને મન ને કેવું –એમ કહે છે-તેથી મન ને નાન્યતર જાતિનું કહે છે) સર્વ વ્યાપકતા ને કારણે- તે –પ્રકૃતિ-નિરાકાર-બ્રહ્મ –નો આકાર બને છે, નિર્વિકાર –બ્રહ્મ-નો વિકાર બને છે.
જે પ્રમાણે-ઉત્તમ રત્નો-વસ્ત્ર માં વીંટાળેલા હોય તો તેનું તેજ બહાર પડતું નથી. તે પ્રમાણે- પુરુષ (બ્રહ્મ) પ્રકૃતિ ને આધીન થઇ જતાં (પ્રકૃતિ વડે વીંટળાઈ જતાં) તેનું તેજ બહાર પડતું નથી.
જો કે બ્રહ્મ એ શુદ્ધ અને નિત્ય હોવા છતાં –આવી રીત ની પ્રકૃતિ ની આધીનતા થી તેને ગુણ-સંગ લાગે છે,
--જેવી રીતે કંકુ પર સ્ફટિક (કે જે શુદ્ધ -કોઇ પણ રંગ વગરનો છે-તે) મુકવાથી તે લાલ દેખાય છે.
--જેવી રીતે મનુષ્ય ને –સ્વપ્ન માં - સુખ-દુઃખ –ભોગવવા –નિંદ્રા પોતે-તેને નિંદ્રા માં જવા પ્રવૃત્ત કરે છે,અને મનુષ્ય-ખોટે ખોટાં સુખ દુઃખ નિંદ્રા માં ભોગવે છે-
--તેવી રીતે પુરુષ (બ્રહ્મ) ને જન્મ-મૃત્યુ –વગેરે ભોગવવાં પડતાં નથી-છતાં તેનો ભાસ થાય છે. તે સર્વ નું કારણ –પુરુષ (બ્રહ્મ) ની પ્રકૃતિ ના ગુણો ની સંગત છે,...(૨૨)
જુઈ ના છોડ ને આધાર આપવા માટે ઉભો કરેલ થાંભલો –જે રીતે જુઈ ના સર્વ વિકારો થી અલિપ્ત હોય છે-તે રીતે –પુરુષ (બ્રહ્મ) માત્ર સાક્ષીભૂત (સાક્ષી તરીકે) છે.
તે બ્રહ્મ (પુરુષ) –પ્રકૃતિ ને ધારણ કરે છે,પ્રકૃતિ ને અનુકૂળ રહે છે,પ્રકૃતિ નો ઉપભોગ લે છે- અને તેને જ –પરમાત્મા-પરમેશ્વર -કહેવામાં આવ્યો છે. અને –આ જ પરમાત્મા –આત્મા રૂપે –દેહમાં (શરીરમાં) પણ વિરાજેલો છે....(૨૩)
🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૧૧૪-
અધ્યાય-૧૩-
ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૮
જે ઉપર દર્શાવ્યા મુજબ પુરુષ (બ્રહ્મ-પરમાત્મા) ને –તથા-પ્રકૃતિ ને (ગુણ સહિત) જાણે છે-તેસર્વ રીતે કર્મો કરવા છતાં પણ –મુક્ત થાય છે.(પુનર્જન્મ પામતો નથી)...(૨૪)
કોઈ સાંખ્ય (જ્ઞાન) માર્ગ (સાંખ્ય યોગ) થી, કોઈ કર્મમાર્ગ (કર્મયોગ) થી કે કોઈ ભક્તિમાર્ગ (ભક્તિયોગ) થી, શુદ્ધ થયેલા મનથી –પોતામાં રહેલા આત્મા ને જુએ છે, અને અંતર માં તેનો (આત્માનો) સાક્ષાત્કાર કરે છે.....(૨૫) પરંતુ –ઉપર પ્રમાણે-જેમને આત્મજ્ઞાન ને લાધ્યું નથી, એવા કેટલાંક લોકો, સદગુરૂ ના મુખ થી આત્મજ્ઞાન નું શ્રવણ કરી (સાંભળી) આત્મજ્ઞાનની ઉપાસના કરે છે,અને પરમાત્મા નો સાક્ષાત્કાર કરી,જન્મ મૃત્યુ ને તરી જાય છે,(મોક્ષ પામે છે)....(૨૬)
ક્ષેત્રજ્ઞ તરીકે પુરુષ (બ્રહ્મ-આત્મા-પરમાત્મા) અને ક્ષેત્ર તરીકે પ્રકૃતિ – એટલે કે પુરુષ અને પ્રકૃતિ ના સંયોગ થી જ –સર્વ સ્થાવર,જંગમ,અને સર્વ પ્રાણી (જીવ) ઉત્પન્ન થાય છે......(૨૭)
પ્રકૃતિ ની આ સર્વ પેદાશ નાશવંત હોય છે. તેમ છતાં-
સર્વ જીવો માં (પ્રાણીઓમાં) સમાન પણે –અવિનાશી પરમાત્મા (આત્મા રૂપે) વાસ કરી રહેલો છે-અને એમ દરેક જીવ માં જે પરમાત્મા ને જુએ છે-તે જ સાચું જુએ છે, અને તે જ ખરો જ્ઞાની છે, અને તે પોતાના આત્મા માં પણ પરમાત્મા ને જુએ છે-પરમાત્માને પામે છે- અને ઉત્તમ ગતિ (મોક્ષ) ને પ્રાપ્ત થાય છે.............................(૨૮-૨૯)
જે પ્રમાણે આકાશમાં વાદળાં દોડતાં હોય છે.પણ આકાશ તો સ્થિર જ હોય છે, તે પ્રમાણે-સર્વ કર્મો પ્રકૃતિ ના યોગ થી થાય છે, આત્મા (પરમાત્મા) તે કર્મો નો કર્તા નથી,એક પરમ પિતા પરમેશ્વર (પુરુષ) માંથી (પ્રકૃતિ ના સંયોગ થી) આ જગત નો વિસ્તાર થયો છે.એમ જયારે મનુષ્ય જાણે છે –ત્યારે જ તે બ્રહ્મ-સંપન્ન થાય છે (બ્રહ્મ ને પામે છે)....(૩૦-૩૧)
આ પરમાત્મા અનાદિ,નિર્ગુણ,નિરાકાર,નિર્વિકાર –હોવાથી અવિનાશી છે. અને એટલા માટે જ-તે આત્મા રૂપે શરીરમાં હોવાં છતાં કશું પણ કરતો નથી અને કશાથી પણ લિપ્ત થતો નથી.જેવી રીતે સર્વવ્યાપક “આકાશ” –તેની સૂક્ષ્મતા ને લીધે કશાથી લિપ્ત નથી થતું તેમ-સર્વ શરીરો માં રહેલો આત્મા-શરીર ના કર્મો થી લિપ્ત થતો નથી.......(૩૨-૩૩)
જેમ એક સૂર્ય –સર્વ જગતને પ્રકાશિત કરે છે-તેમ-એક ક્ષેત્રજ્ઞ (બ્રહ્મ-પુરુષ) સર્વ ક્ષેત્રો ને (શરીરો ને) પ્રકાશિત કરે છે. આ પ્રમાણે ક્ષેત્ર (શરીર) અને ક્ષેત્રજ્ઞ (પરમાત્મા) વચ્ચે ના ભેદ ને જે જાણે છે, તથા- સર્વ જીવો ની પ્રકૃતિ ના બંધન માં થી કેવી રીતે મુક્તિ થાય છે-તે પણ જે જાણે છે- તેઓ-બ્રહ્મને (પરમાત્માને) પ્રાપ્ત થાય છે........(૩૪-૩૫)
અધ્યાય-૧૩-ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-સમાપ્ત
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
શ્રીમદ ભગવદગીતા-૧૧૫-
અધ્યાય-૧૪-
ગુણત્રય વિભાગ યોગ-૧
આગળના અધ્યાય-૧૩માં પુરુષ (પરમાત્મા-આત્મા) અને પ્રકૃતિ (માયા) નું વર્ણન કર્યું, અને કહ્યું-કે-બંને ના સંયોગ થી જગતનું નિર્માણ થાય છે.પ્રકૃતિના ગુણો ના આગ્રહ થી જ પુરુષ (પરમાત્મા-આત્મા)સંસાર માં નિમગ્ન થાય છે. માયા (પ્રકૃતિ) ની ઉપાધિ થી જ સુખ-દુઃખ ના નિર્માણ થાય છે.
અને તેનાથી-વિરુદ્ધ-ગુણાતીત (તેના સંગ વગરના) થવાથી મુક્ત થવાય છે.
શ્રીકૃષ્ણ જુએ છે-કે- પૂર્વે- અનેક જુદી જુદી રીતે “જ્ઞાન” ને સ્પષ્ટ કરીને -અર્જુન ને કહેવા છતાં.અર્જુન ના અજ્ઞાન નો હજુ સંપૂર્ણને નાશ થયો નથી,એટલે-
અહીં આ અધ્યાય-૧૪ માં - તે “જ્ઞાન” ને પુનઃ (ફરીથી) કહે છે.
શ્રીકૃષ્ણ કહે છે-કે-જે જ્ઞાન ને જાણી ને સર્વ મુનિઓ જન્મથી જ મોક્ષ-સિદ્ધિને પામ્યા છે-તે ઉત્તમ અને શ્રેષ્ઠ “જ્ઞાન” હું તને પુનઃ (ફરીથી) કહું છું.......(૧)
આ જ્ઞાન નો આશ્રય કરીને,જે લોકો મારામાં (પરમાત્મા માં) આવી મળી ગયા છે, તે પછી,ઉત્પત્તિ કાળ માં જન્મતા નથી કે પ્રલયકાળ માં નષ્ટ પામતા નથી.....(૨)
વેદાંતીઓ જેને “માયા” કહે છે-તેને સાંખ્યમતવાદીઓ “પ્રકૃતિ” કહે છે.
અને આ પ્રકૃતિ ને “મહદબ્રહ્મ” પણ કહે છે. કારણ કે તે-મહત્તત્વ નું લય-સ્થાન છે.(વિશ્રામ સ્થાન છે)તે સર્વ જગત કરતાં મોટી છે અને જેના સંસર્ગથી (યોગથી) “વિકાર”અને “ગુણ” વૃદ્ધિ પામે છે.
આ મહદબ્રહ્મ-કે-પ્રકૃતિ-કે-માયા-એ પરમાત્મા ના ગર્ભ મુકવાનું સ્થાન છે,અને તેમાંથી –સર્વ જીવો (પ્રાણીઓ) ની ઉત્પત્તિ થાય છે....(૩)
બીજી (સાદી) રીતે કહીએ-તો-
માયા (પ્રકૃતિ) ના અનુરોધ થી ચૈતન્ય (પુરુષ- (પરમાત્મા) –પોતાના આત્મસ્વ-રૂપ ને ભૂલી જઈને-અનેક રૂપો ધારણ કરે છે.
જે રીતે મૂર્છા પામેલો મનુષ્ય-જયારે મૂર્છા માંથી જાગે ત્યારે કહે”હું સ્વર્ગ જોઈ આવ્યો”તેવી રીતે-એક વાર દૃષ્ટિ –આત્મસ્વ-રૂપ માં થી ચળી –(મૂર્છા આવી)એટલે પછી જે જે કલ્પનાઓ થાય છે-તે સર્વ ને “સૃષ્ટિ” કહેવામાં આવે છે.સૃષ્ટિ ની રચવા પાછળ ની સત્તા તો પરમાત્મા માત્ર પાસે જ છે.માયાથી થતી આત્મસ્વ-રૂપ ની વિસ્મૃતિ –તે અજ્ઞાન નું (માયાનું) સ્વરૂપ છે.અને જયારે આત્મજ્ઞાન ની પ્રાપ્તિ થાય છે-ત્યારે પરમાત્મા સાથેની તદ્રુપતા જ થઇ જાય છે..(ઘડા નો (માયાનો-ઉપાધિ નો) નાશ થતાં –ઘટાકાશ-એ મહાકાશ માં મળી જાય છે)
જ્ઞાનેશ્વર સૃષ્ટિ ની ઉત્પત્તિ (સર્ગ) ફરીથી ટૂંક માં-સમજાવતા કહે છે-કે-
--પરમાત્મા ના આત્મસ્વ-રૂપ ના સંસર્ગ માં આવતી પ્રકૃતિ (માયા) ને પરમાત્મ ની સત્તા (આત્મ સત્તા) થીગર્ભ રહે છે.
--ત્યાર પછી તે જીવભૂતા પ્રકૃતિ ના ઉદરમાં અષ્ટપ્રકૃતિ રૂપી (વિકૃતિ રૂપી) ગર્ભ ની વૃદ્ધિ થાય છે (અષ્ટ પ્રકૃતિ=પૃથ્વી,જળ,તેજ,વાયુ,આકાશ,મન,બુદ્ધિ અને અહંકાર)
--પ્રથમ બુદ્ધિ-તત્વ અને પછી,મન અને અહંકાર ની ઉત્પત્તિ થાય છે.
--જેમના યોગ થી પંચમહાભૂતો,ઇન્દ્રિયો અને તેના વિષયો ની ઉત્પત્તિ થાય છે.
--વિષયો અને ઇન્દ્રિયો નો ક્ષોભ થાય છે,એટલે તેની પાછળ –સત્વ,રજ,તમસ –ગુણો હોય છે-જ.
--અને આ ગુણો ના યોગ થી-જેવી વાસના ઉપજી હોય –તે પ્રમાણે જીવ જુદા જુદા જન્મ ધારણ કરે છે.
આ રીતે સર્વ જગતના પિતા -પરમાત્મા (પુરુષ-બ્રહ્મ) છે, અને માતા -પ્રકૃતિ (માયા) છે.સત્વ,રજસ અને તમસ ગુણો-એ પ્રકૃતિ માંથી ઉત્પન્ન થયેલા છે-અને-તેઓ આ દેહમાં રહેલા –અવિનાશી જીવાત્મા (આત્મા) ને બાંધી નાખે છે. (બંધન માં નાખે છે.) ....(૪-૫)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌿🌿
શ્રીમદ ભગવદગીતા-૧૧૬-
અધ્યાય-૧૪-
ગુણત્રય વિભાગ યોગ-૨
ગુણો નાં –સત્વ,રજસ અને તમસ એવાં નામો છે-અને તે પ્રકૃતિ માંથી (માયામાંથી) ઉત્પન્ન થયેલા છે.(સત્વ=ઉત્તમ, રજસ=મધ્યમ અને તમસ=કનિષ્ઠ કહેવાય છે.)
આ ગુણો જીવાત્મા ને કેવી રીતે અને કેવું બંધન કરે છે-તે હવે પછી ના ત્રણ શ્લોક માં કહ્યું છે.
જયારે આત્મા શરીર માં (ક્ષેત્રમાં) પ્રવેશ કરે છે,અને તે પછી જો જીવ ને -શરીર ની મમતા કે“આ દેહ મારો છે” કે “હું” એવું અભિમાન (અહમ) આવતું નથી ત્યાં સુધી કોઈ બંધન નથી.પણ સત્વ-ગુણ ના સપાટા માં આવી ગયા પછી-મનુષ્ય “હું જ્ઞાની છું” એવી બૂમો મારે છે,અને
“મારા જેવો કોઈ બીજો જ્ઞાની નથી” તેવો દંભ આચરે છે. અને આ કારણથી –આત્મજ્ઞાન થી પ્રાપ્ત થતાસુખથી વંછિત થઇ જાય છે.પ્રવૃત્તિ માં તેને બાહ્યજ્ઞાનથી સુખ મળે છે-જે ટૂંક સમય માટે જ હોય છે.આવી રીતે-સત્વગુણ-જીવાત્મા ને સુખ તથા જ્ઞાન નું બંધન લગાડીને પોતાના કાબુ માં કરે છે..(૬)
રજોગુણ ના સપાટામાં જયારે મનુષ્ય આવે છે-ત્યારે તેને કામનાઓ-નો નાદ લાગે છે,મન ની “ઇચ્છાઓ” પવન ની જેમ અહીં તહીં ફરવા લાગે છે.દુઃખદાયક વિષયો પણ તેને સુખદાયક લાગે છે.અને ઇન્દ્ર ના જેટલી સુખની પ્રાપ્તિ થાય તો પણ તેનેતૃપ્તિ થતી નથી. હંમેશાં વિચારે છે-કે-મારી પાસેનું દ્રવ્ય આજે પૂરું થઇ જશે તો –આવતી કાલે મારી શું દશા થશે ?- અને એવા ભયથી જે –તૃષ્ણા ના બળથી નવા નવા ધંધાઓ –ઉદ્યોગો કરે છે.
થોડા પૈસા આવી ને કદાચ સુખી થાય તો પછી,સ્વર્ગ ની પ્રાપ્તિ ના ધાંધીયા માં લાગી જાય છે.પુણ્ય કમાવા –યજ્ઞો,વ્રતો દાનો વગેરે કરે છે.આવી રીતે તે મનુષ્ય (રજોગુણી મનુષ્ય) સંસાર અને સ્વર્ગ પ્રાપ્તિ માટે,અગ્નિ માં ભૂસકો મારવા માટે પણ આગળ પાછળ જોતો નથી, અને તૃષ્ણા ના સપાટા માં સપડાતાં –વ્યવહાર રૂપી-સાંકળ ને પોતાના ગળામાં બાંધી લે છે. એટલે કે રજોગુણ આમ –જીવાત્મા ને –વ્યવહાર રૂપી બંધન લગાડે છે .......(૭)
તમોગુણ ના સપાટા માં જયારે મનુષ્ય આવે છે-ત્યારે તેની વ્યવહાર વિષયક દૃષ્ટિ પણ મંદ થાય છે.નિંદ્રા,આળસ અને પ્રમાદ –આ ત્રણ પાસો વડે-તમોગુણ –જીવાત્મા ને બાંધે છે...............(૮)
જેવી રીતે ઉનાળો અને ચોમાસું વીતી ગયા પછી,ટાઢ પાડવા માંડતા-આકાશ માં શીતળતા પ્રસરી રહે છે-
તેવી રીતે-
--રજોગુણ અને તમોગુણ –કરતાં-સત્વગુણ અધિક વધે છે-ત્યારે “હું સુખી છું” એમ તે જીવાત્મા ના મુખેથી બોલાવે છે.
--સત્વગુણ અને રજોગુણ-કરતાં –તમોગુણ અધિક વધે છે-ત્યારે જીવાત્મામાં આળસ-પ્રમાદ- વધે છે.
--સત્વગુણ અને તમોગુણ –કરતાં-રજોગુણ અધિક વધે છે-ત્યારે જીવાત્માને કર્મ સિવાય બીજું કંઈસારું દેખાતું નથી.........................(૯-૧૦)
હવે પછી ના પાંચ શ્લોક માં (૧૧ થી ૧૫)
સત્વગુણ,રજોગુણ, અને તમોગુણ ની જયારે દેહમાં વૃદ્ધિ થાય છે-ત્યારે તે મનુષ્ય નાં લક્ષણો કેવાં હોય છે ?તેના વિષે વર્ણન કર્યું છે.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
[2:39PM, 12/11/2017] Dr.Pravin Purecha Bhatia: 🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
શ્રીમદ ભગવદગીતા-૧૧૭-
અધ્યાય-૧૪-
ગુણત્રય વિભાગ યોગ-૩
જે પ્રમાણે-વસંત ઋતુ માં ફૂલોની સુગંધી ચારે તરફ પ્રસરે છે-તે પ્રમાણે-જયારે સત્વગુણ આ દેહ માં વૃદ્ધિ પામે છે-ત્યારે-
--તે જીવાત્મા નું જ્ઞાન અંતર માંથી છલાછલ થઈને બહાર નીકળવા માંડે છે.
--તેની સર્વ ઇન્દ્રિયોમાં વિવેક પ્રસરી રહેલો હોય છે. સત્કર્મ કયાં? અને દુષ્કર્મ કયાં? તે ઇન્દ્રિયો જ જાણી જાય છે.એને વિચાર કરવાની પણ આવશ્યકતા રહેતી નથી.જેમકે-બોલવા જેવું ન હોય તેવું ભાષણ જીભ બોલતી નથી,કાન ને જે ના સાંભળવા જેવું હોય તે સાંભળતા જ નથી અને આંખ ને જે ના જોવા જેવું હોય તે જોતી જ નથી.
--જે પ્રમાણે –અંધકાર દીવા પાસે આવી શકતો નથી-તે પ્રમાણે-નિષિદ્ધ વ્યવહારો –તે જીવાત્મા ની ઇન્દ્રિયો ની નજીક આવતા જ નથી.
--સર્વ વાસનાનો લોપ (નાશ) થતાં,તેનું મન પ્રવૃત્તિ માર્ગ પર જતું નથી,તેના મન ને વિષયો નો કંટાળો આવે છે. તેની બધી વૃત્તિઓ જ્ઞાન માં જ વિકાસ પામે છે.
--મૃત્યુ બાદ આવા મનુષ્યો ને બ્રહ્મ-લોક (બ્રહ્મદેવ ના લોક) ની પ્રાપ્તિ થાય છે.જયારે રજોગુણ આ દેહમાં વૃદ્ધિ પામે છે-ત્યારે-
--તેની સર્વ ઇન્દ્રિયો સ્વછંદતાપૂર્વક વિષયો તરફ દોડતી હોય છે.જેમ બકરી તેને ફાવે ત્યાં ચરે છે-તેમ તે પોતાની ઈચ્છા પ્રમાણે ભોગ ભોગવે છે.
--તેનો લોભ એટલો વધે છે-કે-જે વસ્તુ તેના સપાટામાં ન આવી હોય તે જ માત્ર તેનાથી બચી જાય છે.
--ગમે તેવો ઉદ્યોગ તેની સામે આવે-તો તે કરવામાં તે પાછી પાની કરતો નથી.
--કોઈ એકાદ ભવ્ય મંદિર બંધાવવું,યજ્ઞ કરવો,તળાવ-કુવા બાંધવા,બાગો બનાવવા- વગેરે અગાધ કૃત્યો ને તે પોતાના હાથ માં લે છે.
--તેના મન કરતાં તેની ઈચ્છા ની દોડ આગળ હોય છે. અને તેની પ્રવૃત્તિ ને માટે સકળ વિશ્વ પૂરુ પડતું નથી.
--મૃત્યુ બાદ આવા લોકો કર્મો માં આસક્ત જનો માં જન્મે છે.જયારે તમોગુણ આ દેહમાં વૃદ્ધિ પામે છે-ત્યારે-
--તેને વિવેક હોતો નથી, તેને કામ કરવું ગમતું નથી,અને ઉદ્યોગ નો સદા માટે કંટાળો હોય છે.
--તેનામાં આળસ,પ્રમાદ અને મોહ-મુખ્ય હોય છે.
--મૃત્યુ બાદ આવા લોકો પશુ-ઈત્યાદી મૂઢ યોનિ માં જન્મે છે..................(૧૧ થી ૧૫)
એમ કહેવાય છે-કે-
--સત્વગુણ નું ફળ-સાત્વિક અને નિર્મળ હોય છે.સત્વગુણ થી જ્ઞાન ઉત્પન્ન થાય છે.અને દેવયોનિ મળે છે.
--રજોગુણ નું ફળ દુઃખ છે.રજોગુણ માંથી લોભ ઉત્પન્ન થાય છે.અને તેને મનુષ્યયોનિ મળે છે.
--તમોગુણ નું ફળ અજ્ઞાન છે.તમોગુણ થી અજ્ઞાન પેદા થાય છે.અને તેને પશુયોનિ મળે છે.(૧૬-૧૭-૧૮)
પણ.............
જીવાત્મા ને જયારે “જ્ઞાન”નો બોધ થાય છે (જયારે જ્ઞાન નો ઉદય થાય છે)-ત્યારે-તે જાણી જાય છે-કે-
“ગુણો (સત્વ,રજસ,તમસ) થી ચૈતન્ય (આત્મા-પરમાત્મા) ભિન્ન (જુદા) છે.અને તે “ગુણાતીત” બને છે.
જે પ્રમાણે નટ (નાટક નો કલાકાર) જયારે સ્ત્રીનો પાઠ ભજવે-ત્યારે તે સ્ત્રી ના “ગુણો” માં ફસાતો નથી,એટલે કે તે પોતાના પુરુષત્વ ને ભૂલતો નથી, અથવા-તો-જે પ્રમાણે “આકાશ” માં ત્રણ ઋતુઓ (શિયાળો,ઉનાળો,ચોમાસું) આવે અને જાય પણ તેનાથી તે અલિપ્ત છે-
તે પ્રમાણે-
તે જીવાત્મા –પોતાના “સ્વ-રૂપ” માં જ “સત્ય-બુદ્ધિ” ને રાખીને-તે ગુણો (સત્વ,રજસ,તમસ) ને જુએ છે.
ગુણો માં (સત્વ,રજસ,તમસ) વર્તતો હોવાં છતાં- તે “ગુણાતીત” રહીને “આત્મસ્વ-રૂપ” માં રત હોય છે.પણ તેનો “સ્વ-રૂપ વિષયક અહંકાર” કાયમ જ હોય છે,અને તે –સ્થળેથી (સ્વરૂપવિષયક અહંકારથી) નિરીક્ષણ કરીને તે કહે છે-કે- “હું કર્મ નો કર્તા નથી,હું માત્ર સાક્ષીભૂત છું, સર્વ ક્રિયાઓને -ગુણ (સત્વ,રજસ,તમસ) ઉત્પન્ન કરે છે.”આત્મા (પરમાત્મા) ની –તો માત્ર “સત્તા” છે-કે જે “સત્તા” થી સર્વ “કર્મો” થાય છે, “ગુણો” વૃદ્ધિ પામે છે.અને આ “ગુણો” નો નાશ થયા પછી જે-બાકી રહે છે-તે “આત્મ-તત્વ” જ છે.
બીજી રીતે કહીએ –તો- આત્મ-તત્વ ના પ્રકાશ થી જ “ગુણો” દૃષ્ટિગોચર (દેખાય) છે.અને આ “જ્ઞાન” જે જીવાત્મા ના હૃદય માં ઉદય પામે છે-તે “ગુણાતીત”(ગુણો થી પર) છે......(૧૯)
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿
No comments:
Post a Comment